બીલીમોરાની કવયિત્રી હર્ષવી પટેલને ‘શયદા એવોર્ડ’નું બહુમાન. હર્ષવી પટેલ નવસારી જિલ્લાના ગણદેવી તાલુકામાં HTAT તરીકે ફરજ બજાવે છે. બીલીમોરાની પ્રતિભાશાળી કવયિત્રી હર્ષવી પટેલને મળેલા ‘શયદા એવોર્ડ’ વિશે. આ પુરસ્કાર ગુજરાતી કવિતાના ક્ષેત્રમાં એક મહત્વનું સન્માન છે, અને તેની પાછળની વાર્તા પ્રેરણાદાયી છે. મુંબઈમાં આવેલી વિખ્યાત સંસ્થા ઇન્ડિયન નેશનલ થિયેટર (INT) અને આદિત્ય બિરલા સેન્ટર ફોર પરફોર્મિંગ આર્ટસ દ્વારા પ્રતિવર્ષ સ્વાતંત્ર્ય દિવસની પૂર્વસંધ્યાએ મુશાયરાનું આયોજન કરવામાં આવે છે. આ કાર્યક્રમમાં ગુજરાતી કવિતાના ક્ષેત્રમાં બે પ્રતિષ્ઠિત પુરસ્કારો આપવામાં આવે છે: યુવા શાયરો માટે ‘શયદા એવોર્ડ’ અને વરિષ્ઠ સર્જકો માટે ‘કલાપી એવોર્ડ’. આ પરંપરા ૧૯૯૭થી ચાલુ છે, અને અત્યાર સુધી અનેક ગુજરાતી સર્જકોને આ સન્માન મળ્યું છે. પરંતુ આ વર્ષે એક ઐતિહાસિક ક્ષણ આવી છે – પ્રથમ વખત એક મહિલા સર્જકને આ પુરસ્કાર મળ્યો છે, અને તે છે બીલીમોરાની હર્ષવી પટેલ! આદિત્ય બિરલા સેન્ટરના રાજશ્રી બિરલા જીના હસ્તે હર્ષવીને આ એવોર્ડ, સ્મૃતિ ચિહ્ન, પ્રમાણપત્ર અને પુરસ્કારની રકમથી સન્માનિત કરવામાં આવી ...
Khergam: ખેરગામ પહાડ ફળિયા પ્રાથમિક શાળા અને પોમાપાળ પ્રાથમિક શાળાનો સયુંક્ત શૈક્ષણિક પ્રવાસ યોજાયો.
Khergam: ખેરગામ પહાડ ફળિયા પ્રાથમિક શાળા અને પોમાપાળ પ્રાથમિક શાળાનો સયુંક્ત શૈક્ષણિક પ્રવાસ યોજાયો.
તારીખ : ૦૮-૦૨-૨૦૨૪નાં દિને ખેરગામ પહાડ ફળિયા પ્રાથમિક શાળા અને પોમાપાળ પ્રાથમિક શાળાનો સયુંક્ત શૈક્ષણિક પ્રવાસ યોજાયો હતો. જેમાં બંને શાળાનાં કુલ ૪૫ બાળકો અને ૫ શિક્ષકો જોડાયા હતા.
સવારે ૪:૦૦ કલાકે જનતા માઘ્યમિક શાળા (બીરસા મુંડા સર્કલ) પરથી બસ ઉપાડી હતી, તે સવારે ૯:૩૦ કલાકે નર્મદા સ્ટેચ્યુ ઑફ યુનિટી ખાતે પહોંચી હતી.જ્યાં નર્મદા સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં વ્યુ ગેલેરી,જંગલ સફારી, વેલી ઓફ ફ્લાવર, નર્મદા ડેમ વ્યુ પોઇન્ટ અને પોઇચા ખાતે નીલકંઠેશ્વર ધામનો સમાવેશ થાય છે.







Comments
Post a Comment