Skip to main content

નવસારી જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘમાં ખેરગામ તાલુકાના ધર્મેશભાઈ પટેલની સહમંત્રી તરીકે બિન હરીફ વરણી.

     નવસારી જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘમાં ખેરગામ તાલુકાના ધર્મેશભાઈ પટેલની સહમંત્રી તરીકે બિન હરીફ વરણી. તારીખ: ૨૮ સપ્ટેમ્બર, ૨૦૨૫ આજના દિવસે નવસારી જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘની ચૂંટણી પ્રક્રિયા દરમિયાન એક ખુશીનાં સમાચાર આવ્યા છે. ખેરગામ તાલુકાના વાડ મુખ્ય શાળાના ઉપ શિક્ષક ધર્મેશભાઈ શુક્કરભાઈ પટેલને સંઘનાં સહમંત્રી તરીકે બિન હરીફ વરણી કરવામાં આવી છે. આ વરણી એક ઐતિહાસિક ક્ષણ છે, જે શિક્ષક સમુદાયની એકતા અને સહમતિનું પ્રતીક છે. નવસારી જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘમાં 1.પ્રમુખ, 2.ઉપપ્રમુખ, 3.મહામંત્રી 4. કોષાધ્યક્ષ 5.ખજાનચી અને 6.સહમંત્રીના પદ  માટે ચૂંટણીઓ યોજાઈ રહી છે, જેમાં સહમંત્રી તરીકે ધર્મેશભાઈ પટેલની બિન હરીફ વરણી થઈ છે. જે ખેરગામ તાલુકાના શિક્ષકોએ  ધર્મેશભાઈ પટેલને સહમંત્રી પદ માટે સર્વ સંમતિથી પસંદ  કર્યા બાદ તેમણે તેમનું સહમંત્રી પદ માટે ઉમેદવારી નોંધાવી હતી. આજે, ૨૮/૦૯/૨૦૨૫ના રોજ, ફોર્મ ચકાસણીની તારીખ હતી. જેમાં  ચૂંટણી પંચના હોદ્દેદારોએ ધર્મેશભાઈ પટેલને બિન હરીફ વરણી કરી  છે. આ નિર્ણય શિક્ષક વર્ગની અખંડ એકતાને દર્શાવે છે અને ધર્મેશભાઈ પટેલની...

Khergam| Kanya shala: ખેરગામ કન્યા શાળામાં પ્રથમ સત્રના 5 દિવસ બેગલેસ ડે' તરીકે ઊજવવામાં આવ્યો.

Khergam| Kanya shala: ખેરગામ કન્યા શાળામાં પ્રથમ સત્રના 5 દિવસ બેગલેસ ડે' તરીકે ઊજવવામાં આવ્યો.

કન્યાશાળા ખેરગામ વર્ષ 2024-25 ના  પ્રથમસત્ર દરમિયાન "બેગ લેસ ડે' અંતર્ગત ધોરણ 6 થી 8 ના વિધાર્થીઓ માટે  5 દિવસ બેગ લેસ ડે' તરીકે ઉજવવામાં આવ્યો. શાળાનાં બાળકોને સચોટ માહિતી સુલભ થાય એ  હેતુસર ખેરગામના બ્યુટીસિયન, રમતવીરો, અને પત્રકારશ્રીને આમંત્રણ આપવામાં આવ્યું હતું.

જેમાં 6 થી 8 ના તમામ બાળકો અને આચાર્ય ભરતભાઈ  તથા શિક્ષકો ચાંદનીબેન,  હેમલતાબેન, ભારતીબેન સરસ્વતીબેન દ્વારા  પ્રવૃતિઓ ભાગ લેવામાં આવ્યો હતો જેમાં ત્રણ પ્રવૃત્તિઓ શાળામાં કરવામાં આવી હતી  બ્યુટીસિયન તરીકે મોજીનાશેખ  ને શાળામાં બોલાવવામાં આવી જેના પરિણામ સ્વરૂપે કેસ ગુરુફન અને મહેદી સ્પર્ધા રાખવામાં આવી, ત્યારબાદ રાખડી બનાવનારને શાળામાં બોલાવવામાં આવ્યા અને રાખડી બનાવવાની સ્પર્ધા રાખવામાં આવી આ ઉપરાંત

 ગોલ્ડ મેડાલિસ્ટ રમતવીર બાબુભાઈ પટેલ મણીભાઈ પટેલ તેઓ પણ શાળામાં આવ્યા હતા જેમના દ્વારા રમતમાં ક્યાં ભાગ લઈ શકાય અને કઈ  બાબતની ધ્યાન રાખવું  જોઈએ રમત ની શરૂઆત કઈ રીતે કરી શકશો જેનું બાળકોને પૂરેપૂરું માર્ગદર્શન આપવામાં આવ્યું હતું ત્યારબાદ ખેરગામના પત્રકાર (રિપોર્ટર)દિપકભાઈ પટેલ દ્વારા પત્રકારનું શું કામ હોય છે. ક્યાંથી સમાચાર મળે છે લોકોની સમસ્યા માટે શું કરવું પડતું હોય છે સરકાર સુધી અવાજ કેવી રીતના પહોંચે છે જેની પૂરેપૂરી માહિતી આપી હતી,

પત્રકારો અનેક પ્રકારના પડકારોનો સામનો કરે છે, જેમાં મુખ્ય રીતે નીચેના મુદ્દા આવરી લેવાય છે:

1. સત્ય અને નિષ્પક્ષતા: પત્રકારોને સત્ય વિગતો મેળવવી અને પ્રસ્તુત કરવી પડે છે, પરંતુ ઘણીવાર વિવિધ તાકાતો, રાજકીય દબાણ, અથવા વ્યાપારી હિતો તેમના કામમાં આડાઘોળ લાવી શકે છે.

2. માહિતી સુધી પહોંચવા કઠિનાઈઓ: સત્તાવાળાઓ અથવા સંસ્થાઓ પાસેથી સંપૂર્ણ અને સાચી માહિતી મેળવવી એ પડકારરૂપ બની શકે છે, ખાસ કરીને જ્યારે સંજોગો સંવેદનશીલ હોય.

3. સામાજિક અને રાજકીય દબાણ: કેટલાક પત્રકારોને તેમની કામગીરી દરમિયાન રાજ્ય, સંસ્થા, કે વ્યકિતગત દબાણનો સામનો કરવો પડે છે, જે તેમના કામમાં અડચણો ઊભી કરી શકે છે.

4. સાવધાની: કોઈ આકસ્મિક ઘટનાઓને આવરી લેતી વખતે (ઉદાહરણ તરીકે, કુદરતી આફતો, વિસ્ફોટ, જંગ અને પ્રદર્શન), તેઓના જીવન માટે પણ જોખમ ઊભું થઈ શકે છે.

5. આધુનિક ટેક્નોલોજી અને સોશ્યલ મીડિયા: ટેક્નોલોજીના ઝડપથી વિકસતા માધ્યમોને કારણે પત્રકારો પાસે સચોટ અને ઝડપી રિપોર્ટિંગ કરવાની માગ વધી છે. જોકે, આ સાથે નિષ્ઠાવાન માહિતી અને ગેરમાર્ગે દોરી શકાય તેવી માહિતી વચ્ચે તફાવત કરવો પડકારરૂપ છે.

6. માનસિક દબાણ અને વ્યવસાયિક અસુરક્ષા: સતત રિપોર્ટિંગ અને વ્યસ્ત સમયપત્રક માનસિક દબાણ અને વ્યાવસાયિક અસુરક્ષાને જન્મ આપી શકે છે.

આ પડકારો છતાં, પત્રકારો પોતાનું કામ જવાબદારીપૂર્વક અને નિષ્ઠાપૂર્વક કરવા માટે પ્રયત્નશીલ રહે છે. તેની સમજ આપવામાં આવી હતી.

પત્રકારોએ કેવી સમસ્યાઓને વધુ પ્રાધાન્ય આપવું જોઈએ?

1. શિક્ષણ અને આરોગ્ય: સામાન્ય લોકોના શિક્ષણ અને આરોગ્ય સંબંધિત સમસ્યાઓ, અને તેમાં થયેલા સુધારા કે ખામીઓ.

2. આર્થિક સમસ્યાઓ: બેરોજગારી, મોંઘવારી, ખેડૂતોના પ્રશ્નો અને વેપારી મુશ્કેલીઓ.

3. પર્યાવરણ અને કુદરતી સંસાધનો: વાતાવરણ પ્રદૂષણ, પાણીની સમસ્યા, જંગલોનો નાશ, અને ટેકસાલિટીને લગતા પ્રશ્નો.

4. માનવ અધિકાર અને ન્યાય: સમાનતા, ભેદભાવ, અન્યાય, અને બિનસમાનતા સામે લડવાના મુદ્દાઓ.

5. ભ્રષ્ટાચાર અને ગેરવ્યવહાર: શાસનતંત્રમાં થયેલા ભ્રષ્ટાચાર, અને તેનું સામાજિક અને આર્થિક અસર.

6. સુરક્ષા અને કાયદો વ્યવસ્થા: મહિલાઓ, બાળકો, અને નબળા વર્ગો સાથે થતી હિંસા અને અન્યાયની ઘટનાઓ.

પત્રકારોએ આ પ્રશ્નોને ધ્યાને રાખી માહિતી આપવી જોઈએ અને ઉકેલ માટે સરકાર અને નાગરિકોની જવાબદારી પર પ્રકાશ પાડવો જોઈએની વાત કહી હતી.

આ ઉપરાંત  શાળામાંથી બાળકોને બહાર લઈ જઈ બહારની જે પ્રવૃત્તિઓ હોય તેની મુલાકાત કરાવી હતી જેમાં  વાડી ખેતરની તથા ખેડૂત  દરજી ઉદ્યોગ સ્પીકરની કંપની એમાં છોકરાઓ કે રૂબરૂ મુલાકાત કરી અને કઈ રીતે કામ  કરી શકાય જેની  પૂછપરછ  મુલાકાત દરમિયાન કરી હતી.

 આ 5 દિવસ બેગલેસ ડે' માં બાળકો નાના. મોટા વ્યવસાય પ્રત્યે માન- લાગણી તેમજ તેમાં થતી મહેનતની  કદર કરતા શીખ્યા    તેમના આત્મવિશ્વાસ અવલોકન શક્તિ વ્યવસાય પ્રત્યે ઈમાનદારી સમયની કિંમત  સમજ મેળવી જોખમ કઈ રીતે ઉઠાવવો વગેરે નો વિકાસ થયો હતો અને સમજ મેળવી હતી

Comments

Popular posts from this blog

Navsari, vansda (keliya school) : ૫૦૦ વર્ષ જૂના સિક્કાઓની મદદથી ઇતિહાસનું શિક્ષણ પીરસતો અનોખો શિક્ષક.

    Navsari, vansda (keliya school) : ૫૦૦ વર્ષ જૂના સિક્કાઓની મદદથી ઇતિહાસનું શિક્ષણ પીરસતો અનોખો શિક્ષક. આજે વાત કરી રહ્યા છીએ એક સામાજિક વિજ્ઞાન ભણાવતા શિક્ષક શ્રી હેમંતભાઈ પટેલની. તેઓ ચીખલી તાલુકાનાં આમઘરા ગામના વતની છે. તેમણે સૌ પ્રથમ નોકરીની શરૂઆત સુરત જિલ્લાથી કરી હતી ત્યાર બાદ જિલ્લાફેરથી કેલીયા પ્રાથમિક શાળામાં હાજર થઈ આચાર્યનો પદભાર સંભાળ્યો હતો. જેઓ સમાજિક વિજ્ઞાનમાં અવનવી પદ્ધતિઓથી બાળકોને અભ્યાસ કરાવે છે. તેમની પાસે ૧૦૦થી વધુ વનસ્પતિના બીજ સંગ્રહ ધરાવતી બીજબેંક છે. તેમજ તેમની પાસે દેશ - વિદેશના જૂના ૩૬૨ જેટલાં ચલણી સિક્કાઓ સંગ્રહ કર્યા છે. ૫૦૦ વર્ષ જૂના સિક્કાઓની મદદથી શિક્ષણ :  ભારતીય ચલણમાં હાલમાં ટેકનોલોજીનો સમન્વય થતા ડિજિટલ કરન્સીની બોલબાલા છે. પરંતુ વર્ષો અગાઉ રાજા રજવાડાના જમાનામાં ચલણમાં સિક્કાઓ વપરાતા હતાં. આ સિક્કાઓથી આજની પેઢી અવગત થાય તે માટે વાંસદા તાલુકાના કેલીયા ગામના એક શિક્ષક હેમંતભાઈ પટેલે ઈ.સ. 500 થી લઇ 2024 સુધીના દેશ-વિદેશના 362 દુર્લભ ચલણી સિક્કાઓનો ખજાનો સંગ્રહ કર્યો છે. સામાજિક વિજ્ઞાન બાળકો માટે રસપ્રદ બને તથા ઉત્સુકતા જાગે તેવા હેતુથી...

ડૉ. રીટાબહેન પટેલ: આદિવાસી સમાજનું ગૌરવ અને નેતૃત્વનું શ્રેષ્ઠ ઉદાહરણ.

   ડૉ. રીટાબહેન પટેલ: આદિવાસી સમાજનું ગૌરવ અને નેતૃત્વનું શ્રેષ્ઠ ઉદાહરણ. ડૉ. રીટાબહેન પટેલે ચંદીગઢ ખાતે IG (Inspector General) તરીકે ચાર્જ સંભાળી, Gujaratના આદિવાસી સમાજ અને ધોડિયા સમાજ માટે ગૌરવનું પાનું લખ્યું છે. નવસારી જિલ્લાના ટાંકલ ગામના મૂળ રહેવાસી એવા રીટાબહેનની સિદ્ધિઓ સમગ્ર સમાજ માટે પ્રેરણાત્મક છે. રીટાબહેનના પિતા ડૉ. ગંભીરભાઇ ધોડિયા સમાજના પ્રથમ તબીબ હતા, અને માતા સ્વ. અરૂણાબહેન Gujaratની પ્રથમ મહિલા ધારાસભ્ય બનીને સમાજ માટે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. પરિવારના આ મજબૂત ધોરણો પર ચાલતા, રીટાબહેનને શિક્ષણ અને સેવામાં મહત્વ આપીને દેશસેવામાં ફાળો આપવાનું મિશન બનાવ્યું. ડૉ. રીટાબહેન ITBP (Indo-Tibetan Border Police) ના પેરા મિલેટરી ફોર્સમાં મેડિકલ વિભાગમાં જોડાયા હતા, જ્યાં તેઓએ કંપની કમાંડર (મેડિકલ) તરીકે અનેક મહત્વપૂર્ણ કામગીરી સંભાળી. તેઓએ પોતાની ફરજ દરમ્યાન અસાધારણ સિદ્ધિઓ હાંસલ કરી અને અનેક મેડલ મેળવીને સમાજ અને પરિવારનું મસ્તક ઊંચું કર્યું. ગુજરાતનું ગૌરવ- આદિવાસી સમાજનું અનમોલ “નારીરત્ન”* - મૂળ નવસારીના ટાંકલ ગામના ર્ડા. રીટાબહેન પટેલે IG તરીકે ચંદીગઢ ખાતે ચાર્જ ...

Navsari: નવસારી જિલ્લાના શિક્ષકોની આંતર તાલુકા ક્રિકેટ ટુર્નામેન્ટ સંજય ફાર્મ ક્રિકેટ મેદાન, ચીખલી ખાતે યોજાઈ.

                     Navsari: નવસારી જિલ્લાના શિક્ષકોની આંતર તાલુકા ક્રિકેટ ટુર્નામેન્ટ સંજય ફાર્મ ક્રિકેટ મેદાન, ચીખલી ખાતે યોજાઈ. ભાઈઓની ફાઈનલ મેચમાં ચીખલી ટીમ ચેમ્પિયન. બહેનોની ફાઈનલ મેચમાં વાંસદા ટીમ ચેમ્પિયન. આ ટૂર્નામેંટમાં ભાઈઓ માટે ટેનીસ નીવ્યા હેવી અને બહેનો માટે સ્ક્વેર કટ લાઇટ બોલનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. તારીખ:- --16/03/2024 અને તા:17/03/2024ને શનિવાર અને રવિવારના રોજ સંજય ફાર્મ ક્રિકેટ મેદાન, ચીખલી ખાતે નવસારી જીલ્લાના 6 તાલુકાનાં ભાઈઓ અને બહેનોની આંતર તાલુકા ક્રિકેટ ટુર્નામેન્ટનું  આયોજન  કરવામાં આવ્યું હતું. આ ક્રિકેટ ટુર્નામેન્ટમાં છ તાલુકાની ભાઈઓની અને બહેનોની મળી એમ કુલ 12 ટીમેએ ભાગ લીધો હતો.દરેક તાલુકાની ભાઈઓની ટીમે પાંચ પાંચ લિંગ મેચ રમ્યા બાદ બે સેમિફાઇનલ અને ત્યારબાદ એક ફાઇનલ મેચ રમ્યા. જેમાં શિક્ષક ભાઈઓ ની ફાઇનલ મેચમાં ચીખલી તાલુકાની ટીમ ચેમ્પિયન બની અને રનર્સ અપ તરીકે જલાલપોર તાલુકાની ટીમ રહી હતી. બહેનોની દરેક તાલુકાની છ ટીમે ભાગ લીધો દરેક ટીમે ત્રણ ત્રણ લિંક મેચ રમ્યા જેમાં શિક્ષિકા બહેનોની વાંસદ...