દાતાશ્રી દિનેશભાઈના સહયોગથી વાડ મુખ્ય પ્રાથમિક શાળાના ૨૩૫ વિદ્યાર્થીઓને મફત નોટબુક વિતરણ ખેરગામ, તા. 17 જૂન 2026: શિક્ષણ એ સમાજના વિકાસનો મજબૂત પાયો છે. કોઈ પણ વિદ્યાર્થી આર્થિક સંજોગોના કારણે શિક્ષણથી વંચિત ન રહે તેવા ઉમદા હેતુથી ખેરગામ તાલુકાની વાડ મુખ્ય પ્રાથમિક શાળા ખાતે દાતાશ્રી દિનેશભાઈના સહયોગથી શાળાના તમામ ૨૩૫ વિદ્યાર્થીઓને મફત નોટબુક વિતરણ કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમ દરમિયાન વિદ્યાર્થીઓને અભ્યાસ માટે જરૂરી નોટબુકોનું વિતરણ કરવામાં આવ્યું. આ પ્રસંગે વિદ્યાર્થીઓમાં ઉત્સાહ અને આનંદનો માહોલ જોવા મળ્યો હતો. દાતાશ્રીના આ સેવાકીય યોગદાનને શાળા પરિવાર, વાલીઓ તેમજ ગ્રામજનોએ હૃદયપૂર્વક બિરદાવ્યું હતું. આ કાર્યક્રમમાં તાલુકા પંચાયત સભ્ય ચેતનભાઈ, દત્ત આશ્રમના સંચાલક આદિત્યભાઈ, કુમારી ખુશી તેમજ અન્ય આગેવાનો અને મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. ઉપસ્થિત મહાનુભાવોએ વિદ્યાર્થીઓને મન લગાવી અભ્યાસ કરવા તેમજ શિક્ષણ દ્વારા જીવનમાં આગળ વધવા પ્રેરણા આપી હતી. શાળા પરિવાર દ્વારા દાતાશ્રી દિનેશભાઈ તથા કાર્યક્રમમાં ઉપસ્થિત તમામ મહાનુભાવોના આભાર વ્યક્ત કરવામાં આવ્યા હતા. વિદ્યાર્થીઓના ચહેરા પર ખુશીન...
શિક્ષિત સત્સંગી અને કર્મ અશિક્ષત સત્સંગ અને શિક્ષણ – ફક્ત સમજવા કે જીવવા? આજના સમયમાં માણસ શિક્ષિત બનવા માટે પ્રયત્નશીલ છે. ડિગ્રી મેળવવા, ગ્રંથો વાંચવા અને સત્સંગમાં ભાગ લેવા વાળા અનેક લોકો જોવા મળે છે. પણ સાચું પ્રશ્ન એ છે કે શું એ જ્ઞાન માત્ર સાંભળવા પૂરતું છે કે તેને જીવનમાં અમલમાં મુકવા માટે? શિક્ષિત સત્સંગી – જ્ઞાન છે, પણ શું કર્મ છે? અનેક લોકો ભગવાનના ભક્ત છે, શાસ્ત્રોનું વાંચન કરે છે, અને સત્સંગમાં જાય છે. તેમના મોઢે ધર્મ અને સદાચારની વાતો હોય છે, પરંતુ શું તે જ્ઞાન તેમના વર્તનમાં દેખાય છે? કોઈ માણસ સત્સંગમાં જાય, પણ રોજિંદા જીવનમાં અનૈતિકતા, ક્રોધ, ડાહ્યોપણા અને લોભમાં ઝૂંપતો હોય, તો તેનું સત્સંગ કેટલું કામનું? સત્સંગનો સારો અર્થ એ છે કે જ્યાં જ્ઞાન અને કર્મ બંને એકસાથે હોય, નહીં કે ફક્ત મોઢે વાતો અને જીવનમાં તેની અસરો ન દેખાય. કર્મ અશિક્ષત – જે શિક્ષણ વગર પણ ઉચ્ચ છે એક ખેડૂત, મજૂર, અથવા એક નાનકડી હોટલ ચલાવતો માણસ ભલે બહુ મોટો પંડિત ન હોય, પણ જો તે ઈમાનદારીથી મહેનત કરે, સત્યવાદી હોય, અને બીજાના ભલાઈ માટે જીવન જીવતો હોય, તો તે ખરેખર શિક્ષિત છે. સમાજમાં ઘણા એવ...