ઢોડિયા સમાજની ભવ્ય ક્રિકેટ ટુર્નામેન્ટમાં ખેરગામ લાયન ચેમ્પિયન ચીખલી તાલુકાના કલિયારી ગામ ખાતે આવેલા ક્રિકેટ ગ્રાઉન્ડ પર જય ભવાની મિત્ર મંડળ દ્વારા મકરસંક્રાંતિના પાવન પર્વ નિમિત્તે ઢોડિયા સમાજના ક્રિકેટ મિત્રોને પ્રોત્સાહન આપવાના હેતુથી દર વર્ષની જેમ આ વર્ષે પણ ભવ્ય ટેનિસ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ટુર્નામેન્ટમાં ઢોડિયા સમાજની કુલ 164 ટીમોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. ટુર્નામેન્ટની અંતિમ ફાઇનલ મેચ ખેરગામ લાયન અને અટગામ ઇલેવન વચ્ચે રમાઈ હતી. જેમાં ખેરગામ લાયન ટીમે પ્રથમ બેટિંગ કરીને 6 ઓવરમાં 84 રનનો લક્ષ્યાંક આપ્યો હતો. તેના જવાબમાં અટગામ ઇલેવન ટીમ 6 ઓવરમાં માત્ર 73 રન બનાવી શકતા ખેરગામ લાયન ટીમ વિજેતા બની હતી. ખેરગામ લાયનની જીત સાથે ગ્રાઉન્ડ પર હાજર સમર્થકો ડીજેના તાલે ઝૂમી ઉલ્લાસપૂર્વક વિજયની ઉજવણી કરી હતી. ચેમ્પિયન બનેલી ખેરગામ લાયન ટીમના તમામ ખેલાડીઓને ખેરગામ વાસીઓ તથા ક્રિકેટ રસિકોએ અભિનંદન પાઠવ્યા હતા. નોંધનીય છે કે છેલ્લા પાંચ વર્ષમાં યોજાયેલી ઢોડિયા સમાજની ક્રિકેટ ટુર્નામેન્ટમાં ખેરગામ લાયન ટીમે ચાર વખત ફાઇનલ જીતી નોંધપાત્ર સિદ્ધિ હાંસલ કરી છે.
શિક્ષિત સત્સંગી અને કર્મ અશિક્ષત સત્સંગ અને શિક્ષણ – ફક્ત સમજવા કે જીવવા? આજના સમયમાં માણસ શિક્ષિત બનવા માટે પ્રયત્નશીલ છે. ડિગ્રી મેળવવા, ગ્રંથો વાંચવા અને સત્સંગમાં ભાગ લેવા વાળા અનેક લોકો જોવા મળે છે. પણ સાચું પ્રશ્ન એ છે કે શું એ જ્ઞાન માત્ર સાંભળવા પૂરતું છે કે તેને જીવનમાં અમલમાં મુકવા માટે? શિક્ષિત સત્સંગી – જ્ઞાન છે, પણ શું કર્મ છે? અનેક લોકો ભગવાનના ભક્ત છે, શાસ્ત્રોનું વાંચન કરે છે, અને સત્સંગમાં જાય છે. તેમના મોઢે ધર્મ અને સદાચારની વાતો હોય છે, પરંતુ શું તે જ્ઞાન તેમના વર્તનમાં દેખાય છે? કોઈ માણસ સત્સંગમાં જાય, પણ રોજિંદા જીવનમાં અનૈતિકતા, ક્રોધ, ડાહ્યોપણા અને લોભમાં ઝૂંપતો હોય, તો તેનું સત્સંગ કેટલું કામનું? સત્સંગનો સારો અર્થ એ છે કે જ્યાં જ્ઞાન અને કર્મ બંને એકસાથે હોય, નહીં કે ફક્ત મોઢે વાતો અને જીવનમાં તેની અસરો ન દેખાય. કર્મ અશિક્ષત – જે શિક્ષણ વગર પણ ઉચ્ચ છે એક ખેડૂત, મજૂર, અથવા એક નાનકડી હોટલ ચલાવતો માણસ ભલે બહુ મોટો પંડિત ન હોય, પણ જો તે ઈમાનદારીથી મહેનત કરે, સત્યવાદી હોય, અને બીજાના ભલાઈ માટે જીવન જીવતો હોય, તો તે ખરેખર શિક્ષિત છે. સમાજમાં ઘણા એવ...