દાતાશ્રી દિનેશભાઈના સહયોગથી વાડ મુખ્ય પ્રાથમિક શાળાના ૨૩૫ વિદ્યાર્થીઓને મફત નોટબુક વિતરણ ખેરગામ, તા. 17 જૂન 2026: શિક્ષણ એ સમાજના વિકાસનો મજબૂત પાયો છે. કોઈ પણ વિદ્યાર્થી આર્થિક સંજોગોના કારણે શિક્ષણથી વંચિત ન રહે તેવા ઉમદા હેતુથી ખેરગામ તાલુકાની વાડ મુખ્ય પ્રાથમિક શાળા ખાતે દાતાશ્રી દિનેશભાઈના સહયોગથી શાળાના તમામ ૨૩૫ વિદ્યાર્થીઓને મફત નોટબુક વિતરણ કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમ દરમિયાન વિદ્યાર્થીઓને અભ્યાસ માટે જરૂરી નોટબુકોનું વિતરણ કરવામાં આવ્યું. આ પ્રસંગે વિદ્યાર્થીઓમાં ઉત્સાહ અને આનંદનો માહોલ જોવા મળ્યો હતો. દાતાશ્રીના આ સેવાકીય યોગદાનને શાળા પરિવાર, વાલીઓ તેમજ ગ્રામજનોએ હૃદયપૂર્વક બિરદાવ્યું હતું. આ કાર્યક્રમમાં તાલુકા પંચાયત સભ્ય ચેતનભાઈ, દત્ત આશ્રમના સંચાલક આદિત્યભાઈ, કુમારી ખુશી તેમજ અન્ય આગેવાનો અને મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. ઉપસ્થિત મહાનુભાવોએ વિદ્યાર્થીઓને મન લગાવી અભ્યાસ કરવા તેમજ શિક્ષણ દ્વારા જીવનમાં આગળ વધવા પ્રેરણા આપી હતી. શાળા પરિવાર દ્વારા દાતાશ્રી દિનેશભાઈ તથા કાર્યક્રમમાં ઉપસ્થિત તમામ મહાનુભાવોના આભાર વ્યક્ત કરવામાં આવ્યા હતા. વિદ્યાર્થીઓના ચહેરા પર ખુશીન...
Navsari: નવસારી જિલ્લાની શેઠ આર.જે.જે. માઘ્યમિક શાળામાં મતદાન જાગૃતિ અભિયાન કાર્યક્રમ યોજાયો.
મતદાન જાગૃતિ ઝુંબેશ હેઠળ નાગરિકોને પોસ્ટર ડિઝાઈનના માધ્યમથી પ્રેરક સંદેશો પાઠવતા વિદ્યાર્થીઓ.
લોકસભા સામાન્ય ચૂંટણી ૨૦૨૪ સંદર્ભે નવસારી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સ્વીપ (SVEEP) અભિયાન હેઠળ નવસારી જિલ્લાના મતદારોને જાગૃત કરવા માટે વિવિધ જનજાગૃતિ ઝુંબેશ હાથ ધરવામાં આવી રહી છે . જેમાં આજ રોજ નવસારી જિલ્લાની સર શેઠ આર જે.જે હાઈસ્કુલ શાળામાં મતદાન જાગૃતતા વિષય પર વિધાર્થીઓ દ્વારા પોસ્ટર ડિઝાઈન પ્રવુતિ હાથ ધરવામાં આવી હતી. મતદાન જાગૃતિ ઝુંબેશ હેઠળ વિદ્યાર્થીઓ પોસ્ટર ડિઝાઈન પ્રવૃત્તિ હાથ ધરીને નાગરિકોને પોતાના બહુમૂલ્ય મતાધિકારનો ઉપયોગ કરવા જાગૃત કર્યા હતા.



Comments
Post a Comment