બીલીમોરાની કવયિત્રી હર્ષવી પટેલને ‘શયદા એવોર્ડ’નું બહુમાન. હર્ષવી પટેલ નવસારી જિલ્લાના ગણદેવી તાલુકામાં HTAT તરીકે ફરજ બજાવે છે. બીલીમોરાની પ્રતિભાશાળી કવયિત્રી હર્ષવી પટેલને મળેલા ‘શયદા એવોર્ડ’ વિશે. આ પુરસ્કાર ગુજરાતી કવિતાના ક્ષેત્રમાં એક મહત્વનું સન્માન છે, અને તેની પાછળની વાર્તા પ્રેરણાદાયી છે. મુંબઈમાં આવેલી વિખ્યાત સંસ્થા ઇન્ડિયન નેશનલ થિયેટર (INT) અને આદિત્ય બિરલા સેન્ટર ફોર પરફોર્મિંગ આર્ટસ દ્વારા પ્રતિવર્ષ સ્વાતંત્ર્ય દિવસની પૂર્વસંધ્યાએ મુશાયરાનું આયોજન કરવામાં આવે છે. આ કાર્યક્રમમાં ગુજરાતી કવિતાના ક્ષેત્રમાં બે પ્રતિષ્ઠિત પુરસ્કારો આપવામાં આવે છે: યુવા શાયરો માટે ‘શયદા એવોર્ડ’ અને વરિષ્ઠ સર્જકો માટે ‘કલાપી એવોર્ડ’. આ પરંપરા ૧૯૯૭થી ચાલુ છે, અને અત્યાર સુધી અનેક ગુજરાતી સર્જકોને આ સન્માન મળ્યું છે. પરંતુ આ વર્ષે એક ઐતિહાસિક ક્ષણ આવી છે – પ્રથમ વખત એક મહિલા સર્જકને આ પુરસ્કાર મળ્યો છે, અને તે છે બીલીમોરાની હર્ષવી પટેલ! આદિત્ય બિરલા સેન્ટરના રાજશ્રી બિરલા જીના હસ્તે હર્ષવીને આ એવોર્ડ, સ્મૃતિ ચિહ્ન, પ્રમાણપત્ર અને પુરસ્કારની રકમથી સન્માનિત કરવામાં આવી ...
ખેરગામ ખાતે યોજાયેલી ક્રિકેટ ટુર્નામેન્ટમાં તાલુકા પંચાયત ચેમ્પિયન.
ખેરગામ: ખેરગામ તાલુકાના વાવ ગામના ક્રિકેટ ગ્રાઉન્ડ ઉપર તાલુકા પંચાયત ખેતીવાડી વિભાગ મેપ અને તાલુકાના સરપંચો માટે ક્રિકેટ ટુર્નામેન્ટ નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ફાઇનલ ક્રિકેટ ટુર્નામેન્ટમાં સરપંચો અને તાલુકા પંચાયતની ટીમ વચ્ચે મુકાબલો થયો હતો તાલુકા પંચાયતે પ્રથમ બેટિંગ કરીને 8 ઓવરમાં 86 રન કર્યા હતા જેના જવાબમાં સરપંચોની ટીમ 75 રન ઉપર સમેટાઈ જતા ખેરગામ તાલુકા પંચાયત ટીમ ચેમ્પિયન બની હતી ક્રિકેટ ટુર્નામેન્ટ નું આયોજન કરવાનું કારણ સરપંચો અધિકારીઓ કર્મચારીઓ વચ્ચે સંકલન રહે તેમજ વિકાસના કામો પણ સરળતા થી થાય એમ તાલુકા વિકાસ અધિકારી એમપી વિરાણીએ જણાવ્યું હતું.






Comments
Post a Comment