Skip to main content

દાતાશ્રી દિનેશભાઈના સહયોગથી વાડ મુખ્ય પ્રાથમિક શાળાના ૨૩૫ વિદ્યાર્થીઓને મફત નોટબુક વિતરણ

 દાતાશ્રી દિનેશભાઈના સહયોગથી વાડ મુખ્ય પ્રાથમિક શાળાના ૨૩૫ વિદ્યાર્થીઓને મફત નોટબુક વિતરણ ખેરગામ, તા. 17 જૂન 2026: શિક્ષણ એ સમાજના વિકાસનો મજબૂત પાયો છે. કોઈ પણ વિદ્યાર્થી આર્થિક સંજોગોના કારણે શિક્ષણથી વંચિત ન રહે તેવા ઉમદા હેતુથી ખેરગામ તાલુકાની વાડ મુખ્ય પ્રાથમિક શાળા ખાતે દાતાશ્રી દિનેશભાઈના સહયોગથી શાળાના તમામ ૨૩૫ વિદ્યાર્થીઓને મફત નોટબુક વિતરણ કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમ દરમિયાન વિદ્યાર્થીઓને અભ્યાસ માટે જરૂરી નોટબુકોનું વિતરણ કરવામાં આવ્યું. આ પ્રસંગે વિદ્યાર્થીઓમાં ઉત્સાહ અને આનંદનો માહોલ જોવા મળ્યો હતો. દાતાશ્રીના આ સેવાકીય યોગદાનને શાળા પરિવાર, વાલીઓ તેમજ ગ્રામજનોએ હૃદયપૂર્વક બિરદાવ્યું હતું. આ કાર્યક્રમમાં તાલુકા પંચાયત સભ્ય ચેતનભાઈ, દત્ત આશ્રમના સંચાલક આદિત્યભાઈ, કુમારી ખુશી તેમજ અન્ય આગેવાનો અને મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. ઉપસ્થિત મહાનુભાવોએ વિદ્યાર્થીઓને મન લગાવી અભ્યાસ કરવા તેમજ શિક્ષણ દ્વારા જીવનમાં આગળ વધવા પ્રેરણા આપી હતી. શાળા પરિવાર દ્વારા દાતાશ્રી દિનેશભાઈ તથા કાર્યક્રમમાં ઉપસ્થિત તમામ મહાનુભાવોના આભાર વ્યક્ત કરવામાં આવ્યા હતા. વિદ્યાર્થીઓના ચહેરા પર ખુશીન...

Dahod: મુખ્ય પ્રાથમિક શાળા, જાલત ખાતે જિલ્લા કલેકટરશ્રી યોગેશ નિરગુડેના વરદ હસ્તે વિદ્યાર્થીનીઓને કપડાં, પુસ્તક, ચેવડો અને ખજૂરનું વિતરણ કરવામાં આવ્યું.

                    

Dahod: મુખ્ય પ્રાથમિક શાળા, જાલત ખાતે જિલ્લા કલેકટરશ્રી યોગેશ નિરગુડેના વરદ હસ્તે વિદ્યાર્થીનીઓને કપડાં, પુસ્તક, ચેવડો અને ખજૂરનું વિતરણ કરવામાં આવ્યું.

દાહોદ જિલ્લામાં વર્ષ ૨૦૧૬ થી સતત સરકારી બાળવાટિકાથી લઇને ધોરણ ૧૨ સુધીની દીકરીઓને દિવાળી પર્વ નિમિત્તે મુંબઈના દાતા દ્વારા વિના મુલ્યે કપડાંનું કરાતું વિતરણ

જીવનમાં બદલાવ લાવવા શિક્ષણની જરૂર છે, શિક્ષણ એ જ આપણી સાચી મૂડી છે - કલેકટરશ્રી યોગેશ નિરગુડે

દાહોદ : ભારતીય સંસ્કૃતિમાં દાનનું આગવું મહત્વ સ્વીકારાયું છે. યુગો પછી પણ કર્ણ અને દાનવીર ભામાશાઓની કથાઓ ગવાય છે. લોભ,લાલચ અને ભૌતિક સુખોની લાલસાથી ગ્રસિત વર્તમાન સમાજમાં પણ સમાજના છેવાડાના ગરીબ-વંચિત લોકોની ચિંતા કરીને તેમના સુખ-દુઃખમાં ભાગીદાર થવાના શુભ આશય સાથે કર્મ કરતા અનેક દાનવીર દાતાઓની દિલેરીના કારણે ધરતી પર પુણ્યનો પ્રગટ ભાવ દેખાઈ રહ્યો છે.

મુંબઈ સ્થિત મુરબ્બી શ્રી સવજીભાઈ બેરા અને શ્રી પ્રેમજીભાઈ ચૌધરી (પ્રિયા ક્રીએશન - ગારમેન્ટ એસોસિઅન)દર વર્ષે દિવાળીના શુભ દિવસોમાં દાહોદ જિલ્લાની આદિવાસી દીકરીઓ માટે નિ:સ્વાર્થ ભાવે કપડાં મોકલી આપે છે. આ વર્ષે પણ બંને દાતાઓ દ્વારા દીકરીઓ માટે કપડાં મોકલી આપ્યા છે, આ વિરાટ કાર્યને દીકરીઓ સુધી પહોચાડવા માટે દાહોદ જિલ્લાના જાલત ગામની મુખ્ય પ્રાથમિક શાળા ખાતે દિવાળી પર્વને ધ્યાને રાખીને જિલ્લા કલેકટરશ્રી યોગેશ નિરગુડેના વરદ હસ્તે શાળાની વિદ્યાર્થીનીઓને કપડાં, ખજૂર, પુસ્તક તેમજ ચવાણાના પેકેટનું વિતરણ કરવામાં આવ્યું હતું.

દાહોદ જિલ્લામાં વર્ષ ૨૦૧૬ થી સતત સરકારી શાળાઓમાં બાળવાટિકાથી લઇને ધોરણ ૧૨ સુધીની તમામ દીકરીઓને દિવાળી પર્વને ધ્યાને રાખીને મુંબઈની પ્રિયા ક્રિએશનની ટીમ દ્વારા સ્ટાન્ડર્ડ કપડાંનું વિતરણ કરવામાં આવે છે. સરકારી શાળાઓમાં ભણતી વિદ્યાર્થીનીઓ આર્થિક રીતે પછાત ઘરમાંથી આવતી હોય છે. દિવાળી એક એવો તહેવાર છે જેમાં ચારેબાજુ દિવાઓથી રોશની કરવામાં આવે છે. 

દિવાળીના આ પર્વને આવી દીકરીઓના જીવનમાં પણ પ્રકાશ પાડવા હેતુસર મુંબઈની દાતા કંપની દ્વારા વિના મુલ્યે દાહોદ જિલ્લામાં ભણતી દીકરીઓને કપડાંનું દાન આપવામાં આવે છે. આ તમામ કપડાં મુંબઈની કંપનીમાંથી વિનામૂલ્યે આવે છે. જરૂરિયાતમંદ પ્રદેશ - વિસ્તારોમાં જઈને કૃષ્ણ કર્મ કરતી આ ટીમ આ વર્ષે પણ દાહોદ જિલ્લાની લગભગ ૪૦, ૦૦૦ જેટલી દીકરીઓને સ્ટાન્ડર્ડ કપડાં, પુસ્તક, ચવાણું તેમજ ખજૂરનું વિતરણ કરશે. 

જિલ્લા કલેકટરશ્રી યોગેશ નિરગુડેએ આ પ્રસંગે કહ્યું હતું કે, આ ખુબ જ ઉમદા કાર્ય છે. દાહોદ જિલ્લાને ખરેખર આવા કૃષ્ણ કર્મીઓની જરૂર છે. મદદ કરવી એ સારી બાબત છે. દાહોદ જિલ્લામાં મુંબઈની આ દાતા કંપનીની જેમ અન્ય પણ આગળ વધીને આવા કાર્યોમાં જોડાય તે ઈચ્છનીય છે. એ સાથે એમણે વિદ્યાર્થીનીઓને પ્રોત્સાહન આપતાં ઉમેર્યું હતું કે, તમે સૌ સારી રીતે આગળ વધીને પોતાના પગભર થાઓ જેથી કરીને કોઈની મદદની જરૂર ન રહે. સફળ થયેલ વ્યક્તિઓનું પણ કંઈક એવુ જ હોય છે. ક્લાસમાં સૌ વિદ્યાર્થીઓને સરખું જ ભણવાય છે પરંતુ આગળ જતાં એ જ સફળ થાય છે જે પોતાના પ્રયત્ન અને મહેનત સતત કરતાં રહે છે.

જીવનમાં બદલાવ લાવવા માટે આપણે પોતે જ આપણી પોતાની મદદ કરવાની છે. અને સાચી મૂડી તો આપણને આપવામાં આવતું શિક્ષણ છે, જેને સમય સાથે સમજીને એનો ઉપયોગ સારી રીતે કરવાનો છે. આપણે આપણા પોતાના માટે થઈને સ્વયં પ્રેરિત થવું પડશે. ધીરજ સાથે પ્રયત્ન કરતાં રહેવું અને છેલ્લી ઘડી સુધી સતત પ્રયત્ન અને મહેનત કરવાની છે.

નાયબ મામલતદારશ્રી હાર્દિક જોશીએ જણાવ્યું હતું કે, દાહોદ જિલ્લાની તમામ સરકારી બાળવાટિકા, પ્રાથમિક - માધ્યમિક શાળાઓ અને આશ્રમ શાળાઓ પાસેથી દીકરીઓનું લિસ્ટ મંગાવીએ છીએ. એ હિસાબે મુંબઈથી સામાન લાવીને શાળાના નામ સહિત જેટલી દીકરીઓ હોય એ સંખ્યાના આધારે કપડાં પેક કરીને જે - તે શાળા સુધી પહોંચતા કરીએ છીએ અને સામાન સીધા દીકરીઓને મળે તેવી વ્યવસ્થા પણ કરીએ છીએ. જો સામાનમાં કંઈ પણ ક્ષતિ જણાય તો તેને સાઈડ પર કરી દઈએ છીએ. તેઓ વધુમાં જણાવે છે કે, વર્ષ ૨૦૧૬ થી શરૂ કરેલ આ કૃષ્ણ કર્મ દરમ્યાન અત્યાર સુધી લગભગ અઢી લાખ કપડાંનું વિતરણ કરવામાં આવ્યું છે. 

આ નિમિતે તાલુકા પ્રા.શિ.અધિકારીસુશ્રી જીજ્ઞાબેન,નાયબ મામલતદાર શ્રી હાર્દિક જોશી, માર્ગ અને મકાન વિભાગ પંચાયતના શ્રી વિશાલ કિશોરી , બી.આર.સી.શ્રી રાજુભાઇ, સી.આર.સી. મુંબઈથી આવેલ ટીમ, અગ્રણી શ્રી ભરતસિંહ સોલંકી બાપુ, શાળા આચાર્ય શ્રી કિરીટભાઈ પટેલ , શાળા સ્ટાફ તેમજ ગામના વડીલશ્રી ઉપસ્થિત રહ્યા હતા.

૦૦૦

Comments

Popular posts from this blog

Navsari, vansda (keliya school) : ૫૦૦ વર્ષ જૂના સિક્કાઓની મદદથી ઇતિહાસનું શિક્ષણ પીરસતો અનોખો શિક્ષક.

    Navsari, vansda (keliya school) : ૫૦૦ વર્ષ જૂના સિક્કાઓની મદદથી ઇતિહાસનું શિક્ષણ પીરસતો અનોખો શિક્ષક. આજે વાત કરી રહ્યા છીએ એક સામાજિક વિજ્ઞાન ભણાવતા શિક્ષક શ્રી હેમંતભાઈ પટેલની. તેઓ ચીખલી તાલુકાનાં આમઘરા ગામના વતની છે. તેમણે સૌ પ્રથમ નોકરીની શરૂઆત સુરત જિલ્લાથી કરી હતી ત્યાર બાદ જિલ્લાફેરથી કેલીયા પ્રાથમિક શાળામાં હાજર થઈ આચાર્યનો પદભાર સંભાળ્યો હતો. જેઓ સમાજિક વિજ્ઞાનમાં અવનવી પદ્ધતિઓથી બાળકોને અભ્યાસ કરાવે છે. તેમની પાસે ૧૦૦થી વધુ વનસ્પતિના બીજ સંગ્રહ ધરાવતી બીજબેંક છે. તેમજ તેમની પાસે દેશ - વિદેશના જૂના ૩૬૨ જેટલાં ચલણી સિક્કાઓ સંગ્રહ કર્યા છે. ૫૦૦ વર્ષ જૂના સિક્કાઓની મદદથી શિક્ષણ :  ભારતીય ચલણમાં હાલમાં ટેકનોલોજીનો સમન્વય થતા ડિજિટલ કરન્સીની બોલબાલા છે. પરંતુ વર્ષો અગાઉ રાજા રજવાડાના જમાનામાં ચલણમાં સિક્કાઓ વપરાતા હતાં. આ સિક્કાઓથી આજની પેઢી અવગત થાય તે માટે વાંસદા તાલુકાના કેલીયા ગામના એક શિક્ષક હેમંતભાઈ પટેલે ઈ.સ. 500 થી લઇ 2024 સુધીના દેશ-વિદેશના 362 દુર્લભ ચલણી સિક્કાઓનો ખજાનો સંગ્રહ કર્યો છે. સામાજિક વિજ્ઞાન બાળકો માટે રસપ્રદ બને તથા ઉત્સુકતા જાગે તેવા હેતુથી...

નવસારી જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘમાં ખેરગામ તાલુકાના ધર્મેશભાઈ પટેલની સહમંત્રી તરીકે બિન હરીફ વરણી.

     નવસારી જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘમાં ખેરગામ તાલુકાના ધર્મેશભાઈ પટેલની સહમંત્રી તરીકે બિન હરીફ વરણી. તારીખ: ૨૮ સપ્ટેમ્બર, ૨૦૨૫ આજના દિવસે નવસારી જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘની ચૂંટણી પ્રક્રિયા દરમિયાન એક ખુશીનાં સમાચાર આવ્યા છે. ખેરગામ તાલુકાના વાડ મુખ્ય શાળાના ઉપ શિક્ષક ધર્મેશભાઈ શુક્કરભાઈ પટેલને સંઘનાં સહમંત્રી તરીકે બિન હરીફ વરણી કરવામાં આવી છે. આ વરણી એક ઐતિહાસિક ક્ષણ છે, જે શિક્ષક સમુદાયની એકતા અને સહમતિનું પ્રતીક છે. નવસારી જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘમાં 1.પ્રમુખ, 2.ઉપપ્રમુખ, 3.મહામંત્રી 4. કોષાધ્યક્ષ 5.ખજાનચી અને 6.સહમંત્રીના પદ  માટે ચૂંટણીઓ યોજાઈ રહી છે, જેમાં સહમંત્રી તરીકે ધર્મેશભાઈ પટેલની બિન હરીફ વરણી થઈ છે. જે ખેરગામ તાલુકાના શિક્ષકોએ  ધર્મેશભાઈ પટેલને સહમંત્રી પદ માટે સર્વ સંમતિથી પસંદ  કર્યા બાદ તેમણે તેમનું સહમંત્રી પદ માટે ઉમેદવારી નોંધાવી હતી. આજે, ૨૮/૦૯/૨૦૨૫ના રોજ, ફોર્મ ચકાસણીની તારીખ હતી. જેમાં  ચૂંટણી પંચના હોદ્દેદારોએ ધર્મેશભાઈ પટેલને બિન હરીફ વરણી કરી  છે. આ નિર્ણય શિક્ષક વર્ગની અખંડ એકતાને દર્શાવે છે અને ધર્મેશભાઈ પટેલની...

ખેરગામમાં મહોરમના પર્વે કોમી એકતા સાથે ભવ્ય તાજીયા ઝુલૂસ.

ખેરગામમાં મહોરમના પર્વે કોમી એકતા સાથે ભવ્ય તાજીયા ઝુલૂસ. ઇસ્લામ ધર્મના પવિત્ર મહોરમ પર્વની ખેરગામમાં ઉજવણી કોમી એકતાના રંગે રંગાઈ હતી. કરબલાના મેદાનમાં હઝરત ઈમામ હુસેન અને તેમના 72 સાથીઓના શહીદોના ત્યાગની યાદમાં યોજાતા આ પર્વ નિમિત્તે રવિવારે ખેરગામમાં ભવ્ય તાજીયા ઝુલૂસ શાંતિપૂર્ણ રીતે કાઢવામાં આવ્યું. મુસ્લિમ મહોલ્લામાંથી શરૂ થયેલું આ ઝુલૂસ ચારરસ્તા, મેઈન બજાર અને પોસ્ટ ઓફિસ માર્ગે આગળ વધી અને મસ્જિદ તેમજ મુસ્લિમ મહોલ્લામાં વિસર્જન માટે સમાપ્ત થયું. ત્યારબાદ ઔરંગા નદી ખાતે તાજીયાઓને ટાઢા કરવામાં આવ્યા. ઝુલૂસ પૂર્વે રાત્રે કલાત્મક રીતે શણગારેલ તાજીયાનું પાયલોટ ઝુલૂસ પણ નીકળ્યું હતું. હિન્દુ-મુસ્લિમ એકતાનું પ્રતીક આ પ્રસંગે હિન્દુ-મુસ્લિમ એકતાનું સુંદર દૃશ્ય જોવા મળ્યું. હિન્દુ સમાજના આગેવાનો જેવા કે સરપંચ શ્રીમતી ઝરણાબેન પટેલ, વેપારી અગ્રણી શ્રી પંકજભાઈ મોદી, શ્રી અંકુર શુક્લ, ભાજપ મહામંત્રી શ્રી વિજય રાઠોડે મુસ્લિમ આગેવાનો જેવા કે માજી મુતવલી ઝમીરભાઈ શેખ, અઝીઝભાઈ ક્વોરીવાળા, શોએબભાઈ શેખ, ફારૂકભાઈ શેખ, મુતવલ્લી ગુલામભાઈ શેખ અને મોઈન મોટરવાળાનું ફૂલહારથી ઉષ્માભર્યું સ્વાગત કર્યું. શાંત...