રાષ્ટ્રીય આદિવાસી સાહિત્ય મહોત્સવ 2025 માં ધોડિયા ભાષા અને સંસ્કૃતિનો પડઘો પડ્યો રાષ્ટ્રીય આદિવાસી સાહિત્ય મહોત્સવ - ૨૦૨૫ સ્થાન: કોઝિકોડ (કેરળ) તારીખ: ૨૭ થી ૨૯ માર્ચ કેરળ સરકાર અને કેરળ ઇન્સ્ટિટ્યૂટ ફોર રિસર્ચ ટ્રેનિંગ એન્ડ ડેવલપમેન્ટ સ્ટડીઝ ઓફ શેડ્યુલ્ડ કાસ્ટ્સ એન્ડ શેડ્યુલ્ડ ટ્રાઇબ્સ (KIRTADS) ના સંયુક્ત પ્રયાસથી કોઝિકોડ (કાલિકટ) ખાતે રાષ્ટ્રીય આદિવાસી સાહિત્ય મહોત્સવ 2025નું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રતિષ્ઠિત કાર્યક્રમમાં ભારતના વિવિધ રાજ્યોના સાહિત્યકારો, સંશોધકો અને આદિવાસી સંસ્કૃતિ નિષ્ણાતોએ ભાગ લીધો હતો. ગુજરાતનું પ્રતિનિધિત્વ કરતા, પ્રખ્યાત કવિ-લેખક કુલીન પટેલને આ મહોત્સવમાં આમંત્રણ આપવામાં આવ્યું હતું. પોતાના સંબોધનમાં, તેમણે ધોડિયા આદિવાસી સમુદાયની સમૃદ્ધ ભાષા, સંસ્કૃતિ અને પરંપરાઓ પર પ્રકાશ પાડ્યો. ખાસ કરીને, તેમણે 'કાંસેરી કથા' ની ઐતિહાસિક અને સાંસ્કૃતિક પૃષ્ઠભૂમિની વિગતવાર ચર્ચા કરી, જેણે ઉપસ્થિત વિદ્વાનો અને સાહિત્ય પ્રેમીઓમાં ઊંડો રસ દાખવ્યો. ધોડિયા ભાષા અને સંસ્કૃતિની વિશેષતાઓ કુલીન પટેલે ધોડિયા ભાષામાં પોતાની કવિતાઓ સંભળાવીને શ્રોતાઓને મંત્રમુગ્ધ કરી દીધા....
Navsari : નવસારી જિલ્લાનાં વાંસદા વિધાનસભા મત વિસ્તારમાં મતદાન જાગૃતિ અન્વયે બાઈક રેલી યોજાઈ.
મતદારોને-મતદાન માટે જાગૃતિ લાવવા હેતુસર આજે મતદાન જાગૃતિ અભિયાન (SVEEP) હેઠળ બાઈક રેલીનું આયોજન વલસાડ લોકસભા મતવિસ્તારમાં આવેલ 177- વાંસદા (અ.જ.જા.) વિધા- નસભા મત વિસ્તારના વાંસદા સ્થિત ગાંધી મેદાનથી બાઈક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. વાંસદા પ્રાંત અધિકારીશ્રી અને મદદનીશ ચૂંટણી અધિકારી ડી. આઇ. પટેલના નેતૃત્વમાં યોજાયેલ બાઈક રેલી ગાંધી મેદાનથી શરૂ થઈ વાંસદાના મુખ્ય માર્ગો પર નીકળી હતી. જેમાં વાંસદાના પ્રાંત તથા તાલુકા કચેરીના કર્મચારીઓ અને શિક્ષકો ઉત્સાહપૂર્વક જોડાયા હતા. આ બાઈક રેલી વાંસદાના મુખ્ય માર્ગો ઉપરથી પસાર થઈને મતદારોને જાગૃત કરતા બેનરો તેમજ સૂત્રોચ્ચાર કરી જૈન મંદિર સહકારી સંઘ થઈને ગાંધી મેદાન ખાતે સમાપન કરવામાં આવી હતી.
Comments
Post a Comment