Skip to main content

દાતાશ્રી દિનેશભાઈના સહયોગથી વાડ મુખ્ય પ્રાથમિક શાળાના ૨૩૫ વિદ્યાર્થીઓને મફત નોટબુક વિતરણ

 દાતાશ્રી દિનેશભાઈના સહયોગથી વાડ મુખ્ય પ્રાથમિક શાળાના ૨૩૫ વિદ્યાર્થીઓને મફત નોટબુક વિતરણ ખેરગામ, તા. 17 જૂન 2026: શિક્ષણ એ સમાજના વિકાસનો મજબૂત પાયો છે. કોઈ પણ વિદ્યાર્થી આર્થિક સંજોગોના કારણે શિક્ષણથી વંચિત ન રહે તેવા ઉમદા હેતુથી ખેરગામ તાલુકાની વાડ મુખ્ય પ્રાથમિક શાળા ખાતે દાતાશ્રી દિનેશભાઈના સહયોગથી શાળાના તમામ ૨૩૫ વિદ્યાર્થીઓને મફત નોટબુક વિતરણ કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમ દરમિયાન વિદ્યાર્થીઓને અભ્યાસ માટે જરૂરી નોટબુકોનું વિતરણ કરવામાં આવ્યું. આ પ્રસંગે વિદ્યાર્થીઓમાં ઉત્સાહ અને આનંદનો માહોલ જોવા મળ્યો હતો. દાતાશ્રીના આ સેવાકીય યોગદાનને શાળા પરિવાર, વાલીઓ તેમજ ગ્રામજનોએ હૃદયપૂર્વક બિરદાવ્યું હતું. આ કાર્યક્રમમાં તાલુકા પંચાયત સભ્ય ચેતનભાઈ, દત્ત આશ્રમના સંચાલક આદિત્યભાઈ, કુમારી ખુશી તેમજ અન્ય આગેવાનો અને મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. ઉપસ્થિત મહાનુભાવોએ વિદ્યાર્થીઓને મન લગાવી અભ્યાસ કરવા તેમજ શિક્ષણ દ્વારા જીવનમાં આગળ વધવા પ્રેરણા આપી હતી. શાળા પરિવાર દ્વારા દાતાશ્રી દિનેશભાઈ તથા કાર્યક્રમમાં ઉપસ્થિત તમામ મહાનુભાવોના આભાર વ્યક્ત કરવામાં આવ્યા હતા. વિદ્યાર્થીઓના ચહેરા પર ખુશીન...

Strengthening of Sports Education

 Strengthening of Sports Education


માર્ગદર્શિકા


સમગ્ર શિક્ષા દ્વારા સરકારી પ્રાથમિક અને માધ્યમિક-ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં "Strengthening of Sports Education" કાર્યક્રમ અંતર્ગત ₹ ૧,૦૦૦/- ની ગ્રાન્ટ આપવામાં આવેલ છે. વર્ષ દરમિયાન આ કાર્યક્રમ અંતર્ગત નીચે જણાવેલ મહત્ત્વની પ્રવૃત્તિઓ હાથ ધરવાની રહેશે.


૧. શાળાએ વર્ષ દરમિયાન FIT INDIA કાર્યક્રમ અંતર્ગત નીચેની પ્રવૃત્તિઓ કરવાની રહેશે.

a. FIT INDIA સ્કૂલ વીક (નવેમ્બર/ડિસેમ્બર) ની ઉજવણી

b. FIT INDIA ફ્રીડમ રન (૧૫ ઓગસ્ટ & ૨ ઓકટોબર) નું આયોજન

c. FIT INDIA સ્વચ્છતા કાર્યક્રમ (૨ ઓકટોબર)

d. FIT INDIA સાયક્લોથોન (સાયકલ રેલી) નું આયોજન

e. FIT INDIA ક્વિઝનું આયોજન


૨. શાળાએ “ખેલો ઇન્ડિયા" અને "ખેલ મહાકુંભ'માં યોજાતી સ્પર્ધાઓમાં શાળાના વિદ્યાર્થીઓને ભાગ લેવા પ્રોત્સાહિત કરવા.

૩. શાળા કક્ષાએ આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણીનું આયોજન કરવું.

૪. યોગના ભાગરૂપે નિયમિત યૌગિક ક્રિયાઓ, આસન/પ્રાણાયામ જેવી પ્રવૃત્તિઓનું આયોજન કરવું.

૫. શાળાના વિધાર્થીઓને ભારતીય ખેલ અને દેશી/સ્થાનિક રમતો પ્રત્યે પ્રોત્સાહિત કરવા અને તેનું વિશેષ આયોજન કરવું.

૬. શાળામાં વાર્ષિક રમતોત્સવનું આયોજન કરવું અને અલગ અલગ સ્પર્ધાઓમાં વિજેતા વિધાર્થીઓને પ્રોત્સાહક ઇનામ આપવાં.

છે. શાળા કક્ષાએ ફરજિયાત “સ્પોટ્સ ક્લબ'ની રચના કરવી.

૮. શાળાએ “ફિટનેસ કા ડોઝ - આઘા ઘંટા રોઝ" કાર્યક્રમ અંતર્ગત શાળાના સમયપત્રકમાં દરરોજ ૩૦ મિનિટ શારીરિક શિક્ષણના તાસનો અભ્યાસક્રમના નિયમિત ભાગરૂપે સમાવેશ કરવો.

૯. વિધાર્થીઓની ફિઝિકલ ફિટનેસ માટેના કાર્યક્રમો યોજવા, જેમાં વિદ્યાર્થીઓની ઊંચાઈ, વજન, જેવી પ્રાથમિક બાબતોની ચકાસણી કરાવવી અને તે અંગેના ઉપકરણોનો વિદ્યાર્થીઓ ઉપયોગ કરી શકે તે મુજબ મુકવા/લગાવવા.

૧૦. વિદ્યાર્થીઓને સ્પોટ્સ કોમ્પ્લેક્સની રૂબરૂ મુલાકાત કરાવવી. શાળાના વિદ્યાર્થીઓ સાથે રમતનું પ્રાથમિક સ્તર માટે આયોજન કરવું.

૧૧. રાજ્ય કે રાષ્ટ્રીય કક્ષાએ વિજેતા ખેલાડીઓનો પરિચય મળી રહે તેવા કાર્યક્રમોનું આયોજન કરવું અને તેઓ દ્વારા વિદ્યાર્થીઓમાં રમત-ગમત વિશે રુચિ વધે અને સ્વાસ્થ્ય વિશે કાળજી લેતા થાય તેવી બાબતો જણાવવી.

૧૨. "Strengthening of Sports" કાર્યક્રમ અંતર્ગત શાળાઓ દ્વારા કરવામાં આવેલ પ્રવૃત્તિઓના ફોટોગ્રાફ્સ સહીતનો વિગતવાર અહેવાલ નિભાવવો.

ખાસ નોંધ : ગ્રાન્ટનો ઉપયોગ ઉપર જણાવેલ હેતુઓ માટે જ કરવાનો રહેશે. આ ગ્રાન્ટ રમતગમતના સાધનોની ખરીદી માટે નથી, તે માટે અલગથી વ્યવસ્થા ઉપલબ્ધ છે.

Comments

Popular posts from this blog

Navsari, vansda (keliya school) : ૫૦૦ વર્ષ જૂના સિક્કાઓની મદદથી ઇતિહાસનું શિક્ષણ પીરસતો અનોખો શિક્ષક.

    Navsari, vansda (keliya school) : ૫૦૦ વર્ષ જૂના સિક્કાઓની મદદથી ઇતિહાસનું શિક્ષણ પીરસતો અનોખો શિક્ષક. આજે વાત કરી રહ્યા છીએ એક સામાજિક વિજ્ઞાન ભણાવતા શિક્ષક શ્રી હેમંતભાઈ પટેલની. તેઓ ચીખલી તાલુકાનાં આમઘરા ગામના વતની છે. તેમણે સૌ પ્રથમ નોકરીની શરૂઆત સુરત જિલ્લાથી કરી હતી ત્યાર બાદ જિલ્લાફેરથી કેલીયા પ્રાથમિક શાળામાં હાજર થઈ આચાર્યનો પદભાર સંભાળ્યો હતો. જેઓ સમાજિક વિજ્ઞાનમાં અવનવી પદ્ધતિઓથી બાળકોને અભ્યાસ કરાવે છે. તેમની પાસે ૧૦૦થી વધુ વનસ્પતિના બીજ સંગ્રહ ધરાવતી બીજબેંક છે. તેમજ તેમની પાસે દેશ - વિદેશના જૂના ૩૬૨ જેટલાં ચલણી સિક્કાઓ સંગ્રહ કર્યા છે. ૫૦૦ વર્ષ જૂના સિક્કાઓની મદદથી શિક્ષણ :  ભારતીય ચલણમાં હાલમાં ટેકનોલોજીનો સમન્વય થતા ડિજિટલ કરન્સીની બોલબાલા છે. પરંતુ વર્ષો અગાઉ રાજા રજવાડાના જમાનામાં ચલણમાં સિક્કાઓ વપરાતા હતાં. આ સિક્કાઓથી આજની પેઢી અવગત થાય તે માટે વાંસદા તાલુકાના કેલીયા ગામના એક શિક્ષક હેમંતભાઈ પટેલે ઈ.સ. 500 થી લઇ 2024 સુધીના દેશ-વિદેશના 362 દુર્લભ ચલણી સિક્કાઓનો ખજાનો સંગ્રહ કર્યો છે. સામાજિક વિજ્ઞાન બાળકો માટે રસપ્રદ બને તથા ઉત્સુકતા જાગે તેવા હેતુથી...

નવસારી જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘમાં ખેરગામ તાલુકાના ધર્મેશભાઈ પટેલની સહમંત્રી તરીકે બિન હરીફ વરણી.

     નવસારી જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘમાં ખેરગામ તાલુકાના ધર્મેશભાઈ પટેલની સહમંત્રી તરીકે બિન હરીફ વરણી. તારીખ: ૨૮ સપ્ટેમ્બર, ૨૦૨૫ આજના દિવસે નવસારી જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘની ચૂંટણી પ્રક્રિયા દરમિયાન એક ખુશીનાં સમાચાર આવ્યા છે. ખેરગામ તાલુકાના વાડ મુખ્ય શાળાના ઉપ શિક્ષક ધર્મેશભાઈ શુક્કરભાઈ પટેલને સંઘનાં સહમંત્રી તરીકે બિન હરીફ વરણી કરવામાં આવી છે. આ વરણી એક ઐતિહાસિક ક્ષણ છે, જે શિક્ષક સમુદાયની એકતા અને સહમતિનું પ્રતીક છે. નવસારી જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘમાં 1.પ્રમુખ, 2.ઉપપ્રમુખ, 3.મહામંત્રી 4. કોષાધ્યક્ષ 5.ખજાનચી અને 6.સહમંત્રીના પદ  માટે ચૂંટણીઓ યોજાઈ રહી છે, જેમાં સહમંત્રી તરીકે ધર્મેશભાઈ પટેલની બિન હરીફ વરણી થઈ છે. જે ખેરગામ તાલુકાના શિક્ષકોએ  ધર્મેશભાઈ પટેલને સહમંત્રી પદ માટે સર્વ સંમતિથી પસંદ  કર્યા બાદ તેમણે તેમનું સહમંત્રી પદ માટે ઉમેદવારી નોંધાવી હતી. આજે, ૨૮/૦૯/૨૦૨૫ના રોજ, ફોર્મ ચકાસણીની તારીખ હતી. જેમાં  ચૂંટણી પંચના હોદ્દેદારોએ ધર્મેશભાઈ પટેલને બિન હરીફ વરણી કરી  છે. આ નિર્ણય શિક્ષક વર્ગની અખંડ એકતાને દર્શાવે છે અને ધર્મેશભાઈ પટેલની...

ખેરગામમાં મહોરમના પર્વે કોમી એકતા સાથે ભવ્ય તાજીયા ઝુલૂસ.

ખેરગામમાં મહોરમના પર્વે કોમી એકતા સાથે ભવ્ય તાજીયા ઝુલૂસ. ઇસ્લામ ધર્મના પવિત્ર મહોરમ પર્વની ખેરગામમાં ઉજવણી કોમી એકતાના રંગે રંગાઈ હતી. કરબલાના મેદાનમાં હઝરત ઈમામ હુસેન અને તેમના 72 સાથીઓના શહીદોના ત્યાગની યાદમાં યોજાતા આ પર્વ નિમિત્તે રવિવારે ખેરગામમાં ભવ્ય તાજીયા ઝુલૂસ શાંતિપૂર્ણ રીતે કાઢવામાં આવ્યું. મુસ્લિમ મહોલ્લામાંથી શરૂ થયેલું આ ઝુલૂસ ચારરસ્તા, મેઈન બજાર અને પોસ્ટ ઓફિસ માર્ગે આગળ વધી અને મસ્જિદ તેમજ મુસ્લિમ મહોલ્લામાં વિસર્જન માટે સમાપ્ત થયું. ત્યારબાદ ઔરંગા નદી ખાતે તાજીયાઓને ટાઢા કરવામાં આવ્યા. ઝુલૂસ પૂર્વે રાત્રે કલાત્મક રીતે શણગારેલ તાજીયાનું પાયલોટ ઝુલૂસ પણ નીકળ્યું હતું. હિન્દુ-મુસ્લિમ એકતાનું પ્રતીક આ પ્રસંગે હિન્દુ-મુસ્લિમ એકતાનું સુંદર દૃશ્ય જોવા મળ્યું. હિન્દુ સમાજના આગેવાનો જેવા કે સરપંચ શ્રીમતી ઝરણાબેન પટેલ, વેપારી અગ્રણી શ્રી પંકજભાઈ મોદી, શ્રી અંકુર શુક્લ, ભાજપ મહામંત્રી શ્રી વિજય રાઠોડે મુસ્લિમ આગેવાનો જેવા કે માજી મુતવલી ઝમીરભાઈ શેખ, અઝીઝભાઈ ક્વોરીવાળા, શોએબભાઈ શેખ, ફારૂકભાઈ શેખ, મુતવલ્લી ગુલામભાઈ શેખ અને મોઈન મોટરવાળાનું ફૂલહારથી ઉષ્માભર્યું સ્વાગત કર્યું. શાંત...