નવસારી જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના મહામંત્રીશ્રી તથા ચીખલી તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખશ્રી હિતેશકુમાર એસ. પટેલને જન્મદિવસની હાર્દિક શુભેચ્છાઓ 🎉 ખેરગામ, તા. ૧ ઓગસ્ટ: SB KHERGAM OFFICIAL પરિવાર તરફથી નવસારી જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના મહામંત્રીશ્રી તથા ચીખલી તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખશ્રી હિતેશકુમાર એસ. પટેલ ને જન્મદિવસ નિમિત્તે હાર્દિક શુભેચ્છાઓ પાઠવવામાં આવે છે. શિક્ષકોના હિતોની રક્ષા, શિક્ષણક્ષેત્રના વિકાસ અને સંગઠનને વધુ મજબૂત બનાવવા માટે આપ આપી રહેલા નિષ્ઠાપૂર્વકના નેતૃત્વ અને સેવાભાવને સંગઠન દ્વારા હંમેશા બિરદાવવામાં આવે છે. શિક્ષકોના પ્રશ્નોના ઉકેલ માટે આપનું સમર્પિત કાર્ય સૌ માટે પ્રેરણાદાયી રહ્યું છે. આ શુભ અવસરે SB KHERGAM OFFICIAL પરિવાર ઈશ્વરને પ્રાર્થના કરે છે કે આપને દીર્ઘાયુષ્ય, ઉત્તમ સ્વાસ્થ્ય, સુખ, સમૃદ્ધિ અને સતત સફળતા પ્રાપ્ત થાય તેમજ આપ શિક્ષક સમાજની સેવા માટે સતત નવી ઊંચાઈઓ સર કરતા રહો. – SB KHERGAM OFFICIAL પરિવાર
શિક્ષિત સત્સંગી અને કર્મ અશિક્ષત સત્સંગ અને શિક્ષણ – ફક્ત સમજવા કે જીવવા? આજના સમયમાં માણસ શિક્ષિત બનવા માટે પ્રયત્નશીલ છે. ડિગ્રી મેળવવા, ગ્રંથો વાંચવા અને સત્સંગમાં ભાગ લેવા વાળા અનેક લોકો જોવા મળે છે. પણ સાચું પ્રશ્ન એ છે કે શું એ જ્ઞાન માત્ર સાંભળવા પૂરતું છે કે તેને જીવનમાં અમલમાં મુકવા માટે? શિક્ષિત સત્સંગી – જ્ઞાન છે, પણ શું કર્મ છે? અનેક લોકો ભગવાનના ભક્ત છે, શાસ્ત્રોનું વાંચન કરે છે, અને સત્સંગમાં જાય છે. તેમના મોઢે ધર્મ અને સદાચારની વાતો હોય છે, પરંતુ શું તે જ્ઞાન તેમના વર્તનમાં દેખાય છે? કોઈ માણસ સત્સંગમાં જાય, પણ રોજિંદા જીવનમાં અનૈતિકતા, ક્રોધ, ડાહ્યોપણા અને લોભમાં ઝૂંપતો હોય, તો તેનું સત્સંગ કેટલું કામનું? સત્સંગનો સારો અર્થ એ છે કે જ્યાં જ્ઞાન અને કર્મ બંને એકસાથે હોય, નહીં કે ફક્ત મોઢે વાતો અને જીવનમાં તેની અસરો ન દેખાય. કર્મ અશિક્ષત – જે શિક્ષણ વગર પણ ઉચ્ચ છે એક ખેડૂત, મજૂર, અથવા એક નાનકડી હોટલ ચલાવતો માણસ ભલે બહુ મોટો પંડિત ન હોય, પણ જો તે ઈમાનદારીથી મહેનત કરે, સત્યવાદી હોય, અને બીજાના ભલાઈ માટે જીવન જીવતો હોય, તો તે ખરેખર શિક્ષિત છે. સમાજમાં ઘણા એવ...