બીલીમોરાની કવયિત્રી હર્ષવી પટેલને ‘શયદા એવોર્ડ’નું બહુમાન. હર્ષવી પટેલ નવસારી જિલ્લાના ગણદેવી તાલુકામાં HTAT તરીકે ફરજ બજાવે છે. બીલીમોરાની પ્રતિભાશાળી કવયિત્રી હર્ષવી પટેલને મળેલા ‘શયદા એવોર્ડ’ વિશે. આ પુરસ્કાર ગુજરાતી કવિતાના ક્ષેત્રમાં એક મહત્વનું સન્માન છે, અને તેની પાછળની વાર્તા પ્રેરણાદાયી છે. મુંબઈમાં આવેલી વિખ્યાત સંસ્થા ઇન્ડિયન નેશનલ થિયેટર (INT) અને આદિત્ય બિરલા સેન્ટર ફોર પરફોર્મિંગ આર્ટસ દ્વારા પ્રતિવર્ષ સ્વાતંત્ર્ય દિવસની પૂર્વસંધ્યાએ મુશાયરાનું આયોજન કરવામાં આવે છે. આ કાર્યક્રમમાં ગુજરાતી કવિતાના ક્ષેત્રમાં બે પ્રતિષ્ઠિત પુરસ્કારો આપવામાં આવે છે: યુવા શાયરો માટે ‘શયદા એવોર્ડ’ અને વરિષ્ઠ સર્જકો માટે ‘કલાપી એવોર્ડ’. આ પરંપરા ૧૯૯૭થી ચાલુ છે, અને અત્યાર સુધી અનેક ગુજરાતી સર્જકોને આ સન્માન મળ્યું છે. પરંતુ આ વર્ષે એક ઐતિહાસિક ક્ષણ આવી છે – પ્રથમ વખત એક મહિલા સર્જકને આ પુરસ્કાર મળ્યો છે, અને તે છે બીલીમોરાની હર્ષવી પટેલ! આદિત્ય બિરલા સેન્ટરના રાજશ્રી બિરલા જીના હસ્તે હર્ષવીને આ એવોર્ડ, સ્મૃતિ ચિહ્ન, પ્રમાણપત્ર અને પુરસ્કારની રકમથી સન્માનિત કરવામાં આવી ...
સમાજની અને ગરીબોની મુશ્કેલીમાં હર હંમેશ મદદ માટે આગળ રહેનાર આશિષ પટેલને જન્મ દિવસની શુભ કામનાઓ.
સમાજની અને ગરીબોની મુશ્કેલીમાં હર હંમેશ મદદ માટે આગળ રહેનાર વેણ ફળિયાવાસીઓ માટે નાના ભાઈ, મોટા ભાઈ કે વડીલો માટે દીકરાના જેવા રોલ નિભાવી સંભાળ રાખી દરકાર કરનાર આશિષભાઈને પ્રાકૃતિક અવતરણ દિવસની ખુબ ખુબ શુભેચ્છા. આપના જીવનમાં અને પરિવાર માં હર હંમેશ ખુશ રહે એવી પ્રકૃતિને પ્રાર્થનાં.
જ્યાં પણ જેમને જે રીતે મદદની જરૂર હોય તે પ્રમાણે તેઓ મદદરૂપ થતાં હોય છે. જાણીતા હોય કે અજાણ્યા ફક્ત તેમને જાણ થતાં જ વાર. ખબર પડતાં જ તેજ ઘડીએ તેઓ હાજર.

Comments
Post a Comment