Skip to main content

KHERGAM BRC KALA UTSAV NEWS : નવસારી જિલ્લાનાં ખેરગામ તાલુકામા બીઆરસી કક્ષાનો કલા ઉત્સવ યોજાયો:

 KHERGAM BRC KALA UTSAV  NEWS : નવસારી જિલ્લાનાં  ખેરગામ તાલુકામા બીઆરસી કક્ષાનો કલા ઉત્સવ યોજાયો: ખેરગામ: તા: ૨૪: જી.સી.ઈ.આર.ટી. ગાંધીનગર પ્રેરિત તેમજ જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન-નવસારી સંચાલિત અને ખેરગામ બી.આર.સી દ્વારા આયોજીત "ગરવી ગુજરાત" થીમ આધારીત તાલુકા કક્ષાનો કલા ઉત્સવ તારીખ ૨૪મી સપ્ટેમ્બરના રોજ ઉજવાયો હતો.  જેમાં બાળ કવિ સ્પર્ધા, સંગીત ગાયન સ્પર્ધા, ચિત્ર સ્પર્ધા અને સંગીત વાદન સ્પર્ધા જેવી સ્પર્ધાઓ યોજવામા આવી હતી. આ દરેક સ્પર્ધામા તાલુકાના અલગ-અલગ 7 કલસ્ટર પૈકી અલગ અલગ શાળામાંથી કુલ  28 કલાપ્રેમી બાળકોએ ભાગ લીધો હતો.   જેમાં  ચિત્ર સ્પર્ધામાં   બહેજ પ્રાથમિક શાળાની વિદ્યાર્થિની  ઉન્નતિ પટેલ  પ્રથમ ક્રમાંક, ખેરગામ કન્યા શાળાની વિદ્યાર્થિની નિયતિ પટેલ દ્વિતીય ક્રમાંક અને નાંધઈ પ્રાથમિક શાળાની વિદ્યાર્થિની ધૃવી પટેલ તૃતિય ક્રમાંક,  બાળ કવિ સ્પર્ધામાં  નાંધઈ પ્રાથમિક શાળાની વિદ્યાર્થિની  ઈશા પટેલ  પ્રથમ ક્રમાંક, વાડ ઉતાર ફળીયા પ્રાથમિક શાળાની વિદ્યાર્થિની દિવ્યા આહીર દ્વિતીય ક્રમાંક અને મંદિર ફળીયા પ્રાથમિક શાળા (આછવણી)ની ટ્વિંકલ પટેલ તૃતિય ક્રમાંક,  સંગીત ગાયન સ્પર્ધ

નાનાં પોંઢા : ભગવાન બીરસા મુંડાનું સ્ટેચ્યુ નાનાપોંઢા સર્કલ ઉપર મૂકવા અંગે આદિવાસી સમાજની મીટીંગનું આયોજન કરાયું.

  નાનાં પોંઢા : ભગવાન બીરસા મુંડાનું સ્ટેચ્યુ નાનાપોંઢા સર્કલ ઉપર મૂકવા અંગે આદિવાસી સમાજની મીટીંગનું આયોજન કરાયું.

      નવમી ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસ અંતર્ગત નાનાપોંઢાના ચાર રસ્તા સર્કલ ઉપર ભગવાન બિરસા મુંડા નું સ્ટેચ્યુ મૂકવા અંગે આજ રોજ નાનાપોંઢા ગ્રામપંચાયત હોલ ખાતે મીટીંગ નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં કપરાડા તાલુકાનાં ધારાસભ્યશ્રી જીતુભાઈ ચૌધરી, શ્રી રમેશભાઈ ગાંવિત, નાનાપોંઢા ગામના પ્રથમ નાગરિક સરપંચ શ્રી મુકેશભાઈ પટેલ તેમજ ધરમપુર તાલુકાના આદિવાસી એકતા પરિષદનાં સક્રિય કાર્યકર્તા એવાં કમલેશભાઈ પટેલ કપરાડા તાલુકાના આદિવાસી એક્તા પરિષદનાં સક્રિય કાર્યકર્તા એવાં ડૉ દિનેશભાઇ ખાંડવી, ગમનભાઈ ગાંવિત, મનાલા ગામ ના સરપંચ શ્રી જયેન્દ્રભાઈ ગાંવિત , નાનાપોંઢા ગામના તેમજ કપરાડા તાલુકાના જુદા જુદા ગામના સરપંચશ્રીઓ તેમજ તમામ આદિવાસી સમાજ ના મિત્રો આજ ની મિટિંગમાં ઉપસ્થિત રહ્યા હતા.

     સૌ પ્રથમ રમેશભાઈ ગાંવિત દ્વારા પ્રાસંગિક ઉદબોધન કરવામાં આવ્યું જેમાં નાનાપોંઢા સર્કલ ઉપર ભગવાન બિરસા મુંડા સર્કલ નામાભિધાન સાથે સ્ટેચ્યુ મૂકવા સબંધી વાતો કરવામાં આવી સાથે સાથે સૌ કપરાડા તાલુકા ના નવયુવાનો ને રાજકીય પક્ષા પક્ષી ભૂલી માત્ર નવમી ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસ ખૂબ ધામ ધૂમથી મનાવવા હાકલ કરી હતી.

     કપરાડા તાલુકાના ધારાસભ્યશ્રી જીતુભાઈ ચૌધરી દ્વારા આયોજિત આ મિટિંગમાં ધારાસભ્યશ્રી જીતુભાઈ ચૌધરી એ પણ એમના પ્રાંગિક પ્રવચનમાં ખૂબજ વિનમ્ર ભાવે કપરાડા તાલુકાના આદિવાસી સમાજના અગ્રણીઓને રાજકીય પક્ષ ભાજપ,કોંગ્રેસ ,આમઆદમી જેવા ભેદો ભૂલી સમાજ ને આદિવાસી સમાજ સંસ્કૃતિ બચાવવા આગળ આવવા હાકલ કરી હતી તેમજ આ બિરસા  ભગવાન ની મૂર્તિ કોઈ એક માણસના યોગદાનથી નહિ પણ સમગ્ર કપરાડા તાલુકાના આદિવાસી સમાજ ના ભાઈઓ બહેનો યોગદાન આપે અને આ સમાજ ના કાર્યક્રમ માં ભાગ લેવા અપીલ કરી હતી. તેમજ આદિવાસી સંસ્કૃતિ બચાવવાની કોશિશ સાથે સાથે આદિવાસી બોલી ભાષા પણ જાળવવા અપીલ કરી હતી.

     ધરમપુર તાલુકાના આદિવાસી સમાજના અગ્રણી કાર્યકર એવા કમલેશભાઈ પટેલ દ્વારા પણ પાયામાં રહી જે કામ કરવામાં આવ્યુ જેની ફલશ્રુતિ રૂપે આજે વટવૃક્ષ રૂપે આ જનઆંદોલન સ્વરૂપે નવમી ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસ મનાવવા માટે યુનો દ્વારા નક્કી કરવામાં આવ્યું જેના થકી આજે આપણ સૌ આજે આપણે આ ઉત્સવ મનાવી રહ્યા છે. જેની ભૂમિકામાં આદિવાસી નવ યુવાનોની વિશેષ જવાબદારી સાથે વિશેષ ભાગીદારી જરૂરી છે તે અંગે વિશેષ જાગૃતિ લાવવા પ્રયાસ કરવા સાથે આવનારી પેઢી ને આદિવાસી જીવન જીવવાની પ્રણાલી કેવી સુંદર છે તે અંગે વિશેષ વાત કરી.

      આદિવાસી એકતા પરિષદનાં નાં સંનિષ્ઠ કાર્યકર એવા ડૉ દિનેશભાઇ ખાંડવી એ ભગવાન બિરસા મુંડા ના જીવન વિશે જણાવતાં કહ્યું હતું કે ભગવાન બીરસા મુંડા નો જન્મ પ્રકૃતિ નાં કોઈ અગમ્ય અલોકિક સંકેત સાથે ૧૫મી નવેમ્બર ૧૮૭૫ માં ઝારખંડ રાજ્યમાં રાંચી નજીક આવેલા ઉલિહાતું ગામ ખુંટીમાં પિતાશ્રી સુગના મુંડા અને માતા કરમી હાતું ને ત્યાં થયો હતો એમનો જન્મ આદિવાસી હિત માટે તેમણે કરેલાં સંઘર્ષ ની ખૂબજ સુંદર અને અસરકારક અને ધારદાર શૈલી માં પ્રાસંગિક પ્રવચન આપ્યું હતું. આદિવાસી સમાજના  ગૌરવવંતી ઈતિહાસ ની વાતો આદિવાસી ક્રાંતિવીર એવાં તંત્યા મામાં, બાબુરાવ શેરડમાર્કે, જેવા નું યોગદાન તેમજ યુનો દ્વારા ઘોષિત કરવામાં આવેલ વિશ્વ આદિવાસી દિવસ માં આદિવાસી સમાજ નું યોગદાન, સંસ્કૃતિ બચાવવા આદિવાસી સમાજ માં જન્મ લેવો પડે એવું નસીબ કોઈ અન્ય સમાજ નાં વ્યક્તી ને નથી મળતું જેવી ખૂબજ હૃદય સ્પર્શી વાતો વણી લઈ પ્રવચન આપ્યું હતું.

મનાલા નાં સરપંચશ્રી જયેન્દ્રભાઇ ગાંવિત એ પણ નવયુવાનો એ નવમી ઓગસ્ટ વિશ્વ આદિવાસી નિમિતે જે નાનાપોંઢામાં ભગવાન બીરસા મુંડા નું સ્ટેચ્યુ મૂકવા અંગે નાં વિચારો રજૂ થયા તે અંગે ખુશી અને આનંદ દર્શાવ્યો હતો.અને આ સંગઠ્ઠન નાં કાર્યમાં સૌ સહકાર આપશે તેની શુભેચ્છા પાઠવી હતી.

      અંતમાં ૯મી ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસ નું આયોજન સુથારપાડા ખાતે પણ એક વર્ષ અગાઉ થી કરવામાં આવ્યું છે. જેને પણ ખૂબ આનંદ ઉત્સાહ સાથે વધાવી લઈ સમાજ ના લોકો ની પડખે રહી એક સાથે આવનારી પેઢીને સમજવામાં અને સમજાવવામાં બંને પોગ્રામો સફળ બને એવા વિનમ્ર પ્રયાસ સાથે બંને પોગ્રામો આદિવાસી સમાજ ના છે એવા ભાવ સાથે સાથ સહકાર આપવા સૌ આદિવાસી સમાજના મિત્રો ને નમ્ર અપીલ સાથે મીટીંગ નું સમાપન કરવામાં આવ્યું..

                                                                                                         

Comments

Popular posts from this blog

Khergam, Pati vidyamandir Madhamik school news : પાટીની ગીતા મંદિર શાળાનું પ્રોત્સાહક પરિણામ

       Khergam, Pati vidyamandir Madhamik school news : પાટીની ગીતા મંદિર શાળાનું પ્રોત્સાહક પરિણામ ખેરગામનાં પાટી ગામની ગીતા મંદિર માધ્યમિક શાળા ધો.૧૦ બોર્ડનું ૮૯.૧૮ પરિણામ સાથે શાળામાં ગવળી  હેમાંગીની શૈલેષભાઈ ૭૬.૩૩ટકા સાથે પ્રથમ અને નાયકા રીયાબેન અમ્રતભાઈ ૭૬ટકા સાથે દ્વિતિય અને પટેલ દિયાન્સીબેન શૈલેષભાઈ ૭૪.૩૩ ટકા સાથે તૃતિય નંબર પ્રાપ્ત કર્યો હતો . ધો.૧૨ બોર્ડનું પરિણામ ૮૮.૬૭ ટકા સાથે શાળામાં  પ્રથમ ૭૮.૭૧ટકા સાથે ગાયકવાડ માયાબેન સિતારામભાઈ પ્રથમ  ચૌધરી સ્વાતીબેન સુરેશભાઈ ૭૮.૨૮ સાથે દ્વિતિય અને જાદવ શેતલબેન દિપકભાઈ ૭૬.૮પટકા સાથે તૃતિય ક્રમે આવ્યા છે.   શાળા શ્રેષ્ઠ પરિણામથી સમગ્ર શાળામાં અને પાટી ગ્રામજનોમાં આનંદ ઉલ્લાસનો માહોલ સર્જાયો છે. આ સફળતા મેળવવા બદલ તમામ વિદ્યાર્થીઓ તથા શિક્ષકમિત્રો અને નવ નિયુક્ત શાળાના સુકાની રાકેશકુમાર બી પટેલ ને તમામ ગ્રામજનોએ સરપંચ તથા શાળા સંચાલક મંડળના પ્રમુખ વાલજીભાઈ આર. સોલંકી સાથે શુભેચ્છા પાઠવી હતી.

NAVSARI (AB SCHOOL): નવસારીની એબી સ્કૂલમાં અભ્યાસ કરતી ધોડિયા સમાજની દિકરી ઋષિતા ઉમેશભાઈ પટેલ સમગ્ર રાજ્યમાં અને નવસારી જિલ્લામાં ટોપ ટેનમાં સ્થાન પ્રાપ્ત કર્યું.

                NAVSARI (AB SCHOOL): નવસારીની એબી સ્કૂલમાં અભ્યાસ કરતી ધોડિયા સમાજની દિકરી ઋષિતા ઉમેશભાઈ પટેલ સમગ્ર રાજ્યમાં અને નવસારી જિલ્લામાં ટોપ ટેનમાં સ્થાન પ્રાપ્ત કર્યું. નવસારીના ૪૭, સાંઈ ગાર્ડન  સોસાઈટી એરૂનાં રહેવાસી અને નવસારીમાં પોલીસ કોન્સ્ટેબલની ફરજ બજાવતા ઉમેશભાઈ મંગુભાઇ પટેલ અને ટીનાબેન પટેલની દિકરી ઋષિતા નવસારીની એ બી સ્કૂલમાં અભ્યાસ કરે છે. અભ્યાસમાં હોંશિયાર દિકરી ઋષિતાએ ધોરણ -૧૦ની પરીક્ષામાં  રાજ્ય અને નવસારી જિલ્લામાં ટોપ ટેનમા સ્થાન મેળવી સમસ્ત આદિવાસી ધોડિયા સમાજ અને વતનનું નામ રોશન કર્યું છે. સમસ્ત આદિવાસી ધોડિયા સમાજ વતી દીકરીને હાર્દિક શુભકામનાઓ. નવસારી જિલ્લામાં ધો. ૧૦ની પરીક્ષામાં એ-૧ ગ્રેડ પ્રાપ્ત કરનાર ૫૭૬ વિદ્યાર્થીઓ પૈકી ૨૧૧ એ.બી. સ્કૂલના વિદ્યાર્થીઓ છે. ધો. ૧૨ની જેમ એ.બી. સ્કૂલે ધો. ૧૦ની પરીક્ષામાં પણ પોતાનો દબદબો જાળવી રાખ્યો હતો. એ.બી. સ્કૂલની  વિદ્યાર્થીની અને    ઋષિતા ઉમેશ પટેલે ૬૦૦માંથી ૫૯૨ ગુણ સાથે ૯૮.૬૭ ટકા મેળવી સમગ્ર રાજ્યમાં અને નવસારી જિલ્લામાં ટોપ ટેનમાં સ્થાન પ્રાપ્ત કર્યું છે.   જ્યારે શાળાના ૨૩૫ વિદ્યાર્થીઓ એ-૨ ગ્રેડમાં આવ્યા છે. નવસારીન

ધોડીયા ભાષા સમિતિ દ્વારા માતૃભાષા દિવસની પોતિકી ભાષાના સથવારે ઉજવણી.

        ધોડીયા ભાષા સમિતિ દ્વારા માતૃભાષા દિવસની પોતિકી ભાષાના સથવારે ઉજવણી. માઁના ખોળેથી પ્રાપ્ત થયેલી ભાષા તે માતૃભાષા. એટલે જ કહેવાય છે કે માઁ, માતૃભાષા અને માતૃભૂમિનો અન્ય કોઈ પર્યાય નથી હોતો. દુનિયાની દરેક ભાષાએ કોઈકને કોઈકની માતૃભાષા હોય છે. એ દરેક ભાષાને યોગ્ય સન્માન મળે અને બધી જ ભાષાઓ જળવાઈ રહે તે હેતુસર વિશ્વ માતૃભાષા દિવસ વર્ષ 1999થી ઉજવાઈ રહ્યો છે. 21 ફેબ્રુઆરીએ વૈશ્વિક સ્તરે માતૃભાષા દિવસ ઉજવવાનું યુનેસ્કો દ્વારા નક્કી કરાયેલ તે અનુસંધાને ભારત સહિત સમગ્ર દુનિયામાં ઉજવણી કરાઈ એ ઘડીએ ધોડીયા ભાષા સમિતિ, અનાવલ દ્વારા વિશ્વ માતૃભાષા દિવસની વર્ચ્યુઅલ ઉજવણી ધોડીઆ ભાષામાં કાર્યક્રમ યોજીને કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં ધોડીઆ ભાષકોમાંથી શિક્ષકો, ડોક્ટરો, ઈજનેરો, સાહિત્ય ક્ષેત્રે કાર્યરત કલમ કસબીઓ સહિતના ભાષા રસિક ભાઈઓ બહેનો મોટી સંખ્યામાં જોડાયા હતા.  નેશનલ બુક ટ્રસ્ટ, નવી દિલ્હીના ગુજરાતી વિભાગના વડા ભાગ્યેન્દ્ર પટેલની વિશેષ હાજરી સાથે કાર્યક્રમ પ્રારંભે ખંભાત ખાતે શિક્ષક તરીકે સેવા આપતા સી.સી.પટેલે ધોડીઆ ભાષા જતન અને સંવર્ધન વિશેના વિચારો રજૂ કરતાં માતૃભાષા જીવંત રાખવા માટે શિક્