નવસારીનું ગૌરવ: મિહિર પટેલે UPSC CSE 2025માં AIR 709 મેળવી જિલ્લા નું નામ રોશન કર્યું. UPSC CSE 2025નું પરિણામ જાહેર થતાં નવસારી જિલ્લાના ગણદેવી તાલુકાના નાંદરખા ગામના યુવાન મિહિર રાજેન્દ્રભાઈ પટેલે ઓલ ઈન્ડિયા રેન્ક 709 મેળવી નવસારી જિલ્લાનું ગૌરવ વધાર્યું છે. હાલ તેઓ સુરતના ઉધના ખાતે સબ-રજિસ્ટ્રાર કચેરીમાં ગ્રેડ-1, વર્ગ-3 તરીકે ફરજ બજાવી રહ્યા છે. સરકારી નોકરી સાથે સતત મહેનત કરીને તેમણે પાંચમા પ્રયાસે UPSC જેવી કઠિન પરીક્ષા પાસ કરી છે. મિહિરે 2020માં વિશ્વકર્મા ગવર્નમેન્ટ એન્જિનિયરિંગ કોલેજમાંથી ઈન્ફોર્મેશન ટેકનોલોજીમાં બી.ઈ. પૂર્ણ કર્યા બાદ અમદાવાદની SPIPA સંસ્થામાં પ્રવેશ લઈને UPSCની તૈયારી શરૂ કરી હતી. શિસ્તબદ્ધ અભ્યાસ, સકારાત્મક વિચારસરણી અને સતત પ્રયત્નોથી તેમણે આ સફળતા હાંસલ કરી છે. મિહિર પટેલની આ સિદ્ધિથી તેમના પરિવારજનો, મિત્રો અને સમગ્ર નવસારી જિલ્લામાં ખુશીની લાગણી ફેલાઈ છે. યુવાનો માટે તેમની સફળતા પ્રેરણારૂપ બની છે. 🎉 #UPSC2025 #NavsariPride #MihirPatel #GujaratUPSC #SuccessStory
Toranvera અને Dhamdhuma ગામે વિકાસ કાર્યોના ખાતમુહૂર્ત ખેરગામ તાલુકાના તોરણવેરા અને ધામધૂમા ગામોમાં વિકાસલક્ષી કાર્યોને ગતિ આપવા વિવિધ કામોના ખાતમુહૂર્ત કાર્યક્રમો યોજાયા હતા. આ અંતર્ગત ધામધૂમા ગામમાં ડામર રોડનું કામ, તોરણવેરા ગામમાં બસ સ્ટેન્ડનું નિર્માણ, સ્મશાનભૂમિ અને શેડનું કામ તેમજ તોરણવેરા નાળાના કામનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ખેરગામ તાલુકા પ્રમુખ રાજેશભાઈ પટેલ, ખેરગામ તાલુકા ભાજપ પ્રમુખ લીતેશભાઈ ગાંવિત, ખેરગામ મહામંત્રી વિજયભાઈ રાઠોડ, નવસારી જિલ્લા આદિવાસી મોર્ચાના મહામંત્રી પ્રશાંતભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમમાં તોરણવેરા ગામના સરપંચ સુનિલભાઈ દભાડિયા, ધામધૂમા ગામના સરપંચ રતિલાલભાઈ, ખેરગામ ડેપ્યુટી સરપંચ તથા પત્રકાર જીગ્નેશભાઈ, તાલુકા સભ્ય ગમનભાઈ હુડકિયા, તોરણવેરા ભાજપ આગેવાન ભાવેશભાઈ વાઢુ, ગૌરી ગામના સરપંચ પ્રકાશભાઈ સહિત ભાજપના આગેવાનો, કાર્યકર્તાઓ અને ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી વિકાસ કાર્યોને શુભેચ્છા પાઠવી હતી.