બીલીમોરાની કવયિત્રી હર્ષવી પટેલને ‘શયદા એવોર્ડ’નું બહુમાન. હર્ષવી પટેલ નવસારી જિલ્લાના ગણદેવી તાલુકામાં HTAT તરીકે ફરજ બજાવે છે. બીલીમોરાની પ્રતિભાશાળી કવયિત્રી હર્ષવી પટેલને મળેલા ‘શયદા એવોર્ડ’ વિશે. આ પુરસ્કાર ગુજરાતી કવિતાના ક્ષેત્રમાં એક મહત્વનું સન્માન છે, અને તેની પાછળની વાર્તા પ્રેરણાદાયી છે. મુંબઈમાં આવેલી વિખ્યાત સંસ્થા ઇન્ડિયન નેશનલ થિયેટર (INT) અને આદિત્ય બિરલા સેન્ટર ફોર પરફોર્મિંગ આર્ટસ દ્વારા પ્રતિવર્ષ સ્વાતંત્ર્ય દિવસની પૂર્વસંધ્યાએ મુશાયરાનું આયોજન કરવામાં આવે છે. આ કાર્યક્રમમાં ગુજરાતી કવિતાના ક્ષેત્રમાં બે પ્રતિષ્ઠિત પુરસ્કારો આપવામાં આવે છે: યુવા શાયરો માટે ‘શયદા એવોર્ડ’ અને વરિષ્ઠ સર્જકો માટે ‘કલાપી એવોર્ડ’. આ પરંપરા ૧૯૯૭થી ચાલુ છે, અને અત્યાર સુધી અનેક ગુજરાતી સર્જકોને આ સન્માન મળ્યું છે. પરંતુ આ વર્ષે એક ઐતિહાસિક ક્ષણ આવી છે – પ્રથમ વખત એક મહિલા સર્જકને આ પુરસ્કાર મળ્યો છે, અને તે છે બીલીમોરાની હર્ષવી પટેલ! આદિત્ય બિરલા સેન્ટરના રાજશ્રી બિરલા જીના હસ્તે હર્ષવીને આ એવોર્ડ, સ્મૃતિ ચિહ્ન, પ્રમાણપત્ર અને પુરસ્કારની રકમથી સન્માનિત કરવામાં આવી ...
આદર્શ નિવાસી શાળામાં વર્ષ-૨૦૨૪-૨૦૨૫માં ધોરણ-૯માં પ્રવેશ મેળવવા પ્રવેશ પરીક્ષા માટે ઓનલાઇન ફોર્મ ભરવા માટેની તારીખ જાહેર.
આદર્શ નિવાસી શાળામાં વર્ષ-૨૦૨૪-૨૦૨૫માં ધોરણ-૯માં પ્રવેશ મેળવવા પ્રવેશ પરીક્ષા માટે ઓનલાઇન ફોર્મ ભરવા માટેની તારીખ જાહેર.
આદિજાતિ વિકાસ વિભાગ ગાંધીનગર સંચાલિત આદર્શ નિવાસી શાળા કુમાર-કન્યા-મિશ્ર) માં ધોરણ-૯ માં પ્રવેશ મેળવવા માટે ઓનલાઈન ફોર્મ ભરવાની પ્રક્રિયા રહેશે.
ઓનલાઈન ફોર્મ ભરવાની તારીખ :- તા. ૨૧/૦૩/૨૦૨૪ (બપોરે ૧૨.૦૦ કલાક) થી તા. ૦૫/૦૪/૨૦૨૪ (સાંજે- ૬.૦૦ કલાક)
ઓનલાઇન ફોર્મ ભરવા માટે official website
https://ans.orpgujarat.com
ઓનલાઈન ફોર્મ ભરવા માટે જરૂરી સૂચનાઓ:
- હાલ વિધાર્થી જે તે શાળામાં ધોરણ -૮ માં અભ્યાસ કરતા હોય તે શાળાના આચાર્યશ્રી પાસેથી
- વિધાર્થીનો ૧૮ આંકડાનો (Student U-DISE Number) મેળવીને ઓનલાઈન ફોર્મ ભરવાનું રહેશે.
- વિધાર્થીઓએ ઓનલાઈન ફોર્મ ભરતી વખતે મનપસંદ શાળા અને પરીક્ષા કેન્દ્ર પસંદ કરવા. • વિધાર્થી એ પાસપોર્ટ સાઇઝનો ફોટો અને સહી (Size-20 KB ) jpg format )નો નમૂનો સાથે રાખવો જે અપલોડ કરવાનો રહેશે.
- ઓનલાઈન ફોર્મ ભર્યા બાદ તે ફોર્મ ની પ્રિન્ટ ડાઉનલોડ કરીને પોતાની પાસે સાચવીને રાખવાની રહેશે.
- ઓનલાઈન ફોર્મ ભર્યા હોય તે જ વિધાર્થીઓએ ઓનલાઈન હોલટીકીટ (પ્રવેશ પત્ર) ડાઉનલોડ કરવાની રહેશે.
- હોલટીકીટ (પ્રવેશ પત્ર ) તારીખ ૨૦/૦૪/૨૦૨૪ પછી ડાઉનલોડ કરી શકાશે.
- હોલટીકીટ (પ્રવેશ પત્ર) ડાઉનલોડ કરવાની વેબસાઇટ: https://ans.orpgujarat.com
- પ્રવેશ પરીક્ષામા ધોરણ - ૮ ના અંગ્રેજી, ગુજરાતી હિન્દી, ગણિત, વિજ્ઞાન તેમજ બુધ્ધીમતા ને લગતા વિષયો માથી કુલ ૧૦૦ માર્ક ના વૈકલ્પિક પ્રશ્નો પુછવામા આવશે.
- પ્રવેશ પરીક્ષાની તારીખ:- તા.૨૮/૦૪/૨૦૨૪ (રવિવાર)
- પરિણામ ની તારીખ: https://ans.orpgujarat.com વેબસાઇટ પર મુકવા મા આવશે.
- ફોર્મ ભરવામા કોઈ મુશ્કેલી જણાય તો નજીક ની આદર્શ નિવાસી શાળાના આચાર્યશ્રીનો સંપર્ક કરવો.

Comments
Post a Comment