Skip to main content

નવસારી જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘમાં ખેરગામ તાલુકાના ધર્મેશભાઈ પટેલની સહમંત્રી તરીકે બિન હરીફ વરણી.

     નવસારી જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘમાં ખેરગામ તાલુકાના ધર્મેશભાઈ પટેલની સહમંત્રી તરીકે બિન હરીફ વરણી. તારીખ: ૨૮ સપ્ટેમ્બર, ૨૦૨૫ આજના દિવસે નવસારી જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘની ચૂંટણી પ્રક્રિયા દરમિયાન એક ખુશીનાં સમાચાર આવ્યા છે. ખેરગામ તાલુકાના વાડ મુખ્ય શાળાના ઉપ શિક્ષક ધર્મેશભાઈ શુક્કરભાઈ પટેલને સંઘનાં સહમંત્રી તરીકે બિન હરીફ વરણી કરવામાં આવી છે. આ વરણી એક ઐતિહાસિક ક્ષણ છે, જે શિક્ષક સમુદાયની એકતા અને સહમતિનું પ્રતીક છે. નવસારી જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘમાં 1.પ્રમુખ, 2.ઉપપ્રમુખ, 3.મહામંત્રી 4. કોષાધ્યક્ષ 5.ખજાનચી અને 6.સહમંત્રીના પદ  માટે ચૂંટણીઓ યોજાઈ રહી છે, જેમાં સહમંત્રી તરીકે ધર્મેશભાઈ પટેલની બિન હરીફ વરણી થઈ છે. જે ખેરગામ તાલુકાના શિક્ષકોએ  ધર્મેશભાઈ પટેલને સહમંત્રી પદ માટે સર્વ સંમતિથી પસંદ  કર્યા બાદ તેમણે તેમનું સહમંત્રી પદ માટે ઉમેદવારી નોંધાવી હતી. આજે, ૨૮/૦૯/૨૦૨૫ના રોજ, ફોર્મ ચકાસણીની તારીખ હતી. જેમાં  ચૂંટણી પંચના હોદ્દેદારોએ ધર્મેશભાઈ પટેલને બિન હરીફ વરણી કરી  છે. આ નિર્ણય શિક્ષક વર્ગની અખંડ એકતાને દર્શાવે છે અને ધર્મેશભાઈ પટેલની...

નાનાં પોંઢા : ભગવાન બીરસા મુંડાનું સ્ટેચ્યુ નાનાપોંઢા સર્કલ ઉપર મૂકવા અંગે આદિવાસી સમાજની મીટીંગનું આયોજન કરાયું.

  નાનાં પોંઢા : ભગવાન બીરસા મુંડાનું સ્ટેચ્યુ નાનાપોંઢા સર્કલ ઉપર મૂકવા અંગે આદિવાસી સમાજની મીટીંગનું આયોજન કરાયું.

      નવમી ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસ અંતર્ગત નાનાપોંઢાના ચાર રસ્તા સર્કલ ઉપર ભગવાન બિરસા મુંડા નું સ્ટેચ્યુ મૂકવા અંગે આજ રોજ નાનાપોંઢા ગ્રામપંચાયત હોલ ખાતે મીટીંગ નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં કપરાડા તાલુકાનાં ધારાસભ્યશ્રી જીતુભાઈ ચૌધરી, શ્રી રમેશભાઈ ગાંવિત, નાનાપોંઢા ગામના પ્રથમ નાગરિક સરપંચ શ્રી મુકેશભાઈ પટેલ તેમજ ધરમપુર તાલુકાના આદિવાસી એકતા પરિષદનાં સક્રિય કાર્યકર્તા એવાં કમલેશભાઈ પટેલ કપરાડા તાલુકાના આદિવાસી એક્તા પરિષદનાં સક્રિય કાર્યકર્તા એવાં ડૉ દિનેશભાઇ ખાંડવી, ગમનભાઈ ગાંવિત, મનાલા ગામ ના સરપંચ શ્રી જયેન્દ્રભાઈ ગાંવિત , નાનાપોંઢા ગામના તેમજ કપરાડા તાલુકાના જુદા જુદા ગામના સરપંચશ્રીઓ તેમજ તમામ આદિવાસી સમાજ ના મિત્રો આજ ની મિટિંગમાં ઉપસ્થિત રહ્યા હતા.

     સૌ પ્રથમ રમેશભાઈ ગાંવિત દ્વારા પ્રાસંગિક ઉદબોધન કરવામાં આવ્યું જેમાં નાનાપોંઢા સર્કલ ઉપર ભગવાન બિરસા મુંડા સર્કલ નામાભિધાન સાથે સ્ટેચ્યુ મૂકવા સબંધી વાતો કરવામાં આવી સાથે સાથે સૌ કપરાડા તાલુકા ના નવયુવાનો ને રાજકીય પક્ષા પક્ષી ભૂલી માત્ર નવમી ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસ ખૂબ ધામ ધૂમથી મનાવવા હાકલ કરી હતી.

     કપરાડા તાલુકાના ધારાસભ્યશ્રી જીતુભાઈ ચૌધરી દ્વારા આયોજિત આ મિટિંગમાં ધારાસભ્યશ્રી જીતુભાઈ ચૌધરી એ પણ એમના પ્રાંગિક પ્રવચનમાં ખૂબજ વિનમ્ર ભાવે કપરાડા તાલુકાના આદિવાસી સમાજના અગ્રણીઓને રાજકીય પક્ષ ભાજપ,કોંગ્રેસ ,આમઆદમી જેવા ભેદો ભૂલી સમાજ ને આદિવાસી સમાજ સંસ્કૃતિ બચાવવા આગળ આવવા હાકલ કરી હતી તેમજ આ બિરસા  ભગવાન ની મૂર્તિ કોઈ એક માણસના યોગદાનથી નહિ પણ સમગ્ર કપરાડા તાલુકાના આદિવાસી સમાજ ના ભાઈઓ બહેનો યોગદાન આપે અને આ સમાજ ના કાર્યક્રમ માં ભાગ લેવા અપીલ કરી હતી. તેમજ આદિવાસી સંસ્કૃતિ બચાવવાની કોશિશ સાથે સાથે આદિવાસી બોલી ભાષા પણ જાળવવા અપીલ કરી હતી.

     ધરમપુર તાલુકાના આદિવાસી સમાજના અગ્રણી કાર્યકર એવા કમલેશભાઈ પટેલ દ્વારા પણ પાયામાં રહી જે કામ કરવામાં આવ્યુ જેની ફલશ્રુતિ રૂપે આજે વટવૃક્ષ રૂપે આ જનઆંદોલન સ્વરૂપે નવમી ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસ મનાવવા માટે યુનો દ્વારા નક્કી કરવામાં આવ્યું જેના થકી આજે આપણ સૌ આજે આપણે આ ઉત્સવ મનાવી રહ્યા છે. જેની ભૂમિકામાં આદિવાસી નવ યુવાનોની વિશેષ જવાબદારી સાથે વિશેષ ભાગીદારી જરૂરી છે તે અંગે વિશેષ જાગૃતિ લાવવા પ્રયાસ કરવા સાથે આવનારી પેઢી ને આદિવાસી જીવન જીવવાની પ્રણાલી કેવી સુંદર છે તે અંગે વિશેષ વાત કરી.

      આદિવાસી એકતા પરિષદનાં નાં સંનિષ્ઠ કાર્યકર એવા ડૉ દિનેશભાઇ ખાંડવી એ ભગવાન બિરસા મુંડા ના જીવન વિશે જણાવતાં કહ્યું હતું કે ભગવાન બીરસા મુંડા નો જન્મ પ્રકૃતિ નાં કોઈ અગમ્ય અલોકિક સંકેત સાથે ૧૫મી નવેમ્બર ૧૮૭૫ માં ઝારખંડ રાજ્યમાં રાંચી નજીક આવેલા ઉલિહાતું ગામ ખુંટીમાં પિતાશ્રી સુગના મુંડા અને માતા કરમી હાતું ને ત્યાં થયો હતો એમનો જન્મ આદિવાસી હિત માટે તેમણે કરેલાં સંઘર્ષ ની ખૂબજ સુંદર અને અસરકારક અને ધારદાર શૈલી માં પ્રાસંગિક પ્રવચન આપ્યું હતું. આદિવાસી સમાજના  ગૌરવવંતી ઈતિહાસ ની વાતો આદિવાસી ક્રાંતિવીર એવાં તંત્યા મામાં, બાબુરાવ શેરડમાર્કે, જેવા નું યોગદાન તેમજ યુનો દ્વારા ઘોષિત કરવામાં આવેલ વિશ્વ આદિવાસી દિવસ માં આદિવાસી સમાજ નું યોગદાન, સંસ્કૃતિ બચાવવા આદિવાસી સમાજ માં જન્મ લેવો પડે એવું નસીબ કોઈ અન્ય સમાજ નાં વ્યક્તી ને નથી મળતું જેવી ખૂબજ હૃદય સ્પર્શી વાતો વણી લઈ પ્રવચન આપ્યું હતું.

મનાલા નાં સરપંચશ્રી જયેન્દ્રભાઇ ગાંવિત એ પણ નવયુવાનો એ નવમી ઓગસ્ટ વિશ્વ આદિવાસી નિમિતે જે નાનાપોંઢામાં ભગવાન બીરસા મુંડા નું સ્ટેચ્યુ મૂકવા અંગે નાં વિચારો રજૂ થયા તે અંગે ખુશી અને આનંદ દર્શાવ્યો હતો.અને આ સંગઠ્ઠન નાં કાર્યમાં સૌ સહકાર આપશે તેની શુભેચ્છા પાઠવી હતી.

      અંતમાં ૯મી ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસ નું આયોજન સુથારપાડા ખાતે પણ એક વર્ષ અગાઉ થી કરવામાં આવ્યું છે. જેને પણ ખૂબ આનંદ ઉત્સાહ સાથે વધાવી લઈ સમાજ ના લોકો ની પડખે રહી એક સાથે આવનારી પેઢીને સમજવામાં અને સમજાવવામાં બંને પોગ્રામો સફળ બને એવા વિનમ્ર પ્રયાસ સાથે બંને પોગ્રામો આદિવાસી સમાજ ના છે એવા ભાવ સાથે સાથ સહકાર આપવા સૌ આદિવાસી સમાજના મિત્રો ને નમ્ર અપીલ સાથે મીટીંગ નું સમાપન કરવામાં આવ્યું..

                                                                                                         

Comments

Popular posts from this blog

Navsari, vansda (keliya school) : ૫૦૦ વર્ષ જૂના સિક્કાઓની મદદથી ઇતિહાસનું શિક્ષણ પીરસતો અનોખો શિક્ષક.

    Navsari, vansda (keliya school) : ૫૦૦ વર્ષ જૂના સિક્કાઓની મદદથી ઇતિહાસનું શિક્ષણ પીરસતો અનોખો શિક્ષક. આજે વાત કરી રહ્યા છીએ એક સામાજિક વિજ્ઞાન ભણાવતા શિક્ષક શ્રી હેમંતભાઈ પટેલની. તેઓ ચીખલી તાલુકાનાં આમઘરા ગામના વતની છે. તેમણે સૌ પ્રથમ નોકરીની શરૂઆત સુરત જિલ્લાથી કરી હતી ત્યાર બાદ જિલ્લાફેરથી કેલીયા પ્રાથમિક શાળામાં હાજર થઈ આચાર્યનો પદભાર સંભાળ્યો હતો. જેઓ સમાજિક વિજ્ઞાનમાં અવનવી પદ્ધતિઓથી બાળકોને અભ્યાસ કરાવે છે. તેમની પાસે ૧૦૦થી વધુ વનસ્પતિના બીજ સંગ્રહ ધરાવતી બીજબેંક છે. તેમજ તેમની પાસે દેશ - વિદેશના જૂના ૩૬૨ જેટલાં ચલણી સિક્કાઓ સંગ્રહ કર્યા છે. ૫૦૦ વર્ષ જૂના સિક્કાઓની મદદથી શિક્ષણ :  ભારતીય ચલણમાં હાલમાં ટેકનોલોજીનો સમન્વય થતા ડિજિટલ કરન્સીની બોલબાલા છે. પરંતુ વર્ષો અગાઉ રાજા રજવાડાના જમાનામાં ચલણમાં સિક્કાઓ વપરાતા હતાં. આ સિક્કાઓથી આજની પેઢી અવગત થાય તે માટે વાંસદા તાલુકાના કેલીયા ગામના એક શિક્ષક હેમંતભાઈ પટેલે ઈ.સ. 500 થી લઇ 2024 સુધીના દેશ-વિદેશના 362 દુર્લભ ચલણી સિક્કાઓનો ખજાનો સંગ્રહ કર્યો છે. સામાજિક વિજ્ઞાન બાળકો માટે રસપ્રદ બને તથા ઉત્સુકતા જાગે તેવા હેતુથી...

ડૉ. રીટાબહેન પટેલ: આદિવાસી સમાજનું ગૌરવ અને નેતૃત્વનું શ્રેષ્ઠ ઉદાહરણ.

   ડૉ. રીટાબહેન પટેલ: આદિવાસી સમાજનું ગૌરવ અને નેતૃત્વનું શ્રેષ્ઠ ઉદાહરણ. ડૉ. રીટાબહેન પટેલે ચંદીગઢ ખાતે IG (Inspector General) તરીકે ચાર્જ સંભાળી, Gujaratના આદિવાસી સમાજ અને ધોડિયા સમાજ માટે ગૌરવનું પાનું લખ્યું છે. નવસારી જિલ્લાના ટાંકલ ગામના મૂળ રહેવાસી એવા રીટાબહેનની સિદ્ધિઓ સમગ્ર સમાજ માટે પ્રેરણાત્મક છે. રીટાબહેનના પિતા ડૉ. ગંભીરભાઇ ધોડિયા સમાજના પ્રથમ તબીબ હતા, અને માતા સ્વ. અરૂણાબહેન Gujaratની પ્રથમ મહિલા ધારાસભ્ય બનીને સમાજ માટે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. પરિવારના આ મજબૂત ધોરણો પર ચાલતા, રીટાબહેનને શિક્ષણ અને સેવામાં મહત્વ આપીને દેશસેવામાં ફાળો આપવાનું મિશન બનાવ્યું. ડૉ. રીટાબહેન ITBP (Indo-Tibetan Border Police) ના પેરા મિલેટરી ફોર્સમાં મેડિકલ વિભાગમાં જોડાયા હતા, જ્યાં તેઓએ કંપની કમાંડર (મેડિકલ) તરીકે અનેક મહત્વપૂર્ણ કામગીરી સંભાળી. તેઓએ પોતાની ફરજ દરમ્યાન અસાધારણ સિદ્ધિઓ હાંસલ કરી અને અનેક મેડલ મેળવીને સમાજ અને પરિવારનું મસ્તક ઊંચું કર્યું. ગુજરાતનું ગૌરવ- આદિવાસી સમાજનું અનમોલ “નારીરત્ન”* - મૂળ નવસારીના ટાંકલ ગામના ર્ડા. રીટાબહેન પટેલે IG તરીકે ચંદીગઢ ખાતે ચાર્જ ...

Navsari: નવસારી જિલ્લાના શિક્ષકોની આંતર તાલુકા ક્રિકેટ ટુર્નામેન્ટ સંજય ફાર્મ ક્રિકેટ મેદાન, ચીખલી ખાતે યોજાઈ.

                     Navsari: નવસારી જિલ્લાના શિક્ષકોની આંતર તાલુકા ક્રિકેટ ટુર્નામેન્ટ સંજય ફાર્મ ક્રિકેટ મેદાન, ચીખલી ખાતે યોજાઈ. ભાઈઓની ફાઈનલ મેચમાં ચીખલી ટીમ ચેમ્પિયન. બહેનોની ફાઈનલ મેચમાં વાંસદા ટીમ ચેમ્પિયન. આ ટૂર્નામેંટમાં ભાઈઓ માટે ટેનીસ નીવ્યા હેવી અને બહેનો માટે સ્ક્વેર કટ લાઇટ બોલનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. તારીખ:- --16/03/2024 અને તા:17/03/2024ને શનિવાર અને રવિવારના રોજ સંજય ફાર્મ ક્રિકેટ મેદાન, ચીખલી ખાતે નવસારી જીલ્લાના 6 તાલુકાનાં ભાઈઓ અને બહેનોની આંતર તાલુકા ક્રિકેટ ટુર્નામેન્ટનું  આયોજન  કરવામાં આવ્યું હતું. આ ક્રિકેટ ટુર્નામેન્ટમાં છ તાલુકાની ભાઈઓની અને બહેનોની મળી એમ કુલ 12 ટીમેએ ભાગ લીધો હતો.દરેક તાલુકાની ભાઈઓની ટીમે પાંચ પાંચ લિંગ મેચ રમ્યા બાદ બે સેમિફાઇનલ અને ત્યારબાદ એક ફાઇનલ મેચ રમ્યા. જેમાં શિક્ષક ભાઈઓ ની ફાઇનલ મેચમાં ચીખલી તાલુકાની ટીમ ચેમ્પિયન બની અને રનર્સ અપ તરીકે જલાલપોર તાલુકાની ટીમ રહી હતી. બહેનોની દરેક તાલુકાની છ ટીમે ભાગ લીધો દરેક ટીમે ત્રણ ત્રણ લિંક મેચ રમ્યા જેમાં શિક્ષિકા બહેનોની વાંસદ...