Skip to main content

નવસારીનું ગૌરવ: મિહિર પટેલે UPSC CSE 2025માં AIR 709 મેળવી જિલ્લા નું નામ રોશન કર્યું.

   નવસારીનું ગૌરવ: મિહિર પટેલે UPSC CSE 2025માં AIR 709 મેળવી જિલ્લા નું નામ રોશન કર્યું. UPSC CSE 2025નું પરિણામ જાહેર થતાં નવસારી જિલ્લાના ગણદેવી તાલુકાના નાંદરખા ગામના યુવાન મિહિર રાજેન્દ્રભાઈ પટેલે ઓલ ઈન્ડિયા રેન્ક 709 મેળવી નવસારી જિલ્લાનું ગૌરવ વધાર્યું છે. હાલ તેઓ સુરતના ઉધના ખાતે સબ-રજિસ્ટ્રાર કચેરીમાં ગ્રેડ-1, વર્ગ-3 તરીકે ફરજ બજાવી રહ્યા છે. સરકારી નોકરી સાથે સતત મહેનત કરીને તેમણે પાંચમા પ્રયાસે UPSC જેવી કઠિન પરીક્ષા પાસ કરી છે. મિહિરે 2020માં વિશ્વકર્મા ગવર્નમેન્ટ એન્જિનિયરિંગ કોલેજમાંથી ઈન્ફોર્મેશન ટેકનોલોજીમાં બી.ઈ. પૂર્ણ કર્યા બાદ અમદાવાદની SPIPA સંસ્થામાં પ્રવેશ લઈને UPSCની તૈયારી શરૂ કરી હતી. શિસ્તબદ્ધ અભ્યાસ, સકારાત્મક વિચારસરણી અને સતત પ્રયત્નોથી તેમણે આ સફળતા હાંસલ કરી છે. મિહિર પટેલની આ સિદ્ધિથી તેમના પરિવારજનો, મિત્રો અને સમગ્ર નવસારી જિલ્લામાં ખુશીની લાગણી ફેલાઈ છે. યુવાનો માટે તેમની સફળતા પ્રેરણારૂપ બની છે. 🎉 #UPSC2025 #NavsariPride #MihirPatel #GujaratUPSC #SuccessStory

વાત પ્રાકૃતિક ખેતીની:નવસારી જિલ્લો

  વાત પ્રાકૃતિક ખેતીની:નવસારી જિલ્લો

નવસારી જિલ્લામાં ૨૧,૭૩૬ ખેડૂતોએ અપનાવી છે પ્રાકૃતિક ખેતીની મુહિમ

વર્ષ-૨૦૨૨-૨૩માં પ્રાકૃતિક ખેતીનો વિસ્તાર ૪૭૬૪ એકર હતો જે વધીને વર્ષ-૨૦૨૩-૨૪માં ૭૪૭૦ એકર થયો છે જે નવસારી જિલ્લામાં પ્રાકૃતિક ખેતીની સફળતાની ગાથા રજુ કરે છે.

'પ્રાકૃતિક ખેતી થકી ફક્ત એક વર્ષમાં જમીનને તંદુરસ્ત બનાવી શકાય છે.'-પ્રાકૃતિક ખેતી કરતા પ્રગતિશિલ ખેડૂત મુકેશભાઇ નાયક

છ વિઘા જમીનમાં છેલ્લા ૫ વર્ષથી પ્રાકૃતિક ખેતી કરી નવસારી જિલ્લાના ખેડૂતો માટે પ્રેરણારૂપ બનતા ખેડૂત મુકેશભાઇ નાયકને રાજ્યપાલશ્રીના હસ્તે મળ્યુ છે બહુમાન

સંકલન-વૈશાલી પરમાર

નવસારી, તા.૨૪: રાજ્યમાં પ્રાકૃતિક ખેતીના આરંભથી તમામ જિલ્લાઓમાં રસાયણ વગરની ખેતી તરફ જાગૃત ખેડૂતો જોડાઇ રહ્યા છે. દેશી ગાયોની ઓલાદો વધી રહી છે. ખેત પેદાશોની ગુણવત્તા વધી રહી છે. ખેડૂતોને પોતાની ઉત્પાદનનું યોગ્ય વળતળ મળી રહ્યું છે. ગ્લોબલ વોર્મીંગ અને ક્લાઇમેટ ચેન્જમાં પણ પ્રાકૃતિક ખેતીનો સિંહ ફાળ રહ્યો છે. આ મુહિમને આગળ વધારવામાં નવસારી જિલ્લાના ખેડૂતો પણ મહત્વપૂર્ણ ભાગ ભજવી રહ્યા છે. 

ખેતીમાં રસાયણોના ઓછા ઉપયોગ માટે ખેડૂતોને કરેલ આહવાનને ફળીભૂત કરવાના પ્રયાસરૂપ નવસારી જિલ્લા વહિવટી તંત્ર અને આત્મા પ્રોજેક્ટ અને કૃષિ વિજ્ઞાન કેન્દ્ર,નવસારીના સહિયારા પ્રયત્નો થકી આજદિન સુધી નવસારી જિલ્લામાં કુલ-૨૧,૭૩૬ ખેડૂતો પ્રાકૃતિક ખેતીની મુહિમમાં જોડાઇ ચુક્યા છે. 

નવસારી જિલ્લાની વાત કરીએ તો, વર્ષ-૨૦૨૦-૨૧ થી શરૂ થયેલ આ પ્રાકૃતિક ખેતીના અભિયાનમાં આજ દિન સુધી-૨૧,૭૩૬ ખેડૂતો સક્રિઉ રીતે જોડાઇ ચુક્યા છે. આ જાગૃત ખેડૂત મિત્રોના કારણે નવસારી જિલ્લામાં કુલ-૭૪૭૦ એકર જમીન ઉપર પ્રાકૃતિક ખેતી કરવામાં આવી રહી છે. નવસારી જિલ્લામાં વર્ષ-૨૦૨૨-૨૩માં પ્રાકૃતિક ખેતીનો વિસ્તાર ૪૭૬૪ એકર હતો જે એજ વર્ષમાં વધીને વર્ષ-૨૦૨૩-૨૪માં ૭૪૭૦ એકર થયો છે. જે નવસારી જિલ્લામાં પ્રાકૃતિક ખેતીની સફળતાની ગાથા રજુ કરે છે. 

નવસારી જિલ્લા તંત્રના સરાહનિય પ્રયાસ રૂપે નવસારી જિલ્લાના તાલુકાઓમાં ગ્રામ પંચાયત દિઠ દર ૧૫ દિવસે પ્રાકૃતિક ખેતી વિશેની તાલીમનું આયોજન મોડલ ફાર્મ જાહેર થયેલા પ્રાકૃતિક ફાર્મ ખાતે યોજવામાં આવે છે. તાલીમમાં પ્રાકૃતિક ખેતીના ફાયદા, જીવામૃત, બીજામૃત, ઘનામૃત બનાવવાની રીત સહિત પ્રાકૃતિક ખેતી સંલગ્ન અનેક બાબતો અંગે તેઓને માહિતગાર કરવામાં આવે છે. 

બોક્ષ-1

ખેડૂત તાલીમાર્થી મોહનસિંહ ચૌહાણ-'પ્રાકૃતિક ખેતીને લગતા સેમીનાર સમયાંતરે થવા જોઇએ.

 તાજેતરમાં નવસારી તાલુકાના કુરેલ ગામમાં આત્મા પ્રોજેક્ટ અને કૃષિ વિજ્ઞાન કેન્દ્ર દ્વારા યોજાયેલ 'પ્રાકૃતિક ખેતી તાલીમમા ભાગ અંદાજીત ૪૦ જેટલા ખેડૂતો અને ગ્રામ સેવકોએ ભાગ લીધો હતો. જેમાંથી એક ખેડૂત તાલીમાર્થી મોહનસિંહ ચૌહાણે પ્રાકૃતિક ખેતી સાથે જોડાવાના વિચાર અંગે જણાવ્યું હતું કે, 'પ્રાકૃતિક ખેતીને લગતા સેમીનાર સમયાંતરે થવા જોઇએ. વૈજ્ઞાનિકો અને ખેડૂતો મારફત વિવિધ બાબતો અંગે જાણકારી મળે છે. આ પ્રકારના સેમીનારના કારણે મને પણ થયુ કે હું પણ મારૂ ફાર્મ આ પધ્ધતી મુજબ જ બનાવું.' 

બોક્ષ-2

'ખેડૂતનું કુદરતી હળ એટલે અળસિયા.'- મુકેશભાઇ નાયક

કુરેલ ગામ સ્થિત નાયક પ્રાકૃતિક ફાર્મના પ્રગતિશિલ ખેડૂત શ્રી મુકેશભાઇ નાયક પ્રાકૃતિક ખેતી અપનાવવા અનુરોધ કરતા જણાવ્યું હતું કે, જેમ તંદુરસ્ત માતા હોય તો બાળક તંદુરસ્ત હોય છે તે જ પ્રમાણે ધરતી માતા તંદુરસ્ત હોય તો તેના પાક તંદુરસ્ત હશે અને એ પાક આરોગી આપણે સૌ તંદુરસ્ત બની શકીએ છે. 

વધુમાં તેમણે ઉમેર્યું હતું કે, પ્રાકૃતિક ખેતી થકી જમીન ફળદ્રુપ બને છે. જેના કારણે ઉત્પાદનમાં દેખીતો ફેર પડી જાય છે. જમીન બન્જર બનતી અટકે અને ખેતી ખર્ચ પણ ઘટે છે. તેમણે અળસિયાનું મહત્વ સમજાવતા 'ખેડૂતનું કુદરતી હળ એટલે અળસિયા.' એમ ઉમેર્યું હતું. અંતે રસાયણિક ખેતી કરતા ખેડૂતમિત્રોને સલાહ આપતા ઉમેર્યું હતું કે, પ્રાકૃતિક ખેતી અપનાવો ત્યારે ફક્ત એક જ વર્ષ ધિરજ રાખવાની જરૂર છે. પ્રાકૃતિક ખેતી થકી ફક્ત એક વર્ષમાં જમીનને તંદુરસ્ત બનાવી શકાય છે.

નાયક પ્રાકૃતિક ફાર્મ ખાતે આવેલા ખેડૂતો અને ગ્રામ સેવકોને ફાર્મની વિઝીટ કરાવી, વિવિધ બાબતો અંગે મુકેશભાઇએ માહિતગાર કર્યા હતા. જેમાં પ્રાકૃતિક ખેતીમાં જીવામૃત, બીજામૃત, ઘનામૃત બનાવવાની રીત, આચ્છાદનનું મહત્વ, અળસિયાનું મહત્વ, આંતરપાક લેવાની રીત, કયા પાકો ખેતરમા ઉગાડવા, પક્ષીઓ અને જીવજંતુનું મહત્વ અને તેઓના જીવનચક્ર દ્વારા ખેતીને થતા ફાયદા સહિત પ્રાકૃતિક ખેતીનું માર્કેટ, તથા પાકોની ગુણવત્તા ઉપર પણ તેમણે વિગતવાર જાણકારી આપી હતી. 

છ વિઘા જમીનમાં છેલ્લા ૫ વર્ષથી પ્રાકૃતિક ખેતી કરી નવસારી જિલ્લાના ખેડૂતો માટે પ્રેરણારૂપ બનતા ખેડૂત મુકેશભાઇ નાયકને રાજ્યપાલશ્રીના હસ્તે મળ્યુ છે બહુમાન

અત્રે નોંધનિય છે કે, ગુજરાતના રાજયપાલશ્રી મહામહિમ આચાર્ય દેવવ્રતજી દ્વારા દેશીગાય આધારીત પ્રાકૃતિક ખેતીની ઝુંબેશ ચલાવી રહયા છે. મુકેશભાઈ લગભગ ચાર વર્ષથી કેવિકે નવસારી અને આત્મા યોજના દ્વારા સમયાતંરે પ્રાકૃતિક ખેતીની તાલીમ અને માર્ગદર્શન મેળવીને પ્રાકૃતિક ખેતીના મુળભુત સિધ્ધાંતો જેવા કે બીજામૃત, જવામૃત/ઘનજીવામૃત વગેરે તથા મીશ્રપાક/આંતરપાક અને આચ્છાદાન, વાફસા, વનસ્પતિજન્ય દવાઓની બનાવટ વગેરે જાતેજ પોતાના ફાર્મમાં બનાવીને પોતાના ખેતીમાં ઉપયોગ કરતા હતા. પોતાના ફાર્મમાં પ્રાકૃતિક ખેતીનું જંગલ મોડલ અપનાવીને પ્રાકૃતિક ખેતીની શરૂઆત કરી હતી. 

જેમાં પોતાના ફાર્મની ફરતે જીવત વાડ, શરૂ/મહાગોની સહિત અન્ય વૃક્ષ વાવીને પોતાના ફાર્મમાં ૬૦૦ આંબા કલમ જેમાં આંતરપાકમાં હળદર, મગ/અડદ, લીલા પડવાશના પાક, શણ તથા શાકભાજી પાકો ટામેટા, પરવર, ટીંડોળા, ભીંડા, કેળ, નાળીયેરી વાવી સફળતા પૂર્વક પ્રાકૃતિક ખેતી છેલ્લા ચાર વર્ષથી કરી રહયા છે. અને ખુબ જ સારૂ ઉત્પાદન મેળવી રહયા છે આ જંગલ મોડલ કુરેલ ગામ તેમજ આજુબાજુના ગામનાં ખેડૂતો અને નવસારી જીલ્લાના ખેડૂતો માટે પ્રેરણારૂપ બન્યા છે. 

કુરેલ ગામના મુકેશભાઈ નાયક દ્વારા સફળતાપૂર્વક પ્રાકૃતિક ખેતીના મોડેલ ફાર્મ બનાવવા બદલ ગુજરાત રાજયના મહામહિમ રાજયપાલશ્રી આચાર્ય દેવવ્રતજી દ્વારા ગત તા.૧૬.૦૬.૨૦૨૪ના રોજ ગાંધીનગર ખાતે રાજભવનમાં સન્માનપત્ર અને શાલ અર્પણ કરીને સન્માનિત કરવામાં આવ્યા હતા. જે સમગ્ર નવસારી જિલ્લા અને પ્રાકૃતિક ખેતી અપનાવવા માંગતા ખેડૂત મિત્રો ગૌરવ વધારતી અને પ્રોત્સાહિત કરતી બાબત છે.

બોક્ષ-3

"પ્રાકૃતિક કૃષિ" દ્વારા ખેડૂતોને મળશે આટલા લાભ:

• ખેતી ખર્ચ નહિવત થશે

• જમીનનું સ્વાસ્થ્ય તથા ફળદ્રુપતા સુધરશે

• પર્યાવરણ અને કુદરતી સંસાધનોની જાળવણી થશે.

• રાસાયણિક ખાતરો અને જંતુનાશક દવાઓ ખર્ચ શૂન્ય થશે..

• દેશી ગાયની સાચવણી અને સંવર્ધન થશે..

• પ્રાકૃતિક ખેતીના મુખ્ય ચાર સિધ્ધાંતો મળશે જાણવા: ૧) બીજામૃત ૨) આચ્છાદન (મલ્ચીંગ) ૩) જીવામૃત ૪) વાપસા

• નિમાસ્ત્ર, બ્રહ્માસ્ત્ર, અગ્નિઅસ્ત્ર, દશપર્ણી અર્ક વગેરેના ઉપયોગ થકી ખેતી થશે જંતુમુક્ત....

• ઓછો ખર્ચ, વધુ ઉત્પાદન, યોગ્ય કિંમત મળશે, આવક વધશે

અંતે એટલુ કહી શકાય કે, પ્રાકૃતિક ખેતીની આવી અસરકારક તાલીમોના પ્રતાપે ગુજરાતના ખેડૂતો પ્રાકૃતિક ખેતીમાં હંમેશા આગળ હશે અને ગુજરાત રાજ્યના વિકાસ થકી દેશનો વિકાસ દર નવી ઉંચાઇ પ્રાપ્ત કરશે એવી આશા છે. સરકારશ્રી દ્વારા ખેડૂતોની આવક બમણી કરવાના સ્વપ્નને નવસારી જિલ્લાના ખેડૂતો સાકાર કરી બતાવશે તેમાં કોઇ બેમત નથી. 

*વાત પ્રાકૃતિક ખેતીની:નવસારી જિલ્લો* - *નવસારી જિલ્લામાં ૨૧,૭૩૬ ખેડૂતોએ અપનાવી છે પ્રાકૃતિક ખેતીની...

Posted by Info Navsari GoG on Monday, June 24, 2024

Comments

Popular posts from this blog

Navsari, vansda (keliya school) : ૫૦૦ વર્ષ જૂના સિક્કાઓની મદદથી ઇતિહાસનું શિક્ષણ પીરસતો અનોખો શિક્ષક.

    Navsari, vansda (keliya school) : ૫૦૦ વર્ષ જૂના સિક્કાઓની મદદથી ઇતિહાસનું શિક્ષણ પીરસતો અનોખો શિક્ષક. આજે વાત કરી રહ્યા છીએ એક સામાજિક વિજ્ઞાન ભણાવતા શિક્ષક શ્રી હેમંતભાઈ પટેલની. તેઓ ચીખલી તાલુકાનાં આમઘરા ગામના વતની છે. તેમણે સૌ પ્રથમ નોકરીની શરૂઆત સુરત જિલ્લાથી કરી હતી ત્યાર બાદ જિલ્લાફેરથી કેલીયા પ્રાથમિક શાળામાં હાજર થઈ આચાર્યનો પદભાર સંભાળ્યો હતો. જેઓ સમાજિક વિજ્ઞાનમાં અવનવી પદ્ધતિઓથી બાળકોને અભ્યાસ કરાવે છે. તેમની પાસે ૧૦૦થી વધુ વનસ્પતિના બીજ સંગ્રહ ધરાવતી બીજબેંક છે. તેમજ તેમની પાસે દેશ - વિદેશના જૂના ૩૬૨ જેટલાં ચલણી સિક્કાઓ સંગ્રહ કર્યા છે. ૫૦૦ વર્ષ જૂના સિક્કાઓની મદદથી શિક્ષણ :  ભારતીય ચલણમાં હાલમાં ટેકનોલોજીનો સમન્વય થતા ડિજિટલ કરન્સીની બોલબાલા છે. પરંતુ વર્ષો અગાઉ રાજા રજવાડાના જમાનામાં ચલણમાં સિક્કાઓ વપરાતા હતાં. આ સિક્કાઓથી આજની પેઢી અવગત થાય તે માટે વાંસદા તાલુકાના કેલીયા ગામના એક શિક્ષક હેમંતભાઈ પટેલે ઈ.સ. 500 થી લઇ 2024 સુધીના દેશ-વિદેશના 362 દુર્લભ ચલણી સિક્કાઓનો ખજાનો સંગ્રહ કર્યો છે. સામાજિક વિજ્ઞાન બાળકો માટે રસપ્રદ બને તથા ઉત્સુકતા જાગે તેવા હેતુથી...

પત્ની પર શંકા મુકતા પતિનું વ્યક્તિત્વ અને સમાજ પર તેનો પ્રભાવ

  પત્ની પર શંકા મુકતા પતિનું વ્યક્તિત્વ અને સમાજ પર તેનો પ્રભાવ આજના સમાજમાં સંબંધોની મજબૂતી માટે પરસ્પર વિશ્વાસ અને સન્માન સૌથી મહત્વપૂર્ણ છે. પરંતુ જ્યારે પતિ પોતાની પત્ની પર ગંભીર આરોપ લગાવે કે "આ બાળક મારું નથી, પણ તારા પપ્પાનું છે," ત્યારે એ માત્ર એક દંપતી નહીં, પણ સમગ્ર કુટુંબ અને સમાજ માટે વિચલિત કરનાર ઘટના બની શકે. 1. આવા પુરુષનું માનસશાસ્ત્ર: આ પ્રકારના પુરુષને વિવિધ કેટેગરીમાં મૂકી શકાય: 1. શંકાસ્પદ અને અસુરક્ષિત: આવા લોકો પોતાની પત્ની પર અવિશ્વાસ રાખે છે અને સામાન્ય બાબતોમાં પણ શંકા કરે છે. તેઓના મનમાં હંમેશાં કોઈકને કોઈ શંકા ગૂંથાયેલી હોય છે. 2. પિતૃત્વ અને આધિપત્યની ભ્રાંતિ ધરાવતો: એવા પુરુષોને લાગે છે કે પત્ની પર એક માત્ર તેમનું અધિકાર છે. જ્યારે પત્ની તેમની અપેક્ષા મુજબ વર્તન ન કરે, ત્યારે તેઓ તેને અપમાનિત કરવા માટે આવા શબ્દો વાપરે છે. 3. હિંસક અને માનસિક દુર્વ્યવહાર કરનારો: કેટલાક પતિઓ આ પ્રકારના આરોપ લગાવીને પત્ની પર માનસિક અથવા શારીરિક હિંસા કરવા માટે માનસિક રીતે તૈયાર રહે છે. 2. આવા પુરુષને શું કહેવું જોઈએ? "જો તમને શંકા હોય, તો તમા...

વિશ્વ માતૃભાષા દિવસઃ ધોડીઆ બોલી જાળવી રાખવા વિરવલિયો વિજુનો અનોખો પ્રયાસ

    વિશ્વ માતૃભાષા દિવસઃ ધોડીઆ બોલી જાળવી રાખવા વિરવલિયો વિજુનો અનોખો પ્રયાસ માતૃભાષા એ માત્ર ભાષા નહીં, પણ આપણા સંસ્કૃતિના પરિબળ અને ઓળખનો અભિન્ન હિસ્સો છે. આજના વૈશ્વિકકરણ અને સ્થાલાંતરની અસરથી અનેક આદિવાસી ભાષાઓ લુપ્ત થવાની કગારમાં છે. તેવી જ રીતે, ધોડીઆ બોલી પણ આધુનિક યુગમાં ધીમે ધીમે અવગણાઇ રહી છે. વિશ્વ માતૃભાષા દિવસ (21 ફેબ્રુઆરી)ના અવસરે, વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકાના વિરવલ ગામના લેખક વિજય રતિલાલ ગરાસિયા (વિરવલિયો વિજુ) દ્વારા ધોડીઆ બોલીને જીવંત રાખવા કરવામાં આવેલા પ્રયત્નો પર એક નજર કરીએ. ધોડીઆ બોલીનું સંવર્ધન: પરંપરા અને ડિજિટલ માધ્યમનો સમન્વય વિજ્ય ગરાસિયા 2006 થી ધોડીઆ બોલીને સંવર્ધન માટે પ્રયત્નશીલ છે. ગુજરાતી ભાષામાં વાર્તા, લેખ, જોક્સ અને નવલકથાઓ લખતા લેખક તરીકે તેમનું પ્રારંભિક કાર્ય સુપ્રસિદ્ધ રહ્યું છે. પરંતુ ધોડીઆ બોલીની અવગણના અને નવી પેઢીના તેના પ્રત્યેની અજ્ઞાનતા જોઇ, તેમણે આદિવાસી ભાષાને જીવંત રાખવા નવા માર્ગ શોધવા શરૂ કર્યા. સોશિયલ મીડિયા અને ડિજિટલ પ્લેટફોર્મના યુગમાં, તેઓએ 2010માં ફેસબુક પર "વિરવલિયો વિજુ" નામથી એકાઉન્ટ બનાવી અને ધોડીઆ ભાષાની હળવી ર...