રાષ્ટ્રીય આદિવાસી સાહિત્ય મહોત્સવ 2025 માં ધોડિયા ભાષા અને સંસ્કૃતિનો પડઘો પડ્યો રાષ્ટ્રીય આદિવાસી સાહિત્ય મહોત્સવ - ૨૦૨૫ સ્થાન: કોઝિકોડ (કેરળ) તારીખ: ૨૭ થી ૨૯ માર્ચ કેરળ સરકાર અને કેરળ ઇન્સ્ટિટ્યૂટ ફોર રિસર્ચ ટ્રેનિંગ એન્ડ ડેવલપમેન્ટ સ્ટડીઝ ઓફ શેડ્યુલ્ડ કાસ્ટ્સ એન્ડ શેડ્યુલ્ડ ટ્રાઇબ્સ (KIRTADS) ના સંયુક્ત પ્રયાસથી કોઝિકોડ (કાલિકટ) ખાતે રાષ્ટ્રીય આદિવાસી સાહિત્ય મહોત્સવ 2025નું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રતિષ્ઠિત કાર્યક્રમમાં ભારતના વિવિધ રાજ્યોના સાહિત્યકારો, સંશોધકો અને આદિવાસી સંસ્કૃતિ નિષ્ણાતોએ ભાગ લીધો હતો. ગુજરાતનું પ્રતિનિધિત્વ કરતા, પ્રખ્યાત કવિ-લેખક કુલીન પટેલને આ મહોત્સવમાં આમંત્રણ આપવામાં આવ્યું હતું. પોતાના સંબોધનમાં, તેમણે ધોડિયા આદિવાસી સમુદાયની સમૃદ્ધ ભાષા, સંસ્કૃતિ અને પરંપરાઓ પર પ્રકાશ પાડ્યો. ખાસ કરીને, તેમણે 'કાંસેરી કથા' ની ઐતિહાસિક અને સાંસ્કૃતિક પૃષ્ઠભૂમિની વિગતવાર ચર્ચા કરી, જેણે ઉપસ્થિત વિદ્વાનો અને સાહિત્ય પ્રેમીઓમાં ઊંડો રસ દાખવ્યો. ધોડિયા ભાષા અને સંસ્કૃતિની વિશેષતાઓ કુલીન પટેલે ધોડિયા ભાષામાં પોતાની કવિતાઓ સંભળાવીને શ્રોતાઓને મંત્રમુગ્ધ કરી દીધા....
Khergam: પહાડ ફળિયા પ્રાથમિક શાળા ખેરગામ ખાતે કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ યોજાયો.
તારીખ : 28-06-2024નાં દિને પહાડ ફળિયા પ્રાથમિક શાળા ખેરગામ ખાતે પહાડ ફળિયા અને વેણ ફળિયા પ્રાથમિક શાળાનો સયુંકત કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ યોજાયો હતો.જેમાં મુખ્ય મહેમાન તરીકે શ્રી તેજેન્દ્ર પટેલ પોર્ટ એન્ડ ટ્રાન્સપોર્ટ ડિપાર્ટમેન્ટ ગાંધીનગર સચિવશ્રી તથા શ્રી એ.એમ. પટેલ, ઈનચાર્જ સહાયક પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારીશ્રી નવસારીની ઉપસ્થિતિમાં કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ યોજાયો હતો. બાલવાટિકાનાં 9 બાળકો અને ધોરણ -1 નાં 2 બાળકોને પ્રવેશ આપવામાં આવ્યો હતો.
આ પ્રસંગે બાલવાટિકાનાં બાળકોને વેણ ફળિયાનાં દાતાશ્રી વેસ્તીબેન બાલુભાઈ પટેલ તરફથી સ્વ. બાલુભાઈનાં સ્મરણાર્થે તમામ બાળકોને છત્રી આપવામાં આવી હતી. જ્યારે ભૈરવી ગામના મયુરીબેન ગણેશભાઈ પટેલ તરફથી શૈક્ષણિક કીટ આપવામાં આવી હતી. દાતાશ્રીઓ શાલ ઓઢાડીને સન્માન કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે લાયઝન અઘિકારી ટીનાબેન પટેલ (સી.આર.સી. પાટી), વૈશાલીબેન સોલંકી( સી.આર.સી. પાણીખડક),ગામનાં આગેવાન ચંદુભાઈ પટેલ, ગ્રામ પંચાયતનાં સભ્યશ્રી ઉમેશભાઈ પટેલ, એસ.એમ.સી.નાં અધ્યક્ષ સહિત એસ.એમ.સી.નાં સભ્યો, શાળા પરિવારમાં શાળાનાં આચાર્યશ્રી બબીતાબેન, ઉપશિક્ષકશ્રી ધર્મેશભાઇ પટેલ, ઉપશિક્ષિકા નિલમબેન પટેલ, આંગણવાડીનાં કર્મચારીઓ, વાલીઓ અને ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
Comments
Post a Comment