Skip to main content

Posts

રાષ્ટ્રીય આદિવાસી સાહિત્ય મહોત્સવ 2025 માં ધોડિયા ભાષા અને સંસ્કૃતિનો પડઘો પડ્યો

રાષ્ટ્રીય આદિવાસી સાહિત્ય મહોત્સવ 2025 માં ધોડિયા ભાષા અને સંસ્કૃતિનો પડઘો પડ્યો રાષ્ટ્રીય આદિવાસી સાહિત્ય મહોત્સવ - ૨૦૨૫ સ્થાન: કોઝિકોડ (કેરળ) તારીખ: ૨૭ થી ૨૯ માર્ચ કેરળ સરકાર અને કેરળ ઇન્સ્ટિટ્યૂટ ફોર રિસર્ચ ટ્રેનિંગ એન્ડ ડેવલપમેન્ટ સ્ટડીઝ ઓફ શેડ્યુલ્ડ કાસ્ટ્સ એન્ડ શેડ્યુલ્ડ ટ્રાઇબ્સ (KIRTADS) ના સંયુક્ત પ્રયાસથી કોઝિકોડ (કાલિકટ) ખાતે રાષ્ટ્રીય આદિવાસી સાહિત્ય મહોત્સવ 2025નું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રતિષ્ઠિત કાર્યક્રમમાં ભારતના વિવિધ રાજ્યોના સાહિત્યકારો, સંશોધકો અને આદિવાસી સંસ્કૃતિ નિષ્ણાતોએ ભાગ લીધો હતો. ગુજરાતનું પ્રતિનિધિત્વ કરતા, પ્રખ્યાત કવિ-લેખક કુલીન પટેલને આ મહોત્સવમાં આમંત્રણ આપવામાં આવ્યું હતું. પોતાના સંબોધનમાં, તેમણે ધોડિયા આદિવાસી સમુદાયની સમૃદ્ધ ભાષા, સંસ્કૃતિ અને પરંપરાઓ પર પ્રકાશ પાડ્યો. ખાસ કરીને, તેમણે 'કાંસેરી કથા' ની ઐતિહાસિક અને સાંસ્કૃતિક પૃષ્ઠભૂમિની વિગતવાર ચર્ચા કરી, જેણે ઉપસ્થિત વિદ્વાનો અને સાહિત્ય પ્રેમીઓમાં ઊંડો રસ દાખવ્યો. ધોડિયા ભાષા અને સંસ્કૃતિની વિશેષતાઓ કુલીન પટેલે ધોડિયા ભાષામાં પોતાની કવિતાઓ સંભળાવીને શ્રોતાઓને મંત્રમુગ્ધ કરી દીધા....

તાલુકા પંચાયત નવસારી આયોજિત રમતોત્સવ 2023-24 ઉજવાયો.

            તાલુકા પંચાયત નવસારી આયોજિત રમતોત્સવ 2023-24 ઉજવાયો. પ્રાથમિક શાળાના બાળકો અને શિક્ષકોનો  રમતોત્સવ તારીખ 8 અને 9 જાન્યુઆરી 2024ના રોજ પારડી ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે યોજાયો. સમારંભના ઉદ્ઘાટક શ્રી રાકેશભાઈ દેસાઈ ધારાસભ્ય શ્રી નવસારી  સાથે   તાલુકા પંચાયત નવસારીના પ્રમુખશ્રી પ્રતિભાબેન આહીર, જિલ્લા પંચાયત નવસારીના સદસ્ય દર્શનાબેન પટેલ, તાલુકા ભાજપ પ્રમુખશ્રી મુકેશભાઈ પટેલ,  મહામંત્રી શ્રી રમેશભાઈ રાઠોડ, ગામના સરપંચ શ્રી તેમજ તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી, બી.આર.સી, સી.આર.સી. શાળાના મુખ્ય શિક્ષકોએ મોટી સંખ્યામાં હાજરી આપી.              નવસારી મતવિસ્તારના ધારાસભ્ય શ્રી રાકેશભાઈ દેસાઈ સાહેબે રમતોત્સવને ખુલ્લો મૂક્યો. સાથે દરેક શિક્ષકો અને બાળકોને અભિનંદન પાઠવ્યા કેન્દ્ર કક્ષાએ વિજેતા થઈ વિભાગ કક્ષાએ અને વિભાગ કક્ષાએથી વિજેતા થઈ તાલુકા કક્ષા એ પહોંચતા દરેક બાળકોને ખેલદિલી પૂર્વક રમત રમી ગુજરાત અને ભારત દેશનું નામ રોશન કરવા માટેની શુભેચ્છાઓ પાઠવી.          નવસારી તાલુકાની...

ચીખલી તાલુકાના સુરખાઈ ગામે શ્રી જ્ઞાનકિરણ ધોડિયા જ્ઞાતિ મંડળનું 17મું દ્વિવાર્ષિક સંમેલન યોજાયું.

         ચીખલી તાલુકાના સુરખાઈ ગામે શ્રી જ્ઞાનકિરણ ધોડિયા જ્ઞાતિ મંડળનું 17મું દ્વિવાર્ષિક સંમેલન યોજાયું. શ્રી જ્ઞાનકિરણ ધોડિયા જ્ઞાતિ મંડળ, સુરખાઈનું ૧૭ મું દ્વિવાર્ષિક સંમેલન તા.૭/૧/૨૦૨૪ ને રવિવારના રોજ મળ્યું હતું. મંડળે સ્થાપના  ૩૫ વર્ષ પૂર્ણ કરી ૩૬મા વર્ષમાં પ્રવેશ કર્યો છે.  આજનું દ્વિવાર્ષિક સંમેલન ITBP, અરૂણાચલ પ્રદેશ ખાતે પેરા મિલેટરી ફોર્સના DIG (Medical) તરીકે ફરજો બજાવતા ધોડિયા સમાજના “નારી રત્ન” એવા શ્રીમતિ રીતાબેનના પ્રમુખ સ્થાને મળી હતી.  તેમની સાથે તેમના પિતા અને ધોડિયા સમાજના પ્રથમ તબીબ એવા ડૉ. ગંભીરભાઈ  અને તેમના યુ.કે. સ્થિત ભાઈ રાજનભાઈ તેમના પત્ની શ્રીમતિ પ્રજ્ઞાબેન સાથે ઉપસ્થિત રહયા હતા.  આ પ્રસંગે ગણદેવી વિધાનસભા મત વિસ્તારના ધારાસભ્ય અને પૂર્વ આદિજાતિ વિકાસ મંત્રી શ્રી નરેશભાઈ પટેલ, વલસાડ-ડાંગ સંસદીય મત વિસ્તારના સંસદસભ્ય ડૉ. કે.સી.પટેલ, પૂર્વ આદિજાતિ અને વન મંત્રી શ્રી કાનજીભાઈ પટેલ સમસ્ત આદિવાસી સમાજના પ્રમુખ ડૉ.પ્રદીપ ગરાસિયા, પૂર્વ.ધારાસભ્ય શ્રીમતિ ભારતીબેન પટેલ, સામાજીક કાર્યકર શ્રી નરદેવભાઈ પટેલ, ધોડિયા મેડિ...

નવસારી તાલુકા રમતોત્સવમાં મોલધરા પ્રાથમિક શાળાની કન્યા કિક્રેટ ટીમ સમગ્ર તાલુકામાં પ્રથમ.

           નવસારી તાલુકા રમતોત્સવમાં મોલધરા પ્રાથમિક શાળાની કન્યા કિક્રેટ ટીમ સમગ્ર તાલુકામાં પ્રથમ. સ્ટેન્ડિંગ બ્રોડ જમ્પમાં રોનક હર્ષદભાઈ રાઠોડ પ્રથમ . ૧૦૦ મીટર દોડમાં શાળાનો શિક્ષક શ્રી પવનસિંગ અંબાલાલ ઠાકોર પ્રથમ. રીનાબેન લાલસિંગ ગામીત (શિક્ષિકા) સ્ટેન્ડિંગ બ્રોડ જમ્પમાં પ્રથમ. નવસારી તાલુકાની પ્રાથમિક શાળાના 2872 બાળકોએ કેન્દ્ર કક્ષાએ ભાગ લઈ વિભાગ કક્ષાએ વિજેતા થયેલા 264 બાળકો તાલુકા કક્ષાએ  વિવિધ રમતોમાં સ્પર્ધક બની આવ્યા હતા. જેમાં વ્યક્તિગત રમત દોડ, દેડકાદોડ, લીંબુ ચમચી, સ્ટેન્ડિંગ બ્રોડ જમ્પ, લાંબીકૂદ, ગોળા ફેંક, ચક્ર ફેંકે, સાઘિક રમતો ખો-ખો, કબડ્ડી, ક્રિકેટનું આયોજન કરવામાં આવ્યુ હતું.  જેમાં નવસારી તાલુકા રમતોત્સવમાં મોલધરા પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓમાં સ્ટેન્ડિંગ બ્રોડ જમ્પમાં રોનક હર્ષદભાઈ રાઠોડ પ્રથમ ક્રમાંક અને લાંબી કૂદમાં તૃતિય ક્રમાંક, લાંબી કુદમાં ધૃવી હર્ષદભાઈ રાઠોડ તૃતિય ક્રમાંક, ૬૦ મીટર દોડમાં તુષાર મહેશભાઈ રાઠોડ દ્વિતીય ક્રમાંક, ૧૦૦ મીટર દોડમાં શાળાના શિક્ષક શ્રી પવનસિંગ અંબાલાલ ઠાકોર પ્રથમ ક્રમાંક અને ગોળા ફેંકમાં દ્વિતીય ...

માન. કેબિનેટ મંત્રી શ્રી ડૉ. કુબેર ડિંડોરજીના હસ્તે ચીખલી તાલુકાના સાદડવેલ ગામે જેમસન ગર્લ્સ હોસ્ટેલ અને જેમસન બોય્ઝ હોસ્ટેલનું ઉદ્દઘાટન કરવામાં આવ્યું.

    માન. કેબિનેટ મંત્રી શ્રી ડૉ. કુબેર ડિંડોરજીના હસ્તે ચીખલી તાલુકાના સાદડવેલ ગામે  જેમસન ગર્લ્સ હોસ્ટેલ અને જેમસન બોય્ઝ હોસ્ટેલનું ઉદ્દઘાટન કરવામાં આવ્યું. ચીખલી તાલુકાના સાદડવેલ ગામે નવનિર્મિત બોયઝ અને ગર્લ્સ હોસ્ટેલમાં બાળકોને રહેવા જમવાની તમામ સુવિધાઓ પ્રાપ્ત થઈ છે. આ હોસ્ટેલમાં દક્ષિણ ગુજરાતના આદિજાતિ સમાજના તથા આર્થિક રીતે નબળા પરિવારના ૨૦૦થી વધુ બાળકો રહીને અભ્યાસ કરી શકે તેવી વ્યવસ્થા ઉભી કરાઈ છે. આ પ્રસંગે શિક્ષણમંત્રી કુબેરે ઉદબોધન જણાવ્યું વિશ્વમાં આગળ વધવું હોય તે પંયાની જરૂરીયાત શિક્ષણ છે. જેમસન ચેરીટેબલ ટ્રસ્ટની પ્રવૃત્તિઓને બિરદાવીને જણાવ્યું હતું કે, ટ્રસ્ટની સેવા થકી આદિવાસી સમાજના દિકરા-દિકરી ભણીગણીને રાજયનું નામ રોશન કરે તે માટે સૌના સહયોગની અપેક્ષા વ્યકત કરી હતી. ચીખલી તાલુકામાં ટ્રસ્ટએ આદિજાતિ બાળકો માટે શાળામાં જ રહીને બાળકો સારું શિક્ષણ મેળવી શકે તે માટે બોયઝ અને ગર્લ્સ હોસ્ટેલની સુવિધાઓ ઊભી કરી છે. વધુમાં નવી શિક્ષણ નીતિનો ઉલ્લેખ કરતા જણાવ્યું કે, નવી શિક્ષણ નીતિ સ્કીલ બેઈઝ હશે. સાથે અતિથિ દેવો ભવ, માતૃ દેવો ભવ, પિતૃ દેવો ભવ અને ગુરૂદેવો ભવની પ્રણ...

વેણ ફળિયા ખાતે બરમ દેવ મંદિરે ફળિયાની એકતા અને સુખ શાંતિ માટે શાંતિ ઓમ અને સત્ય નારાયણ પૂજા યોજાઈ.

                    વેણ ફળિયા ખાતે બરમ દેવ મંદિરે ફળિયાની એકતા અને સુખ શાંતિ માટે શાંતિ ઓમ અને સત્ય નારાયણ પૂજા યોજાઈ.    તારીખ:૦૭-૦૧-૨૦૨૪ના દિને વેણ ફળિયા ખાતે બરમ દેવ મંદિરે ફળિયાની એકતા અને સુખ શાંતિ માટે શાંતિ ઓમ અને સત્ય નારાયણ પૂજા યોજાઈ હતી. આ પૂજાનું  આયોજન દર વર્ષે કરવામાં આવે છે જે સતત ૧૫ વર્ષથી ચાલે છે. જેમાં મહાપ્રસાદનું પણ આયોજન કરવામાં આવે છે જેનો લાભ ફળિયાના લોકો,મિત્રમંડળ અને સગાંવહાલાં લે છે. ઈશ્વરભાઈ પટેલનાં જણાવ્યા મુજબ શરૂઆતનાં અમુક વર્ષો બાદ કરતાં હાલ મહાપ્રસાદ માટે સીધુ સામાન બરમ દેવની કૃપાથી દાન સ્વરૂપે મળતું રહ્યું છે. ખેરગામના એક કરિયાણાના વેપારી દાતા  તરફથી પૂજા માટેની સામગ્રી નામ જાહેર ન કરવાની શરતે અચૂકપણે આપે છે.આ કાર્યક્રમ વેણ ફળિયાના નિવૃત્ત શિક્ષકશ્રી ઈશ્વરભાઈ બી. પટેલની નિગરાનીમા દર વર્ષે નિર્વિઘ્ને સંપન્ન થાય છે. આ કાર્યક્રમનાં ખર્ચનો પાઈ પાઈનો હિસાબ કાર્યક્રમ પત્યા પછી જાહેરમાં રજૂ કરવામાં આવે છે. વેણ ફળિયાના યુવાનોની એકતા ખેરગામ માટે એક ઉદાહરણરૂપ મિશાલ છે.

ખેરગામ ખાતે યોજાયેલી ક્રિકેટ ટુર્નામેન્ટમાં તાલુકા પંચાયત ચેમ્પિયન.

        ખેરગામ ખાતે યોજાયેલી ક્રિકેટ ટુર્નામેન્ટમાં તાલુકા પંચાયત ચેમ્પિયન. ખેરગામ: ખેરગામ તાલુકાના વાવ ગામના ક્રિકેટ ગ્રાઉન્ડ ઉપર તાલુકા પંચાયત ખેતીવાડી વિભાગ મેપ અને તાલુકાના સરપંચો માટે ક્રિકેટ ટુર્નામેન્ટ નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ફાઇનલ ક્રિકેટ ટુર્નામેન્ટમાં સરપંચો અને તાલુકા પંચાયતની ટીમ વચ્ચે મુકાબલો થયો હતો તાલુકા પંચાયતે પ્રથમ બેટિંગ કરીને 8 ઓવરમાં 86 રન કર્યા હતા જેના જવાબમાં સરપંચોની ટીમ 75 રન ઉપર સમેટાઈ જતા ખેરગામ તાલુકા પંચાયત ટીમ ચેમ્પિયન બની હતી ક્રિકેટ ટુર્નામેન્ટ નું આયોજન કરવાનું કારણ સરપંચો અધિકારીઓ કર્મચારીઓ વચ્ચે સંકલન રહે તેમજ વિકાસના કામો પણ સરળતા થી થાય એમ તાલુકા વિકાસ અધિકારી એમપી વિરાણીએ જણાવ્યું હતું.

ખેરગામ ખાખરી ફળિયા પ્રાથમિક શાળા ખાતે આનંદમેળાનો કાર્યક્રમ યોજાયો.

                        ખેરગામ ખાખરી ફળિયા પ્રાથમિક શાળા ખાતે આનંદમેળાનો કાર્યક્રમ યોજાયો.   તારીખ : ૦૪-૦૧-૨૦૨૩નાં દિને ખાખરી ફળિયા પ્રાથમિક શાળામાં આનંદ મેળાનું આયોજન કરવામાં આવ્યુ હતું.આ કાર્યક્રમમાં એસ.એમ.સીના અધ્યક્ષ રાજશ્રીબેન પટેલ ગ્રામ પંચાયતના સભ્ય પ્રિયંકાબેન અને દિવ્યાબેન દ્વારા રીબીન કાપી કાર્યક્રમ શરુ કરવામા આવ્યો હતો. શાળાના બાળકોએ વિવિધ વાનગીઓ જાતે બનાવી લાવ્યા હતાં બાળકોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો. આ  આનંદ મેળામાં અનેક પ્રકારની ખાણી પીણીના સ્ટોલ લાગ્યા હતાં જેમાં ઉબાળિયું, સમોસા, ઉપમા, દાબેલી, ભેલ, વડાપાઉં, પાણીપૂરી, ભજીયા, છાશ, ગુલાબ જાંબુ, પાસ્તા, ખમણ, મેથી, મુઠીયા અને મમરા જેવા સ્ટોલ જોવા મળ્યા હતા. બાળકોએ સ્ટોલ બનાવી જાતે વેચાણ કરી જાતે સ્ટોલનું સંચાલન કરી સાંજે  "નહીં નફો નહીં ખોટના ધોરણે" પોતાના સ્ટોલના હિસાબ રજુ કર્યા હતા. બાળકોને મનોરંજન સાથે વેચાણ કરવાના કૌશલ્યનો ખ્યાલ આવ્યો હતો ધંધો કેવી રીતે થાય તેની જાણકારી મળી હતી. જેમાં નફો ખોટ, સરવાળા, બાદબાકી, ગુણાકાર અને ભાગાકારના ગાણિતિક કૌશલ્...

Popular posts from this blog

Dharampur: ધરમપુર ઔદ્યોગિક તાલીમ સંસ્થા ખાતે તાલુકા કક્ષાની વન્યપ્રાણી સપ્તાહની ઉજવણી કરાઈ.

 Dharampur: ધરમપુર ઔદ્યોગિક તાલીમ સંસ્થા ખાતે તાલુકા કક્ષાની વન્યપ્રાણી સપ્તાહની ઉજવણી કરાઈ. તારીખ: ૦૨-૧૦-૨૦૨૪ થી ૦૮-૧૦-૨૦૨૪ સુધી વન્યપ્રાણી સપ્તાહની ઉજવણી-૨૦૨૪ અંતર્ગત તારીખ ૦૭-૧૦-૨૦૨૪નાં દિને  ઔદ્યોગિક સંસ્થા ધરમપુર ખાતે તાલુકા કક્ષાનો કાર્યક્રમ યોજાયો હતો. ભારત સરકારના પર્યાવરણ, વન અને જળવાયુ પરિવર્તન મંત્રાલય દ્વારા આ વર્ષે વન્યપ્રાણી સપ્તાહની ઉજવણી 2 ઓક્ટોબરથી 8 ઓક્ટોબર સુધી કરવામાં આવી રહી છે. આ સપ્તાહના ઉજવણીનો મુખ્ય હેતુ છે વન્યપ્રાણીઓના સંરક્ષણની મહત્વતા પર જાગૃતિ લાવવી અને લોકોમાં પર્યાવરણ પ્રત્યેની સંવેદના વિકસાવવી. વન્ય પ્રાણી સપ્તાહની ઉજવણીનું મુખ્ય ઉદ્દેશ્ય લોકોમાં પર્યાવરણ, જંતુઓ, પક્ષીઓ અને પ્રકૃતિના સંરક્ષણ માટે જાગૃતિ ફેલાવવાનો છે. વન્ય પ્રાણીઓ આપણા પર્યાવરણ માટે મહત્વપૂર્ણ છે અને તેમનું સંરક્ષણ જીવનચક્ર માટે આવશ્યક છે. આ સપ્તાહ દરમિયાન વિધાર્થીઓ, શિક્ષકો અને સ્થાનિક સમાજને વન્ય પ્રાણીઓ અને તેમની સંરક્ષણની જરૂરિયાત વિશે માહિતી આપવામાં આવી. સાંઈનાથ હોસ્પિટલ, ધરમપુરનાં ડો. ધીરૂભાઈ સી. પટેલ સાહેબ દ્વારા વન્ય પ્રાણી સપ્તાહની ઉજવણીની શરૂઆત કરવામાં આવી. તેમણે વિધાર...

ધોડીયા ભાષા સમિતિ દ્વારા માતૃભાષા દિવસની પોતિકી ભાષાના સથવારે ઉજવણી.

        ધોડીયા ભાષા સમિતિ દ્વારા માતૃભાષા દિવસની પોતિકી ભાષાના સથવારે ઉજવણી. માઁના ખોળેથી પ્રાપ્ત થયેલી ભાષા તે માતૃભાષા. એટલે જ કહેવાય છે કે માઁ, માતૃભાષા અને માતૃભૂમિનો અન્ય કોઈ પર્યાય નથી હોતો. દુનિયાની દરેક ભાષાએ કોઈકને કોઈકની માતૃભાષા હોય છે. એ દરેક ભાષાને યોગ્ય સન્માન મળે અને બધી જ ભાષાઓ જળવાઈ રહે તે હેતુસર વિશ્વ માતૃભાષા દિવસ વર્ષ 1999થી ઉજવાઈ રહ્યો છે. 21 ફેબ્રુઆરીએ વૈશ્વિક સ્તરે માતૃભાષા દિવસ ઉજવવાનું યુનેસ્કો દ્વારા નક્કી કરાયેલ તે અનુસંધાને ભારત સહિત સમગ્ર દુનિયામાં ઉજવણી કરાઈ એ ઘડીએ ધોડીયા ભાષા સમિતિ, અનાવલ દ્વારા વિશ્વ માતૃભાષા દિવસની વર્ચ્યુઅલ ઉજવણી ધોડીઆ ભાષામાં કાર્યક્રમ યોજીને કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં ધોડીઆ ભાષકોમાંથી શિક્ષકો, ડોક્ટરો, ઈજનેરો, સાહિત્ય ક્ષેત્રે કાર્યરત કલમ કસબીઓ સહિતના ભાષા રસિક ભાઈઓ બહેનો મોટી સંખ્યામાં જોડાયા હતા.  નેશનલ બુક ટ્રસ્ટ, નવી દિલ્હીના ગુજરાતી વિભાગના વડા ભાગ્યેન્દ્ર પટેલની વિશેષ હાજરી સાથે કાર્યક્રમ પ્રારંભે ખંભાત ખાતે શિક્ષક તરીકે સેવા આપતા સી.સી.પટેલે ધોડીઆ ભાષા જતન અને સંવર્ધન વિશેના વિચારો રજૂ કરતાં મ...

NAVSARI (AB SCHOOL): નવસારીની એબી સ્કૂલમાં અભ્યાસ કરતી ધોડિયા સમાજની દિકરી ઋષિતા ઉમેશભાઈ પટેલ સમગ્ર રાજ્યમાં અને નવસારી જિલ્લામાં ટોપ ટેનમાં સ્થાન પ્રાપ્ત કર્યું.

                NAVSARI (AB SCHOOL): નવસારીની એબી સ્કૂલમાં અભ્યાસ કરતી ધોડિયા સમાજની દિકરી ઋષિતા ઉમેશભાઈ પટેલ સમગ્ર રાજ્યમાં અને નવસારી જિલ્લામાં ટોપ ટેનમાં સ્થાન પ્રાપ્ત કર્યું. નવસારીના ૪૭, સાંઈ ગાર્ડન  સોસાઈટી એરૂનાં રહેવાસી અને નવસારીમાં પોલીસ કોન્સ્ટેબલની ફરજ બજાવતા ઉમેશભાઈ મંગુભાઇ પટેલ અને ટીનાબેન પટેલની દિકરી ઋષિતા નવસારીની એ બી સ્કૂલમાં અભ્યાસ કરે છે. અભ્યાસમાં હોંશિયાર દિકરી ઋષિતાએ ધોરણ -૧૦ની પરીક્ષામાં  રાજ્ય અને નવસારી જિલ્લામાં ટોપ ટેનમા સ્થાન મેળવી સમસ્ત આદિવાસી ધોડિયા સમાજ અને વતનનું નામ રોશન કર્યું છે. સમસ્ત આદિવાસી ધોડિયા સમાજ વતી દીકરીને હાર્દિક શુભકામનાઓ. નવસારી જિલ્લામાં ધો. ૧૦ની પરીક્ષામાં એ-૧ ગ્રેડ પ્રાપ્ત કરનાર ૫૭૬ વિદ્યાર્થીઓ પૈકી ૨૧૧ એ.બી. સ્કૂલના વિદ્યાર્થીઓ છે. ધો. ૧૨ની જેમ એ.બી. સ્કૂલે ધો. ૧૦ની પરીક્ષામાં પણ પોતાનો દબદબો જાળવી રાખ્યો હતો. એ.બી. સ્કૂલની  વિદ્યાર્થીની અને    ઋષિતા ઉમેશ પટેલે ૬૦૦માંથી ૫૯૨ ગુણ સાથે ૯૮.૬૭ ટકા મેળવી સમગ્ર રાજ્યમાં અને નવસારી જિલ્લામાં ટોપ ટેનમાં સ્થાન પ્રાપ્ત કર્ય...