બીલીમોરાની કવયિત્રી હર્ષવી પટેલને ‘શયદા એવોર્ડ’નું બહુમાન. હર્ષવી પટેલ નવસારી જિલ્લાના ગણદેવી તાલુકામાં HTAT તરીકે ફરજ બજાવે છે. બીલીમોરાની પ્રતિભાશાળી કવયિત્રી હર્ષવી પટેલને મળેલા ‘શયદા એવોર્ડ’ વિશે. આ પુરસ્કાર ગુજરાતી કવિતાના ક્ષેત્રમાં એક મહત્વનું સન્માન છે, અને તેની પાછળની વાર્તા પ્રેરણાદાયી છે. મુંબઈમાં આવેલી વિખ્યાત સંસ્થા ઇન્ડિયન નેશનલ થિયેટર (INT) અને આદિત્ય બિરલા સેન્ટર ફોર પરફોર્મિંગ આર્ટસ દ્વારા પ્રતિવર્ષ સ્વાતંત્ર્ય દિવસની પૂર્વસંધ્યાએ મુશાયરાનું આયોજન કરવામાં આવે છે. આ કાર્યક્રમમાં ગુજરાતી કવિતાના ક્ષેત્રમાં બે પ્રતિષ્ઠિત પુરસ્કારો આપવામાં આવે છે: યુવા શાયરો માટે ‘શયદા એવોર્ડ’ અને વરિષ્ઠ સર્જકો માટે ‘કલાપી એવોર્ડ’. આ પરંપરા ૧૯૯૭થી ચાલુ છે, અને અત્યાર સુધી અનેક ગુજરાતી સર્જકોને આ સન્માન મળ્યું છે. પરંતુ આ વર્ષે એક ઐતિહાસિક ક્ષણ આવી છે – પ્રથમ વખત એક મહિલા સર્જકને આ પુરસ્કાર મળ્યો છે, અને તે છે બીલીમોરાની હર્ષવી પટેલ! આદિત્ય બિરલા સેન્ટરના રાજશ્રી બિરલા જીના હસ્તે હર્ષવીને આ એવોર્ડ, સ્મૃતિ ચિહ્ન, પ્રમાણપત્ર અને પુરસ્કારની રકમથી સન્માનિત કરવામાં આવી ...
ખેરગામ તાલુકાના જામનપાડા ખાતે ઉપવન અને પંચવટી વિકાસ કેન્દ્રના લોકાર્પણ કાર્યક્રમ યોજાયો.
૧૩ મી જાન્યુઆરીનાં દિને ખેરગામ તાલુકાના જામનપાડા ખાતે માઉલી માતા મંદિર પટાંગણમાં વનવિભાગ ગુજરાત સરકાર દ્વારા નવનિર્મિત પવિત્ર ઉપવન અને પંચવટી વિકાસ કેન્દ્રના લોકાર્પણ કાર્યક્રમ માનનીય રાજ્યકક્ષા મંત્રીશ્રી મુકેશભાઈ પટેલ અને ગણદેવી માનનીય ધારાસભ્યશ્રી નરેશભાઈ પટેલ દ્વારા લોકાર્પણ કરવામાં આવ્યું હતું. ઉપસ્થિત સૌ શ્રોતાજનોને પર્યાવરણના જતન થકી સમાજની સેવા કરવા અનુરોધ કર્યો હતો.
આ પ્રસંગે નવસારી જિ.પં. પ્રમુખ શ્રી પરેશભાઈ દેસાઇ, નવસારી જિલ્લા સદસ્ય ભીખુભાઈ આહિર, ખેરગામ તાલુકા પ્રમુખશ્રી રાજેશભાઈ પટેલ તથા અન્ય મહાનુભાવો, અધિકારીગણ અને મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા.
Comments
Post a Comment