બીલીમોરાની કવયિત્રી હર્ષવી પટેલને ‘શયદા એવોર્ડ’નું બહુમાન. હર્ષવી પટેલ નવસારી જિલ્લાના ગણદેવી તાલુકામાં HTAT તરીકે ફરજ બજાવે છે. બીલીમોરાની પ્રતિભાશાળી કવયિત્રી હર્ષવી પટેલને મળેલા ‘શયદા એવોર્ડ’ વિશે. આ પુરસ્કાર ગુજરાતી કવિતાના ક્ષેત્રમાં એક મહત્વનું સન્માન છે, અને તેની પાછળની વાર્તા પ્રેરણાદાયી છે. મુંબઈમાં આવેલી વિખ્યાત સંસ્થા ઇન્ડિયન નેશનલ થિયેટર (INT) અને આદિત્ય બિરલા સેન્ટર ફોર પરફોર્મિંગ આર્ટસ દ્વારા પ્રતિવર્ષ સ્વાતંત્ર્ય દિવસની પૂર્વસંધ્યાએ મુશાયરાનું આયોજન કરવામાં આવે છે. આ કાર્યક્રમમાં ગુજરાતી કવિતાના ક્ષેત્રમાં બે પ્રતિષ્ઠિત પુરસ્કારો આપવામાં આવે છે: યુવા શાયરો માટે ‘શયદા એવોર્ડ’ અને વરિષ્ઠ સર્જકો માટે ‘કલાપી એવોર્ડ’. આ પરંપરા ૧૯૯૭થી ચાલુ છે, અને અત્યાર સુધી અનેક ગુજરાતી સર્જકોને આ સન્માન મળ્યું છે. પરંતુ આ વર્ષે એક ઐતિહાસિક ક્ષણ આવી છે – પ્રથમ વખત એક મહિલા સર્જકને આ પુરસ્કાર મળ્યો છે, અને તે છે બીલીમોરાની હર્ષવી પટેલ! આદિત્ય બિરલા સેન્ટરના રાજશ્રી બિરલા જીના હસ્તે હર્ષવીને આ એવોર્ડ, સ્મૃતિ ચિહ્ન, પ્રમાણપત્ર અને પુરસ્કારની રકમથી સન્માનિત કરવામાં આવી ...
Navsari: નવસારી જિલ્લાની શેઠ આર.જે.જે. માઘ્યમિક શાળામાં મતદાન જાગૃતિ અભિયાન કાર્યક્રમ યોજાયો.
મતદાન જાગૃતિ ઝુંબેશ હેઠળ નાગરિકોને પોસ્ટર ડિઝાઈનના માધ્યમથી પ્રેરક સંદેશો પાઠવતા વિદ્યાર્થીઓ.
લોકસભા સામાન્ય ચૂંટણી ૨૦૨૪ સંદર્ભે નવસારી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સ્વીપ (SVEEP) અભિયાન હેઠળ નવસારી જિલ્લાના મતદારોને જાગૃત કરવા માટે વિવિધ જનજાગૃતિ ઝુંબેશ હાથ ધરવામાં આવી રહી છે . જેમાં આજ રોજ નવસારી જિલ્લાની સર શેઠ આર જે.જે હાઈસ્કુલ શાળામાં મતદાન જાગૃતતા વિષય પર વિધાર્થીઓ દ્વારા પોસ્ટર ડિઝાઈન પ્રવુતિ હાથ ધરવામાં આવી હતી. મતદાન જાગૃતિ ઝુંબેશ હેઠળ વિદ્યાર્થીઓ પોસ્ટર ડિઝાઈન પ્રવૃત્તિ હાથ ધરીને નાગરિકોને પોતાના બહુમૂલ્ય મતાધિકારનો ઉપયોગ કરવા જાગૃત કર્યા હતા.
Comments
Post a Comment