બીલીમોરાની કવયિત્રી હર્ષવી પટેલને ‘શયદા એવોર્ડ’નું બહુમાન. હર્ષવી પટેલ નવસારી જિલ્લાના ગણદેવી તાલુકામાં HTAT તરીકે ફરજ બજાવે છે. બીલીમોરાની પ્રતિભાશાળી કવયિત્રી હર્ષવી પટેલને મળેલા ‘શયદા એવોર્ડ’ વિશે. આ પુરસ્કાર ગુજરાતી કવિતાના ક્ષેત્રમાં એક મહત્વનું સન્માન છે, અને તેની પાછળની વાર્તા પ્રેરણાદાયી છે. મુંબઈમાં આવેલી વિખ્યાત સંસ્થા ઇન્ડિયન નેશનલ થિયેટર (INT) અને આદિત્ય બિરલા સેન્ટર ફોર પરફોર્મિંગ આર્ટસ દ્વારા પ્રતિવર્ષ સ્વાતંત્ર્ય દિવસની પૂર્વસંધ્યાએ મુશાયરાનું આયોજન કરવામાં આવે છે. આ કાર્યક્રમમાં ગુજરાતી કવિતાના ક્ષેત્રમાં બે પ્રતિષ્ઠિત પુરસ્કારો આપવામાં આવે છે: યુવા શાયરો માટે ‘શયદા એવોર્ડ’ અને વરિષ્ઠ સર્જકો માટે ‘કલાપી એવોર્ડ’. આ પરંપરા ૧૯૯૭થી ચાલુ છે, અને અત્યાર સુધી અનેક ગુજરાતી સર્જકોને આ સન્માન મળ્યું છે. પરંતુ આ વર્ષે એક ઐતિહાસિક ક્ષણ આવી છે – પ્રથમ વખત એક મહિલા સર્જકને આ પુરસ્કાર મળ્યો છે, અને તે છે બીલીમોરાની હર્ષવી પટેલ! આદિત્ય બિરલા સેન્ટરના રાજશ્રી બિરલા જીના હસ્તે હર્ષવીને આ એવોર્ડ, સ્મૃતિ ચિહ્ન, પ્રમાણપત્ર અને પુરસ્કારની રકમથી સન્માનિત કરવામાં આવી ...
Khergam : ખેરગામ ખાખરી ફળિયા શાળામાં કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવ 2024 ઉજવાયો.
તારીખ 27-06-2024નાં દિને ખેરગામ ખાખરી ફળિયા પ્રાથમિક શાળામાં પ્રવેશોત્સવ ખેરગામ તાલુકા વિકાસ અધિકારીશ્રી એમ.પી. વિરાણી સાહેબ અને ગામનાં માહિલા સરપંચ ઝરણાબેન પટેલની ઉપસ્થિતિમાં યોજાયો હતો. જેમાં ઉપસ્થિત મહેમાનોએ શાળામાં પ્રવેશ મેળવી રહેલા નાના બાળકોને પ્રોત્સાહિત કર્યા હતા.ખેરગામ કુમાર શાળા અને કન્યાશાળાનો સંયુક્ત શાળા પ્રવેશોત્સવમાં બાલવાટિકામાં 20 કુમાર અને 18 કન્યાઓને તેમજ ધોરણ-1માં 3 કુમાર અને ૩ કન્યાઓ મળીને 44 બાળકોને શાળામાં પ્રવેશ આપવામાં આવ્યો હતો. તમામ બાળકોને શાળા પરિવાર તરફથી દફતર તથા વિવિધ પ્રકારની કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું.
Comments
Post a Comment