નવસારી જિલ્લાના શિક્ષક જતીનકુમાર ટંડેલને “સાંદીપનિ ગુરુ ગૌરવ એવોર્ડ–૨૦૨૬” એનાયત. નવસારી: નવસારી જિલ્લાના શિક્ષણક્ષેત્ર માટે ગૌરવની વાત છે કે સિસોદ્રા (ગણેશવડ) કન્યાશાળા પી.એમ. શ્રી ના શિક્ષક શ્રી જતીનકુમાર પરભુભાઈ ટંડેલ ની વર્ષ ૨૦૨૬ના “સાંદીપનિ ગુરુ ગૌરવ એવોર્ડ” માટે પસંદગી કરવામાં આવી છે. પોરબંદર સ્થિત શ્રી ભારતીય સંસ્કૃતિ સંવર્ધક ટ્રસ્ટ – સાંદીપનિ વિદ્યાનિકેતન દ્વારા પરમ ભાગવતકાર પૂજ્ય ભાઈશ્રી રમેશભાઈ ઓઝા ની દિવ્ય પ્રેરણાથી શિક્ષણક્ષેત્રમાં વિશિષ્ટ અને નવતર કાર્ય કરનારા શિક્ષકોનું દર વર્ષે સન્માન કરવામાં આવે છે. આ પરંપરા અંતર્ગત વર્ષ ૨૦૨૬ માટે નવસારી જિલ્લાનું પ્રતિનિધિત્વ કરતા શ્રી જતીનકુમાર પરભુભાઈ ટંડેલ ની “ગુરુ ગૌરવ એવોર્ડ” માટે પસંદગી કરવામાં આવી છે. આ એવોર્ડ એવા શિક્ષકોને અર્પણ કરવામાં આવે છે, જેમણે પોતાની શાળામાં નવીન પ્રયોગો, સર્જનાત્મક પ્રવૃત્તિઓ અને ગુણવત્તાસભર શિક્ષણ દ્વારા વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસમાં નોંધપાત્ર યોગદાન આપ્યું હોય. આ અવસરે તા. ૨૭ અને ૨૮ જુલાઈ, ૨૦૨૬ ના રોજ પોરબંદર સ્થિત સાંદીપનિ વિદ્યાનિકેતનમાં પૂજ્ય ભાઈશ્રી રમેશભાઈ ઓઝા તથા અન્ય મહાનુભાવોની ઉપસ્...
નવસારી જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખશ્રી અજુવેન્દ્ર પટેલને જન્મદિવસની હાર્દિક શુભેચ્છાઓ નવસારી જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખશ્રી અજુવેન્દ્ર પટેલને જન્મદિવસ નિમિત્તે હાર્દિક શુભેચ્છાઓ અને શુભકામનાઓ. શિક્ષક સમાજના હિતને સર્વોપરી રાખી, શિક્ષકોના પ્રશ્નોને અસરકારક રીતે વાચા આપતા તેમજ સંઘને મજબૂત, સક્રિય અને દિશાદર્શક નેતૃત્વ પૂરું પાડતા આપનું યોગદાન ખરેખર પ્રેરણાદાયક રહ્યું છે. શિક્ષકોના હક્ક, ગૌરવ અને કલ્યાણ માટે આપની સતત કાર્યશીલતા અને નિષ્ઠાપૂર્વકની સેવાભાવનાએ સમગ્ર શિક્ષક સમાજમાં વિશેષ વિશ્વાસ અને સન્માન પ્રાપ્ત કર્યું છે. આપનું દૂરંદેશી નેતૃત્વ, સૌને સાથે લઈને ચાલવાની ભાવના, સંગઠન પ્રત્યેની અડગ પ્રતિબદ્ધતા અને શિક્ષણક્ષેત્રના સર્વાંગી વિકાસ માટેના પ્રયાસો સતત સફળતાના નવા શિખરો સર કરે તેવી શુભેચ્છાઓ. પરમાત્મા આપને ઉત્તમ સ્વાસ્થ્ય, દીર્ઘાયુષ્ય, સુખ-સમૃદ્ધિ અને સમાજસેવાની અવિરત શક્તિ પ્રદાન કરે તેમજ શિક્ષક સમાજના કલ્યાણ માટે આપનું માર્ગદર્શન સતત મળતું રહે તેવી હાર્દિક પ્રાર્થના. 🎉 જન્મદિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ! 🎂