દાતાશ્રી દિનેશભાઈના સહયોગથી વાડ મુખ્ય પ્રાથમિક શાળાના ૨૩૫ વિદ્યાર્થીઓને મફત નોટબુક વિતરણ ખેરગામ, તા. 17 જૂન 2026: શિક્ષણ એ સમાજના વિકાસનો મજબૂત પાયો છે. કોઈ પણ વિદ્યાર્થી આર્થિક સંજોગોના કારણે શિક્ષણથી વંચિત ન રહે તેવા ઉમદા હેતુથી ખેરગામ તાલુકાની વાડ મુખ્ય પ્રાથમિક શાળા ખાતે દાતાશ્રી દિનેશભાઈના સહયોગથી શાળાના તમામ ૨૩૫ વિદ્યાર્થીઓને મફત નોટબુક વિતરણ કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમ દરમિયાન વિદ્યાર્થીઓને અભ્યાસ માટે જરૂરી નોટબુકોનું વિતરણ કરવામાં આવ્યું. આ પ્રસંગે વિદ્યાર્થીઓમાં ઉત્સાહ અને આનંદનો માહોલ જોવા મળ્યો હતો. દાતાશ્રીના આ સેવાકીય યોગદાનને શાળા પરિવાર, વાલીઓ તેમજ ગ્રામજનોએ હૃદયપૂર્વક બિરદાવ્યું હતું. આ કાર્યક્રમમાં તાલુકા પંચાયત સભ્ય ચેતનભાઈ, દત્ત આશ્રમના સંચાલક આદિત્યભાઈ, કુમારી ખુશી તેમજ અન્ય આગેવાનો અને મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. ઉપસ્થિત મહાનુભાવોએ વિદ્યાર્થીઓને મન લગાવી અભ્યાસ કરવા તેમજ શિક્ષણ દ્વારા જીવનમાં આગળ વધવા પ્રેરણા આપી હતી. શાળા પરિવાર દ્વારા દાતાશ્રી દિનેશભાઈ તથા કાર્યક્રમમાં ઉપસ્થિત તમામ મહાનુભાવોના આભાર વ્યક્ત કરવામાં આવ્યા હતા. વિદ્યાર્થીઓના ચહેરા પર ખુશીન...
સમાજની અને ગરીબોની મુશ્કેલીમાં હર હંમેશ મદદ માટે આગળ રહેનાર આશિષ પટેલને જન્મ દિવસની શુભ કામનાઓ.
સમાજની અને ગરીબોની મુશ્કેલીમાં હર હંમેશ મદદ માટે આગળ રહેનાર વેણ ફળિયાવાસીઓ માટે નાના ભાઈ, મોટા ભાઈ કે વડીલો માટે દીકરાના જેવા રોલ નિભાવી સંભાળ રાખી દરકાર કરનાર આશિષભાઈને પ્રાકૃતિક અવતરણ દિવસની ખુબ ખુબ શુભેચ્છા. આપના જીવનમાં અને પરિવાર માં હર હંમેશ ખુશ રહે એવી પ્રકૃતિને પ્રાર્થનાં.
જ્યાં પણ જેમને જે રીતે મદદની જરૂર હોય તે પ્રમાણે તેઓ મદદરૂપ થતાં હોય છે. જાણીતા હોય કે અજાણ્યા ફક્ત તેમને જાણ થતાં જ વાર. ખબર પડતાં જ તેજ ઘડીએ તેઓ હાજર.

Comments
Post a Comment