રાષ્ટ્રીય આદિવાસી સાહિત્ય મહોત્સવ 2025 માં ધોડિયા ભાષા અને સંસ્કૃતિનો પડઘો પડ્યો રાષ્ટ્રીય આદિવાસી સાહિત્ય મહોત્સવ - ૨૦૨૫ સ્થાન: કોઝિકોડ (કેરળ) તારીખ: ૨૭ થી ૨૯ માર્ચ કેરળ સરકાર અને કેરળ ઇન્સ્ટિટ્યૂટ ફોર રિસર્ચ ટ્રેનિંગ એન્ડ ડેવલપમેન્ટ સ્ટડીઝ ઓફ શેડ્યુલ્ડ કાસ્ટ્સ એન્ડ શેડ્યુલ્ડ ટ્રાઇબ્સ (KIRTADS) ના સંયુક્ત પ્રયાસથી કોઝિકોડ (કાલિકટ) ખાતે રાષ્ટ્રીય આદિવાસી સાહિત્ય મહોત્સવ 2025નું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રતિષ્ઠિત કાર્યક્રમમાં ભારતના વિવિધ રાજ્યોના સાહિત્યકારો, સંશોધકો અને આદિવાસી સંસ્કૃતિ નિષ્ણાતોએ ભાગ લીધો હતો. ગુજરાતનું પ્રતિનિધિત્વ કરતા, પ્રખ્યાત કવિ-લેખક કુલીન પટેલને આ મહોત્સવમાં આમંત્રણ આપવામાં આવ્યું હતું. પોતાના સંબોધનમાં, તેમણે ધોડિયા આદિવાસી સમુદાયની સમૃદ્ધ ભાષા, સંસ્કૃતિ અને પરંપરાઓ પર પ્રકાશ પાડ્યો. ખાસ કરીને, તેમણે 'કાંસેરી કથા' ની ઐતિહાસિક અને સાંસ્કૃતિક પૃષ્ઠભૂમિની વિગતવાર ચર્ચા કરી, જેણે ઉપસ્થિત વિદ્વાનો અને સાહિત્ય પ્રેમીઓમાં ઊંડો રસ દાખવ્યો. ધોડિયા ભાષા અને સંસ્કૃતિની વિશેષતાઓ કુલીન પટેલે ધોડિયા ભાષામાં પોતાની કવિતાઓ સંભળાવીને શ્રોતાઓને મંત્રમુગ્ધ કરી દીધા....
Khergam: કન્યાશાળા ખેરગામ ખાતે 'રાષ્ટ્રીય વિજ્ઞાન' દિવસની ઉજવણી કરાઇ.
તારીખ : ૨૮-૦૨-૨૦૨૪નાં દિને ખેરગામ કન્યા શાળામાં રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસની ઉજવણી કરાઇ હતી. જેમાં ખેરગામના મહિલા અગ્રણી જિજ્ઞાબેન પટેલના હસ્તે વિજ્ઞાન પ્રદર્શનને ખુલ્લો મુકવામાં આવ્યો હતો.
જેમાં શિક્ષકોના માર્ગદર્શન હેઠળ પ્રાથમિક વિભાગના અને ઉચ્ચત્તર વિભાગના બાળકો દ્વારા વિજ્ઞાનના વિવિધ પ્રયોગોનું નિદર્શન કરવામાં આવ્યું હતું. બાળકો દ્વારા વિજ્ઞાનના વિવિધ રમકડાઓનું નિર્માણ કરવામાં આવ્યાં હતાં. જેનું તેમના દ્વારા રજૂ કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં ખેરગામ ગ્રામ પંચાયતના પૂર્વ સરપંચશ્રી કાર્તિક પટેલ, એસ.એમ.સી.નાં સભ્યો અને શિક્ષકો સહિત બાળકો જોડાયાં હતાં. કન્યા શાળા ખેરગામનાં આચાર્યશ્રી ભરતભાઈ સુથાર દ્વારા ભાગ લીધેલ બાળકોને અભિનંદન પાઠવ્યા હતાં.
Comments
Post a Comment