Skip to main content

KHERGAM BRC KALA UTSAV NEWS : નવસારી જિલ્લાનાં ખેરગામ તાલુકામા બીઆરસી કક્ષાનો કલા ઉત્સવ યોજાયો:

 KHERGAM BRC KALA UTSAV  NEWS : નવસારી જિલ્લાનાં  ખેરગામ તાલુકામા બીઆરસી કક્ષાનો કલા ઉત્સવ યોજાયો: ખેરગામ: તા: ૨૪: જી.સી.ઈ.આર.ટી. ગાંધીનગર પ્રેરિત તેમજ જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન-નવસારી સંચાલિત અને ખેરગામ બી.આર.સી દ્વારા આયોજીત "ગરવી ગુજરાત" થીમ આધારીત તાલુકા કક્ષાનો કલા ઉત્સવ તારીખ ૨૪મી સપ્ટેમ્બરના રોજ ઉજવાયો હતો.  જેમાં બાળ કવિ સ્પર્ધા, સંગીત ગાયન સ્પર્ધા, ચિત્ર સ્પર્ધા અને સંગીત વાદન સ્પર્ધા જેવી સ્પર્ધાઓ યોજવામા આવી હતી. આ દરેક સ્પર્ધામા તાલુકાના અલગ-અલગ 7 કલસ્ટર પૈકી અલગ અલગ શાળામાંથી કુલ  28 કલાપ્રેમી બાળકોએ ભાગ લીધો હતો.   જેમાં  ચિત્ર સ્પર્ધામાં   બહેજ પ્રાથમિક શાળાની વિદ્યાર્થિની  ઉન્નતિ પટેલ  પ્રથમ ક્રમાંક, ખેરગામ કન્યા શાળાની વિદ્યાર્થિની નિયતિ પટેલ દ્વિતીય ક્રમાંક અને નાંધઈ પ્રાથમિક શાળાની વિદ્યાર્થિની ધૃવી પટેલ તૃતિય ક્રમાંક,  બાળ કવિ સ્પર્ધામાં  નાંધઈ પ્રાથમિક શાળાની વિદ્યાર્થિની  ઈશા પટેલ  પ્રથમ ક્રમાંક, વાડ ઉતાર ફળીયા પ્રાથમિક શાળાની વિદ્યાર્થિની દિવ્યા આહીર દ્વિતીય ક્રમાંક અને મંદિર ફળીયા પ્રાથમિક શાળા (આછવણી)ની ટ્વિંકલ પટેલ તૃતિય ક્રમાંક,  સંગીત ગાયન સ્પર્ધ

Valsad: સરકારી શાળામાં ભણતા ગરીબ પરિવારના બે સાધારણ બાળકની અસાધારણ સિધ્ધિ.

                      

Valsad: સરકારી શાળામાં ભણતા ગરીબ પરિવારના બે સાધારણ બાળકની અસાધારણ સિધ્ધિ.

  •  વલસાડ જિલ્લાના બે વિદ્યાર્થીના પ્રોજેક્ટ આંતરરાષ્ટ્રીય કક્ષાએ ઝળક્યા, બંને વિદ્યાર્થી જાપાનમાં ભારતનું પ્રતિનિધિત્વ કરશે.

  • પારડીના ખેરલાવની શાળાના વિદ્યાર્થીના ‘‘લાઈફ સેવિંગ વિન્ડો’’ અને ઉમરગામના ફણસાના વિદ્યાર્થીના ‘‘બીચ ક્લિનર’’ પ્રોજેક્ટની દિલ્હીથી પસંદગી થઈ.  

  •  હાઈરાઈઝ બિલ્ડિંગમાં આગ લાગે ત્યારે લાઈફ સેવિંગ વિન્ડો અને સમુદ્ર કાંઠાના પર્યટન સ્થળોની સફાઈ માટે બીચ ક્લિનર ઉપયોગી થઈ શકે 

  •  સમગ્ર ગુજરાતમાંથી માત્ર ૩ વિદ્યાર્થીની પસંદગી, વલસાડના બે અને મહેસાણાના એક વિદ્યાર્થીનો સમાવેશ.

‘‘એક નાનો વિચાર ઘણા મોટા આવિષ્કાર સર્જી શકે છે’’. આ વિધાનને વલસાડ જિલ્લાની સરકારી શાળામાં અભ્યાસ કરતા ગરીબ પરિવારના બે બાળકોએ યથાર્થ ઠેરવ્યુ છે. વલસાડ જિલ્લાના પારડી તાલુકાના ખેરલાવ ગામના આદિવાસી પરિવારના દીકરા જિયાંશ અને ઉમરગામ તાલુકાના ફણસા ગામના માછી સમાજના દીકરા જૈનિલની કેન્દ્ર સરકારના ‘‘ઈન્સ્પાયર એવોર્ડ’’ અંતર્ગત આંતરરાષ્ટ્રીય કક્ષાએ તેમના પ્રોજેક્ટની પસંદગી થઈ છે. આ બંને બાળકો આગામી મે માસમાં જાપાન ખાતે યોજાનાર ‘‘સકુરા એક્સચેન્જ પ્રોગામ’’માં ભારતનું પ્રતિનિધિત્વ કરશે. જાપાન પ્રવાસ માટે દિલ્હી સ્થિત સાયન્સ અને ટેક્નોલોજી ડિપાર્ટમેન્ટ દ્વારા સમગ્ર ગુજરાતમાંથી કુલ ૩ બાળકોની પસંદગી થઈ છે જેમાં બે બાળકો માત્ર વલસાડ જિલ્લાના જ હોવાથી આ સામાન્ય બાળકોની અસાધારણ સિધ્ધિથી વલસાડ જિલ્લો જ નહીં પરંતુ સમગ્ર ગુજરાત પણ ગૌરવ અનુભવે છે. 

અભૂતપૂર્વ સિધ્ધિ મેળવનાર વલસાડ જિલ્લાના આ બે હોનહાર બાળકોના પ્રોજેક્ટ વિશેની રસપ્રદ  માહિતી મેળવીએ તો, પારડી તાલુકાના નાનકડા ખેરલાવ ગામની પ્રાથમિક શાળાના ધો. ૮ ના વિદ્યાર્થી જિયાંશ મનિષભાઈ પટેલ અને તેમના માર્ગદર્શક શિક્ષક ચેતનભાઈ આર. પટેલને વિચાર આવ્યો કે, સુરતની તક્ષશિલા બિલ્ડિંગમાં આગ લાગતા વિદ્યાર્થી સહિત કુલ ૨૨ લોકોના મોત થયા હતા જો સેફટી રાખવામાં આવી હોત તો જાનહાનિ ટાળી શકાઈ હોત. જેથી હાઈરાઈઝ બિલ્ડિંગમાં આગ લાગે તો જીવ બચાવવા માટે ‘‘લાઈફ સેવિંગ વિન્ડો’’ કૃતિ તૈયાર કરી હતી. જેમાં આગની જાણ થઈ શકે તે માટે પીળા અને લાલ રંગની એલઈડી લાઈટ લગાવી સાથે સેન્સર જોડ્યુ છે. જ્યારે આગ લાગે ત્યારે સેન્સર કામ કરે છે અને ઈમારતમાં બારી સાથે જોડેલી મોટર વડે અડધી બારી નીચેની તરફ સરકી પડે છે અને સીડી જેવી રચના બને છે. અડધી બારી નીચે તરફ સરકતા જે જગ્યા થાય છે તેમાંથી આગમાં ફસાયેલી વ્યકિત નીચે સરળતાથી ઉતરી જીવ બચાવી શકે છે. 

જાપાન જનાર બીજી કૃતિ વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકામાં સમુદ્ર કાંઠે આવેલા ફણસા ગામની છે. વર્ષ ૨૦૨૧-૨૨માં ધો.૮માં ફણસા પ્રાથમિક શાળામાં અને હાલ ધો. ૧૦માં બી.એમ. એન્ડ બી.એફ વાડિયા હાઈસ્કૂલમાં અભ્યાસ કરતા જૈનિલ યોગેશભાઈ માંગેલા મિત્રો સાથે સમુદ્ર કાંઠે રમતો ત્યારે દરિયા કિનારે થતી ગંદકીના કારણે તેનું મન દ્રવી ઉઠયુ, આ સાગરખેડૂ બાળકના મનમાં વિચાર આવ્યો કે, સમુદ્ર કિનારાની સરળતાથી સફાઈ કેવી રીતે કરી શકાય જેથી કચરો અને રેતી બંને અલગ પડી જાય. આ બાબતે ફણસા પ્રાથમિક શાળાના માર્ગદર્શક શિક્ષિકા ફાલ્ગુની એમ. પટેલ સાથે ચર્ચા કરી અને ભારે મનોમંથન બાદ ‘‘બીચ ક્લિનર’’ સાધન બનાવ્યા હતા. જેનાથી સમુદ્ર કાંઠાની સફાઈ સરળતાથી કરી શકાશે. સમગ્ર દેશમાં સૌથી વધુ ૧૬૦૦ કિમી લાંબો સમુદ્ર કિનારો ધરાવનાર ગુજરાતના સમુદ્ર કાંઠાને સ્વચ્છ રાખવા માટે આ ઈનોવેટીવ આઈડિયા ઉપયોગી થશે એવી આશા સેવાઈ રહી છે. આ બંને બાળકોની પ્રતિભાએ વલસાડનું નામ આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે ઝળહળતુ કરી ડંકો વગાડ્યો છે.

બોક્ષ મેટર 

રેતીમાં ભળી જતા નાના કચરાની સરળતાથી સફાઈ શક્ય બનશેઃ શિક્ષિકા ફાલ્ગુની પટેલ 

ફણસા ગામની પ્રાથમિક શાળાના શિક્ષિકા ફાલ્ગુની પટેલે જણાવ્યું કે, સમુદ્ર કાંઠે થતી ગંદકીની સફાઈમાં મોટો કચરો તો હાથથી ઉપાડીને સાફ કરી શકાય પણ નાનો કચરો રેતીમાં ભળી જતો હોવાથી તેને છુટો પાડવો મુશ્કેલ હોય છે. બીચ ક્લિનર સાધનથી સરળતાથી સફાઈ કરી શકાશે. આ ઈનોવેટીવ આઈડિયાથી મોટા પાયે બિચ ક્લિનર સાધન બનાવી સમુદ્ર કાંઠાના પર્યટન સ્થળોની સફાઈ કરી શકાશે. આંતરરાષ્ટ્રીય કક્ષાએ જાપાનમાં યોજાનારા સકુરા એક્સચેન્જ પ્રોગામ માટે સમગ્ર દેશમાંથી કુલ ૮૭ વિદ્યાર્થીની પસંદગી થઈ છે. જેમાંથી ગુજરાતમાંથી માત્ર ૩ વિદ્યાર્થીની પસંદગી થઈ છે. જેમાં બે વલસાડના અને એક વિદ્યાર્થી મહેસાણાનો છે.   

બોક્ષ મેટર 

લાઈફ સેવિંગ વિન્ડોના ઉપયોગથી તક્ષશિલા જેવી ઘટનામાં જીવ બચાવી શકાશેઃ શિક્ષક ચેતન પટેલ 

ખેરલાવ પ્રાથમિક શાળાના શિક્ષક ચેતનભાઈ પટેલે જણાવ્યું કે, લાઈફ સેવિંગ વિન્ડો પ્રોજેક્ટ હકીકતમાં અમલમાં મુકાય તો શાળા, કોલેજ, ઈન્સ્ટીટ્યુટ અને હાઈરાઈઝ બિલ્ડિંગોમાં પણ ઉપયોગી બની શકે તેમ છે. આંતરરાષ્ટ્રીય કક્ષાએ વલસાડ જિલ્લાના બે વિદ્યાર્થીઓના કૌશલ્યની પસંદગી થતા શિક્ષણ આલમમાં ખુશીની લહેર પ્રસરી છે. દરેક વલસાડવાસીઓ આ બાળકોની અભૂતપૂર્વ સિધ્ધિ બદલ ગૌરવ અનુભવે છે. ઈન્સ્પાયર એવોર્ડ અંગે રાજ્યના મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલ અને દેશના વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીનો આભાર માનીએ છે.  

આલેખનઃ જિજ્ઞેશ સોલંકી  

માહિતી બ્યુરોઃ વલસાડ તા. ૧૭ જાન્યુઆરી

Comments

Popular posts from this blog

Khergam, Pati vidyamandir Madhamik school news : પાટીની ગીતા મંદિર શાળાનું પ્રોત્સાહક પરિણામ

       Khergam, Pati vidyamandir Madhamik school news : પાટીની ગીતા મંદિર શાળાનું પ્રોત્સાહક પરિણામ ખેરગામનાં પાટી ગામની ગીતા મંદિર માધ્યમિક શાળા ધો.૧૦ બોર્ડનું ૮૯.૧૮ પરિણામ સાથે શાળામાં ગવળી  હેમાંગીની શૈલેષભાઈ ૭૬.૩૩ટકા સાથે પ્રથમ અને નાયકા રીયાબેન અમ્રતભાઈ ૭૬ટકા સાથે દ્વિતિય અને પટેલ દિયાન્સીબેન શૈલેષભાઈ ૭૪.૩૩ ટકા સાથે તૃતિય નંબર પ્રાપ્ત કર્યો હતો . ધો.૧૨ બોર્ડનું પરિણામ ૮૮.૬૭ ટકા સાથે શાળામાં  પ્રથમ ૭૮.૭૧ટકા સાથે ગાયકવાડ માયાબેન સિતારામભાઈ પ્રથમ  ચૌધરી સ્વાતીબેન સુરેશભાઈ ૭૮.૨૮ સાથે દ્વિતિય અને જાદવ શેતલબેન દિપકભાઈ ૭૬.૮પટકા સાથે તૃતિય ક્રમે આવ્યા છે.   શાળા શ્રેષ્ઠ પરિણામથી સમગ્ર શાળામાં અને પાટી ગ્રામજનોમાં આનંદ ઉલ્લાસનો માહોલ સર્જાયો છે. આ સફળતા મેળવવા બદલ તમામ વિદ્યાર્થીઓ તથા શિક્ષકમિત્રો અને નવ નિયુક્ત શાળાના સુકાની રાકેશકુમાર બી પટેલ ને તમામ ગ્રામજનોએ સરપંચ તથા શાળા સંચાલક મંડળના પ્રમુખ વાલજીભાઈ આર. સોલંકી સાથે શુભેચ્છા પાઠવી હતી.

NAVSARI (AB SCHOOL): નવસારીની એબી સ્કૂલમાં અભ્યાસ કરતી ધોડિયા સમાજની દિકરી ઋષિતા ઉમેશભાઈ પટેલ સમગ્ર રાજ્યમાં અને નવસારી જિલ્લામાં ટોપ ટેનમાં સ્થાન પ્રાપ્ત કર્યું.

                NAVSARI (AB SCHOOL): નવસારીની એબી સ્કૂલમાં અભ્યાસ કરતી ધોડિયા સમાજની દિકરી ઋષિતા ઉમેશભાઈ પટેલ સમગ્ર રાજ્યમાં અને નવસારી જિલ્લામાં ટોપ ટેનમાં સ્થાન પ્રાપ્ત કર્યું. નવસારીના ૪૭, સાંઈ ગાર્ડન  સોસાઈટી એરૂનાં રહેવાસી અને નવસારીમાં પોલીસ કોન્સ્ટેબલની ફરજ બજાવતા ઉમેશભાઈ મંગુભાઇ પટેલ અને ટીનાબેન પટેલની દિકરી ઋષિતા નવસારીની એ બી સ્કૂલમાં અભ્યાસ કરે છે. અભ્યાસમાં હોંશિયાર દિકરી ઋષિતાએ ધોરણ -૧૦ની પરીક્ષામાં  રાજ્ય અને નવસારી જિલ્લામાં ટોપ ટેનમા સ્થાન મેળવી સમસ્ત આદિવાસી ધોડિયા સમાજ અને વતનનું નામ રોશન કર્યું છે. સમસ્ત આદિવાસી ધોડિયા સમાજ વતી દીકરીને હાર્દિક શુભકામનાઓ. નવસારી જિલ્લામાં ધો. ૧૦ની પરીક્ષામાં એ-૧ ગ્રેડ પ્રાપ્ત કરનાર ૫૭૬ વિદ્યાર્થીઓ પૈકી ૨૧૧ એ.બી. સ્કૂલના વિદ્યાર્થીઓ છે. ધો. ૧૨ની જેમ એ.બી. સ્કૂલે ધો. ૧૦ની પરીક્ષામાં પણ પોતાનો દબદબો જાળવી રાખ્યો હતો. એ.બી. સ્કૂલની  વિદ્યાર્થીની અને    ઋષિતા ઉમેશ પટેલે ૬૦૦માંથી ૫૯૨ ગુણ સાથે ૯૮.૬૭ ટકા મેળવી સમગ્ર રાજ્યમાં અને નવસારી જિલ્લામાં ટોપ ટેનમાં સ્થાન પ્રાપ્ત કર્યું છે.   જ્યારે શાળાના ૨૩૫ વિદ્યાર્થીઓ એ-૨ ગ્રેડમાં આવ્યા છે. નવસારીન

ધોડીયા ભાષા સમિતિ દ્વારા માતૃભાષા દિવસની પોતિકી ભાષાના સથવારે ઉજવણી.

        ધોડીયા ભાષા સમિતિ દ્વારા માતૃભાષા દિવસની પોતિકી ભાષાના સથવારે ઉજવણી. માઁના ખોળેથી પ્રાપ્ત થયેલી ભાષા તે માતૃભાષા. એટલે જ કહેવાય છે કે માઁ, માતૃભાષા અને માતૃભૂમિનો અન્ય કોઈ પર્યાય નથી હોતો. દુનિયાની દરેક ભાષાએ કોઈકને કોઈકની માતૃભાષા હોય છે. એ દરેક ભાષાને યોગ્ય સન્માન મળે અને બધી જ ભાષાઓ જળવાઈ રહે તે હેતુસર વિશ્વ માતૃભાષા દિવસ વર્ષ 1999થી ઉજવાઈ રહ્યો છે. 21 ફેબ્રુઆરીએ વૈશ્વિક સ્તરે માતૃભાષા દિવસ ઉજવવાનું યુનેસ્કો દ્વારા નક્કી કરાયેલ તે અનુસંધાને ભારત સહિત સમગ્ર દુનિયામાં ઉજવણી કરાઈ એ ઘડીએ ધોડીયા ભાષા સમિતિ, અનાવલ દ્વારા વિશ્વ માતૃભાષા દિવસની વર્ચ્યુઅલ ઉજવણી ધોડીઆ ભાષામાં કાર્યક્રમ યોજીને કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં ધોડીઆ ભાષકોમાંથી શિક્ષકો, ડોક્ટરો, ઈજનેરો, સાહિત્ય ક્ષેત્રે કાર્યરત કલમ કસબીઓ સહિતના ભાષા રસિક ભાઈઓ બહેનો મોટી સંખ્યામાં જોડાયા હતા.  નેશનલ બુક ટ્રસ્ટ, નવી દિલ્હીના ગુજરાતી વિભાગના વડા ભાગ્યેન્દ્ર પટેલની વિશેષ હાજરી સાથે કાર્યક્રમ પ્રારંભે ખંભાત ખાતે શિક્ષક તરીકે સેવા આપતા સી.સી.પટેલે ધોડીઆ ભાષા જતન અને સંવર્ધન વિશેના વિચારો રજૂ કરતાં માતૃભાષા જીવંત રાખવા માટે શિક્