Skip to main content

બીલીમોરાની કવયિત્રી હર્ષવી પટેલને ‘શયદા એવોર્ડ’નું બહુમાન.

       બીલીમોરાની કવયિત્રી હર્ષવી પટેલને ‘શયદા એવોર્ડ’નું બહુમાન. હર્ષવી પટેલ નવસારી જિલ્લાના ગણદેવી તાલુકામાં HTAT તરીકે ફરજ બજાવે છે. બીલીમોરાની પ્રતિભાશાળી કવયિત્રી હર્ષવી પટેલને મળેલા ‘શયદા એવોર્ડ’ વિશે. આ પુરસ્કાર ગુજરાતી કવિતાના ક્ષેત્રમાં એક મહત્વનું સન્માન છે, અને તેની પાછળની વાર્તા પ્રેરણાદાયી છે. મુંબઈમાં આવેલી વિખ્યાત સંસ્થા ઇન્ડિયન નેશનલ થિયેટર (INT) અને આદિત્ય બિરલા સેન્ટર ફોર પરફોર્મિંગ આર્ટસ દ્વારા પ્રતિવર્ષ સ્વાતંત્ર્ય દિવસની પૂર્વસંધ્યાએ મુશાયરાનું આયોજન કરવામાં આવે છે. આ કાર્યક્રમમાં ગુજરાતી કવિતાના ક્ષેત્રમાં બે પ્રતિષ્ઠિત પુરસ્કારો આપવામાં આવે છે: યુવા શાયરો માટે ‘શયદા એવોર્ડ’ અને વરિષ્ઠ સર્જકો માટે ‘કલાપી એવોર્ડ’. આ પરંપરા ૧૯૯૭થી ચાલુ છે, અને અત્યાર સુધી અનેક ગુજરાતી સર્જકોને આ સન્માન મળ્યું છે. પરંતુ આ વર્ષે એક ઐતિહાસિક ક્ષણ આવી છે – પ્રથમ વખત એક મહિલા સર્જકને આ પુરસ્કાર મળ્યો છે, અને તે છે બીલીમોરાની હર્ષવી પટેલ! આદિત્ય બિરલા સેન્ટરના રાજશ્રી બિરલા જીના હસ્તે હર્ષવીને આ એવોર્ડ, સ્મૃતિ ચિહ્ન, પ્રમાણપત્ર અને પુરસ્કારની રકમથી સન્માનિત કરવામાં આવી ...

Dahod: મુખ્ય પ્રાથમિક શાળા, જાલત ખાતે જિલ્લા કલેકટરશ્રી યોગેશ નિરગુડેના વરદ હસ્તે વિદ્યાર્થીનીઓને કપડાં, પુસ્તક, ચેવડો અને ખજૂરનું વિતરણ કરવામાં આવ્યું.

                    

Dahod: મુખ્ય પ્રાથમિક શાળા, જાલત ખાતે જિલ્લા કલેકટરશ્રી યોગેશ નિરગુડેના વરદ હસ્તે વિદ્યાર્થીનીઓને કપડાં, પુસ્તક, ચેવડો અને ખજૂરનું વિતરણ કરવામાં આવ્યું.

દાહોદ જિલ્લામાં વર્ષ ૨૦૧૬ થી સતત સરકારી બાળવાટિકાથી લઇને ધોરણ ૧૨ સુધીની દીકરીઓને દિવાળી પર્વ નિમિત્તે મુંબઈના દાતા દ્વારા વિના મુલ્યે કપડાંનું કરાતું વિતરણ

જીવનમાં બદલાવ લાવવા શિક્ષણની જરૂર છે, શિક્ષણ એ જ આપણી સાચી મૂડી છે - કલેકટરશ્રી યોગેશ નિરગુડે

દાહોદ : ભારતીય સંસ્કૃતિમાં દાનનું આગવું મહત્વ સ્વીકારાયું છે. યુગો પછી પણ કર્ણ અને દાનવીર ભામાશાઓની કથાઓ ગવાય છે. લોભ,લાલચ અને ભૌતિક સુખોની લાલસાથી ગ્રસિત વર્તમાન સમાજમાં પણ સમાજના છેવાડાના ગરીબ-વંચિત લોકોની ચિંતા કરીને તેમના સુખ-દુઃખમાં ભાગીદાર થવાના શુભ આશય સાથે કર્મ કરતા અનેક દાનવીર દાતાઓની દિલેરીના કારણે ધરતી પર પુણ્યનો પ્રગટ ભાવ દેખાઈ રહ્યો છે.

મુંબઈ સ્થિત મુરબ્બી શ્રી સવજીભાઈ બેરા અને શ્રી પ્રેમજીભાઈ ચૌધરી (પ્રિયા ક્રીએશન - ગારમેન્ટ એસોસિઅન)દર વર્ષે દિવાળીના શુભ દિવસોમાં દાહોદ જિલ્લાની આદિવાસી દીકરીઓ માટે નિ:સ્વાર્થ ભાવે કપડાં મોકલી આપે છે. આ વર્ષે પણ બંને દાતાઓ દ્વારા દીકરીઓ માટે કપડાં મોકલી આપ્યા છે, આ વિરાટ કાર્યને દીકરીઓ સુધી પહોચાડવા માટે દાહોદ જિલ્લાના જાલત ગામની મુખ્ય પ્રાથમિક શાળા ખાતે દિવાળી પર્વને ધ્યાને રાખીને જિલ્લા કલેકટરશ્રી યોગેશ નિરગુડેના વરદ હસ્તે શાળાની વિદ્યાર્થીનીઓને કપડાં, ખજૂર, પુસ્તક તેમજ ચવાણાના પેકેટનું વિતરણ કરવામાં આવ્યું હતું.

દાહોદ જિલ્લામાં વર્ષ ૨૦૧૬ થી સતત સરકારી શાળાઓમાં બાળવાટિકાથી લઇને ધોરણ ૧૨ સુધીની તમામ દીકરીઓને દિવાળી પર્વને ધ્યાને રાખીને મુંબઈની પ્રિયા ક્રિએશનની ટીમ દ્વારા સ્ટાન્ડર્ડ કપડાંનું વિતરણ કરવામાં આવે છે. સરકારી શાળાઓમાં ભણતી વિદ્યાર્થીનીઓ આર્થિક રીતે પછાત ઘરમાંથી આવતી હોય છે. દિવાળી એક એવો તહેવાર છે જેમાં ચારેબાજુ દિવાઓથી રોશની કરવામાં આવે છે. 

દિવાળીના આ પર્વને આવી દીકરીઓના જીવનમાં પણ પ્રકાશ પાડવા હેતુસર મુંબઈની દાતા કંપની દ્વારા વિના મુલ્યે દાહોદ જિલ્લામાં ભણતી દીકરીઓને કપડાંનું દાન આપવામાં આવે છે. આ તમામ કપડાં મુંબઈની કંપનીમાંથી વિનામૂલ્યે આવે છે. જરૂરિયાતમંદ પ્રદેશ - વિસ્તારોમાં જઈને કૃષ્ણ કર્મ કરતી આ ટીમ આ વર્ષે પણ દાહોદ જિલ્લાની લગભગ ૪૦, ૦૦૦ જેટલી દીકરીઓને સ્ટાન્ડર્ડ કપડાં, પુસ્તક, ચવાણું તેમજ ખજૂરનું વિતરણ કરશે. 

જિલ્લા કલેકટરશ્રી યોગેશ નિરગુડેએ આ પ્રસંગે કહ્યું હતું કે, આ ખુબ જ ઉમદા કાર્ય છે. દાહોદ જિલ્લાને ખરેખર આવા કૃષ્ણ કર્મીઓની જરૂર છે. મદદ કરવી એ સારી બાબત છે. દાહોદ જિલ્લામાં મુંબઈની આ દાતા કંપનીની જેમ અન્ય પણ આગળ વધીને આવા કાર્યોમાં જોડાય તે ઈચ્છનીય છે. એ સાથે એમણે વિદ્યાર્થીનીઓને પ્રોત્સાહન આપતાં ઉમેર્યું હતું કે, તમે સૌ સારી રીતે આગળ વધીને પોતાના પગભર થાઓ જેથી કરીને કોઈની મદદની જરૂર ન રહે. સફળ થયેલ વ્યક્તિઓનું પણ કંઈક એવુ જ હોય છે. ક્લાસમાં સૌ વિદ્યાર્થીઓને સરખું જ ભણવાય છે પરંતુ આગળ જતાં એ જ સફળ થાય છે જે પોતાના પ્રયત્ન અને મહેનત સતત કરતાં રહે છે.

જીવનમાં બદલાવ લાવવા માટે આપણે પોતે જ આપણી પોતાની મદદ કરવાની છે. અને સાચી મૂડી તો આપણને આપવામાં આવતું શિક્ષણ છે, જેને સમય સાથે સમજીને એનો ઉપયોગ સારી રીતે કરવાનો છે. આપણે આપણા પોતાના માટે થઈને સ્વયં પ્રેરિત થવું પડશે. ધીરજ સાથે પ્રયત્ન કરતાં રહેવું અને છેલ્લી ઘડી સુધી સતત પ્રયત્ન અને મહેનત કરવાની છે.

નાયબ મામલતદારશ્રી હાર્દિક જોશીએ જણાવ્યું હતું કે, દાહોદ જિલ્લાની તમામ સરકારી બાળવાટિકા, પ્રાથમિક - માધ્યમિક શાળાઓ અને આશ્રમ શાળાઓ પાસેથી દીકરીઓનું લિસ્ટ મંગાવીએ છીએ. એ હિસાબે મુંબઈથી સામાન લાવીને શાળાના નામ સહિત જેટલી દીકરીઓ હોય એ સંખ્યાના આધારે કપડાં પેક કરીને જે - તે શાળા સુધી પહોંચતા કરીએ છીએ અને સામાન સીધા દીકરીઓને મળે તેવી વ્યવસ્થા પણ કરીએ છીએ. જો સામાનમાં કંઈ પણ ક્ષતિ જણાય તો તેને સાઈડ પર કરી દઈએ છીએ. તેઓ વધુમાં જણાવે છે કે, વર્ષ ૨૦૧૬ થી શરૂ કરેલ આ કૃષ્ણ કર્મ દરમ્યાન અત્યાર સુધી લગભગ અઢી લાખ કપડાંનું વિતરણ કરવામાં આવ્યું છે. 

આ નિમિતે તાલુકા પ્રા.શિ.અધિકારીસુશ્રી જીજ્ઞાબેન,નાયબ મામલતદાર શ્રી હાર્દિક જોશી, માર્ગ અને મકાન વિભાગ પંચાયતના શ્રી વિશાલ કિશોરી , બી.આર.સી.શ્રી રાજુભાઇ, સી.આર.સી. મુંબઈથી આવેલ ટીમ, અગ્રણી શ્રી ભરતસિંહ સોલંકી બાપુ, શાળા આચાર્ય શ્રી કિરીટભાઈ પટેલ , શાળા સ્ટાફ તેમજ ગામના વડીલશ્રી ઉપસ્થિત રહ્યા હતા.

૦૦૦

Comments

Popular posts from this blog

Dharampur: ધરમપુર ઔદ્યોગિક તાલીમ સંસ્થા ખાતે તાલુકા કક્ષાની વન્યપ્રાણી સપ્તાહની ઉજવણી કરાઈ.

 Dharampur: ધરમપુર ઔદ્યોગિક તાલીમ સંસ્થા ખાતે તાલુકા કક્ષાની વન્યપ્રાણી સપ્તાહની ઉજવણી કરાઈ. તારીખ: ૦૨-૧૦-૨૦૨૪ થી ૦૮-૧૦-૨૦૨૪ સુધી વન્યપ્રાણી સપ્તાહની ઉજવણી-૨૦૨૪ અંતર્ગત તારીખ ૦૭-૧૦-૨૦૨૪નાં દિને  ઔદ્યોગિક સંસ્થા ધરમપુર ખાતે તાલુકા કક્ષાનો કાર્યક્રમ યોજાયો હતો. ભારત સરકારના પર્યાવરણ, વન અને જળવાયુ પરિવર્તન મંત્રાલય દ્વારા આ વર્ષે વન્યપ્રાણી સપ્તાહની ઉજવણી 2 ઓક્ટોબરથી 8 ઓક્ટોબર સુધી કરવામાં આવી રહી છે. આ સપ્તાહના ઉજવણીનો મુખ્ય હેતુ છે વન્યપ્રાણીઓના સંરક્ષણની મહત્વતા પર જાગૃતિ લાવવી અને લોકોમાં પર્યાવરણ પ્રત્યેની સંવેદના વિકસાવવી. વન્ય પ્રાણી સપ્તાહની ઉજવણીનું મુખ્ય ઉદ્દેશ્ય લોકોમાં પર્યાવરણ, જંતુઓ, પક્ષીઓ અને પ્રકૃતિના સંરક્ષણ માટે જાગૃતિ ફેલાવવાનો છે. વન્ય પ્રાણીઓ આપણા પર્યાવરણ માટે મહત્વપૂર્ણ છે અને તેમનું સંરક્ષણ જીવનચક્ર માટે આવશ્યક છે. આ સપ્તાહ દરમિયાન વિધાર્થીઓ, શિક્ષકો અને સ્થાનિક સમાજને વન્ય પ્રાણીઓ અને તેમની સંરક્ષણની જરૂરિયાત વિશે માહિતી આપવામાં આવી. સાંઈનાથ હોસ્પિટલ, ધરમપુરનાં ડો. ધીરૂભાઈ સી. પટેલ સાહેબ દ્વારા વન્ય પ્રાણી સપ્તાહની ઉજવણીની શરૂઆત કરવામાં આવી. તેમણે વિધાર...

Navsari, vansda (keliya school) : ૫૦૦ વર્ષ જૂના સિક્કાઓની મદદથી ઇતિહાસનું શિક્ષણ પીરસતો અનોખો શિક્ષક.

    Navsari, vansda (keliya school) : ૫૦૦ વર્ષ જૂના સિક્કાઓની મદદથી ઇતિહાસનું શિક્ષણ પીરસતો અનોખો શિક્ષક. આજે વાત કરી રહ્યા છીએ એક સામાજિક વિજ્ઞાન ભણાવતા શિક્ષક શ્રી હેમંતભાઈ પટેલની. તેઓ ચીખલી તાલુકાનાં આમઘરા ગામના વતની છે. તેમણે સૌ પ્રથમ નોકરીની શરૂઆત સુરત જિલ્લાથી કરી હતી ત્યાર બાદ જિલ્લાફેરથી કેલીયા પ્રાથમિક શાળામાં હાજર થઈ આચાર્યનો પદભાર સંભાળ્યો હતો. જેઓ સમાજિક વિજ્ઞાનમાં અવનવી પદ્ધતિઓથી બાળકોને અભ્યાસ કરાવે છે. તેમની પાસે ૧૦૦થી વધુ વનસ્પતિના બીજ સંગ્રહ ધરાવતી બીજબેંક છે. તેમજ તેમની પાસે દેશ - વિદેશના જૂના ૩૬૨ જેટલાં ચલણી સિક્કાઓ સંગ્રહ કર્યા છે. ૫૦૦ વર્ષ જૂના સિક્કાઓની મદદથી શિક્ષણ :  ભારતીય ચલણમાં હાલમાં ટેકનોલોજીનો સમન્વય થતા ડિજિટલ કરન્સીની બોલબાલા છે. પરંતુ વર્ષો અગાઉ રાજા રજવાડાના જમાનામાં ચલણમાં સિક્કાઓ વપરાતા હતાં. આ સિક્કાઓથી આજની પેઢી અવગત થાય તે માટે વાંસદા તાલુકાના કેલીયા ગામના એક શિક્ષક હેમંતભાઈ પટેલે ઈ.સ. 500 થી લઇ 2024 સુધીના દેશ-વિદેશના 362 દુર્લભ ચલણી સિક્કાઓનો ખજાનો સંગ્રહ કર્યો છે. સામાજિક વિજ્ઞાન બાળકો માટે રસપ્રદ બને તથા ઉત્સુકતા જાગે તેવા હેતુથી...

Navsari: નવસારી જિલ્લાના શિક્ષકોની આંતર તાલુકા ક્રિકેટ ટુર્નામેન્ટ સંજય ફાર્મ ક્રિકેટ મેદાન, ચીખલી ખાતે યોજાઈ.

                     Navsari: નવસારી જિલ્લાના શિક્ષકોની આંતર તાલુકા ક્રિકેટ ટુર્નામેન્ટ સંજય ફાર્મ ક્રિકેટ મેદાન, ચીખલી ખાતે યોજાઈ. ભાઈઓની ફાઈનલ મેચમાં ચીખલી ટીમ ચેમ્પિયન. બહેનોની ફાઈનલ મેચમાં વાંસદા ટીમ ચેમ્પિયન. આ ટૂર્નામેંટમાં ભાઈઓ માટે ટેનીસ નીવ્યા હેવી અને બહેનો માટે સ્ક્વેર કટ લાઇટ બોલનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. તારીખ:- --16/03/2024 અને તા:17/03/2024ને શનિવાર અને રવિવારના રોજ સંજય ફાર્મ ક્રિકેટ મેદાન, ચીખલી ખાતે નવસારી જીલ્લાના 6 તાલુકાનાં ભાઈઓ અને બહેનોની આંતર તાલુકા ક્રિકેટ ટુર્નામેન્ટનું  આયોજન  કરવામાં આવ્યું હતું. આ ક્રિકેટ ટુર્નામેન્ટમાં છ તાલુકાની ભાઈઓની અને બહેનોની મળી એમ કુલ 12 ટીમેએ ભાગ લીધો હતો.દરેક તાલુકાની ભાઈઓની ટીમે પાંચ પાંચ લિંગ મેચ રમ્યા બાદ બે સેમિફાઇનલ અને ત્યારબાદ એક ફાઇનલ મેચ રમ્યા. જેમાં શિક્ષક ભાઈઓ ની ફાઇનલ મેચમાં ચીખલી તાલુકાની ટીમ ચેમ્પિયન બની અને રનર્સ અપ તરીકે જલાલપોર તાલુકાની ટીમ રહી હતી. બહેનોની દરેક તાલુકાની છ ટીમે ભાગ લીધો દરેક ટીમે ત્રણ ત્રણ લિંક મેચ રમ્યા જેમાં શિક્ષિકા બહેનોની વાંસદ...