નવસારી જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘમાં ખેરગામ તાલુકાના ધર્મેશભાઈ પટેલની સહમંત્રી તરીકે બિન હરીફ વરણી. તારીખ: ૨૮ સપ્ટેમ્બર, ૨૦૨૫ આજના દિવસે નવસારી જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘની ચૂંટણી પ્રક્રિયા દરમિયાન એક ખુશીનાં સમાચાર આવ્યા છે. ખેરગામ તાલુકાના વાડ મુખ્ય શાળાના ઉપ શિક્ષક ધર્મેશભાઈ શુક્કરભાઈ પટેલને સંઘનાં સહમંત્રી તરીકે બિન હરીફ વરણી કરવામાં આવી છે. આ વરણી એક ઐતિહાસિક ક્ષણ છે, જે શિક્ષક સમુદાયની એકતા અને સહમતિનું પ્રતીક છે. નવસારી જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘમાં 1.પ્રમુખ, 2.ઉપપ્રમુખ, 3.મહામંત્રી 4. કોષાધ્યક્ષ 5.ખજાનચી અને 6.સહમંત્રીના પદ માટે ચૂંટણીઓ યોજાઈ રહી છે, જેમાં સહમંત્રી તરીકે ધર્મેશભાઈ પટેલની બિન હરીફ વરણી થઈ છે. જે ખેરગામ તાલુકાના શિક્ષકોએ ધર્મેશભાઈ પટેલને સહમંત્રી પદ માટે સર્વ સંમતિથી પસંદ કર્યા બાદ તેમણે તેમનું સહમંત્રી પદ માટે ઉમેદવારી નોંધાવી હતી. આજે, ૨૮/૦૯/૨૦૨૫ના રોજ, ફોર્મ ચકાસણીની તારીખ હતી. જેમાં ચૂંટણી પંચના હોદ્દેદારોએ ધર્મેશભાઈ પટેલને બિન હરીફ વરણી કરી છે. આ નિર્ણય શિક્ષક વર્ગની અખંડ એકતાને દર્શાવે છે અને ધર્મેશભાઈ પટેલની...
ખેરગામ તાલુકાના જામનપાડા ખાતે ઉપવન અને પંચવટી વિકાસ કેન્દ્રના લોકાર્પણ કાર્યક્રમ યોજાયો.
૧૩ મી જાન્યુઆરીનાં દિને ખેરગામ તાલુકાના જામનપાડા ખાતે માઉલી માતા મંદિર પટાંગણમાં વનવિભાગ ગુજરાત સરકાર દ્વારા નવનિર્મિત પવિત્ર ઉપવન અને પંચવટી વિકાસ કેન્દ્રના લોકાર્પણ કાર્યક્રમ માનનીય રાજ્યકક્ષા મંત્રીશ્રી મુકેશભાઈ પટેલ અને ગણદેવી માનનીય ધારાસભ્યશ્રી નરેશભાઈ પટેલ દ્વારા લોકાર્પણ કરવામાં આવ્યું હતું. ઉપસ્થિત સૌ શ્રોતાજનોને પર્યાવરણના જતન થકી સમાજની સેવા કરવા અનુરોધ કર્યો હતો.
આ પ્રસંગે નવસારી જિ.પં. પ્રમુખ શ્રી પરેશભાઈ દેસાઇ, નવસારી જિલ્લા સદસ્ય ભીખુભાઈ આહિર, ખેરગામ તાલુકા પ્રમુખશ્રી રાજેશભાઈ પટેલ તથા અન્ય મહાનુભાવો, અધિકારીગણ અને મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા.
Comments
Post a Comment