નવસારીનું ગૌરવ: મિહિર પટેલે UPSC CSE 2025માં AIR 709 મેળવી જિલ્લા નું નામ રોશન કર્યું. UPSC CSE 2025નું પરિણામ જાહેર થતાં નવસારી જિલ્લાના ગણદેવી તાલુકાના નાંદરખા ગામના યુવાન મિહિર રાજેન્દ્રભાઈ પટેલે ઓલ ઈન્ડિયા રેન્ક 709 મેળવી નવસારી જિલ્લાનું ગૌરવ વધાર્યું છે. હાલ તેઓ સુરતના ઉધના ખાતે સબ-રજિસ્ટ્રાર કચેરીમાં ગ્રેડ-1, વર્ગ-3 તરીકે ફરજ બજાવી રહ્યા છે. સરકારી નોકરી સાથે સતત મહેનત કરીને તેમણે પાંચમા પ્રયાસે UPSC જેવી કઠિન પરીક્ષા પાસ કરી છે. મિહિરે 2020માં વિશ્વકર્મા ગવર્નમેન્ટ એન્જિનિયરિંગ કોલેજમાંથી ઈન્ફોર્મેશન ટેકનોલોજીમાં બી.ઈ. પૂર્ણ કર્યા બાદ અમદાવાદની SPIPA સંસ્થામાં પ્રવેશ લઈને UPSCની તૈયારી શરૂ કરી હતી. શિસ્તબદ્ધ અભ્યાસ, સકારાત્મક વિચારસરણી અને સતત પ્રયત્નોથી તેમણે આ સફળતા હાંસલ કરી છે. મિહિર પટેલની આ સિદ્ધિથી તેમના પરિવારજનો, મિત્રો અને સમગ્ર નવસારી જિલ્લામાં ખુશીની લાગણી ફેલાઈ છે. યુવાનો માટે તેમની સફળતા પ્રેરણારૂપ બની છે. 🎉 #UPSC2025 #NavsariPride #MihirPatel #GujaratUPSC #SuccessStory
Navsari news : લોકસભા સામાન્ય ચુંટણી -૨૦૨૪ અંતર્ગત sveep હેઠળ દિવ્યાંગ અને વૃદ્ધ મતદારો માટે જાગૃતિ કાર્યક્રમ યોજાયો.
Navsari news : લોકસભા સામાન્ય ચુંટણી -૨૦૨૪ અંતર્ગત sveep હેઠળ દિવ્યાંગ અને વૃદ્ધ મતદારો માટે જાગૃતિ કાર્યક્રમ યોજાયો.
તારીખ ૩૦-૦૩-૨૦૨૪નાં દિને લો.સા.ચૂં.-૨૦૨૪ અંતર્ગત SVEEP હેઠળ દિવ્યાંગ મતદાતા માટે પ્ર.સ.કોઠારી બહેરા-મુંગા વિવિધલક્ષી વિદ્યાલય-વિજલપોર ખાતે મતદાન જાગૃતિ કાર્યક્રમ યોજાયો.જેમાં દિવ્યાંગ અને વૃધ્ધ મતદારોને મતદાન સમયે આપવામાં આવતી સવલતો વિશે માહિતગાર કરવામાં આવ્યા હતાં .



Comments
Post a Comment