બીલીમોરાની કવયિત્રી હર્ષવી પટેલને ‘શયદા એવોર્ડ’નું બહુમાન. હર્ષવી પટેલ નવસારી જિલ્લાના ગણદેવી તાલુકામાં HTAT તરીકે ફરજ બજાવે છે. બીલીમોરાની પ્રતિભાશાળી કવયિત્રી હર્ષવી પટેલને મળેલા ‘શયદા એવોર્ડ’ વિશે. આ પુરસ્કાર ગુજરાતી કવિતાના ક્ષેત્રમાં એક મહત્વનું સન્માન છે, અને તેની પાછળની વાર્તા પ્રેરણાદાયી છે. મુંબઈમાં આવેલી વિખ્યાત સંસ્થા ઇન્ડિયન નેશનલ થિયેટર (INT) અને આદિત્ય બિરલા સેન્ટર ફોર પરફોર્મિંગ આર્ટસ દ્વારા પ્રતિવર્ષ સ્વાતંત્ર્ય દિવસની પૂર્વસંધ્યાએ મુશાયરાનું આયોજન કરવામાં આવે છે. આ કાર્યક્રમમાં ગુજરાતી કવિતાના ક્ષેત્રમાં બે પ્રતિષ્ઠિત પુરસ્કારો આપવામાં આવે છે: યુવા શાયરો માટે ‘શયદા એવોર્ડ’ અને વરિષ્ઠ સર્જકો માટે ‘કલાપી એવોર્ડ’. આ પરંપરા ૧૯૯૭થી ચાલુ છે, અને અત્યાર સુધી અનેક ગુજરાતી સર્જકોને આ સન્માન મળ્યું છે. પરંતુ આ વર્ષે એક ઐતિહાસિક ક્ષણ આવી છે – પ્રથમ વખત એક મહિલા સર્જકને આ પુરસ્કાર મળ્યો છે, અને તે છે બીલીમોરાની હર્ષવી પટેલ! આદિત્ય બિરલા સેન્ટરના રાજશ્રી બિરલા જીના હસ્તે હર્ષવીને આ એવોર્ડ, સ્મૃતિ ચિહ્ન, પ્રમાણપત્ર અને પુરસ્કારની રકમથી સન્માનિત કરવામાં આવી ...
Navsari : નવસારી જિલ્લાનાં વાંસદા વિધાનસભા મત વિસ્તારમાં મતદાન જાગૃતિ અન્વયે બાઈક રેલી યોજાઈ.
મતદારોને-મતદાન માટે જાગૃતિ લાવવા હેતુસર આજે મતદાન જાગૃતિ અભિયાન (SVEEP) હેઠળ બાઈક રેલીનું આયોજન વલસાડ લોકસભા મતવિસ્તારમાં આવેલ 177- વાંસદા (અ.જ.જા.) વિધા- નસભા મત વિસ્તારના વાંસદા સ્થિત ગાંધી મેદાનથી બાઈક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. વાંસદા પ્રાંત અધિકારીશ્રી અને મદદનીશ ચૂંટણી અધિકારી ડી. આઇ. પટેલના નેતૃત્વમાં યોજાયેલ બાઈક રેલી ગાંધી મેદાનથી શરૂ થઈ વાંસદાના મુખ્ય માર્ગો પર નીકળી હતી. જેમાં વાંસદાના પ્રાંત તથા તાલુકા કચેરીના કર્મચારીઓ અને શિક્ષકો ઉત્સાહપૂર્વક જોડાયા હતા. આ બાઈક રેલી વાંસદાના મુખ્ય માર્ગો ઉપરથી પસાર થઈને મતદારોને જાગૃત કરતા બેનરો તેમજ સૂત્રોચ્ચાર કરી જૈન મંદિર સહકારી સંઘ થઈને ગાંધી મેદાન ખાતે સમાપન કરવામાં આવી હતી.
Comments
Post a Comment