Skip to main content

નવસારી જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘમાં ખેરગામ તાલુકાના ધર્મેશભાઈ પટેલની સહમંત્રી તરીકે બિન હરીફ વરણી.

     નવસારી જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘમાં ખેરગામ તાલુકાના ધર્મેશભાઈ પટેલની સહમંત્રી તરીકે બિન હરીફ વરણી. તારીખ: ૨૮ સપ્ટેમ્બર, ૨૦૨૫ આજના દિવસે નવસારી જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘની ચૂંટણી પ્રક્રિયા દરમિયાન એક ખુશીનાં સમાચાર આવ્યા છે. ખેરગામ તાલુકાના વાડ મુખ્ય શાળાના ઉપ શિક્ષક ધર્મેશભાઈ શુક્કરભાઈ પટેલને સંઘનાં સહમંત્રી તરીકે બિન હરીફ વરણી કરવામાં આવી છે. આ વરણી એક ઐતિહાસિક ક્ષણ છે, જે શિક્ષક સમુદાયની એકતા અને સહમતિનું પ્રતીક છે. નવસારી જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘમાં 1.પ્રમુખ, 2.ઉપપ્રમુખ, 3.મહામંત્રી 4. કોષાધ્યક્ષ 5.ખજાનચી અને 6.સહમંત્રીના પદ  માટે ચૂંટણીઓ યોજાઈ રહી છે, જેમાં સહમંત્રી તરીકે ધર્મેશભાઈ પટેલની બિન હરીફ વરણી થઈ છે. જે ખેરગામ તાલુકાના શિક્ષકોએ  ધર્મેશભાઈ પટેલને સહમંત્રી પદ માટે સર્વ સંમતિથી પસંદ  કર્યા બાદ તેમણે તેમનું સહમંત્રી પદ માટે ઉમેદવારી નોંધાવી હતી. આજે, ૨૮/૦૯/૨૦૨૫ના રોજ, ફોર્મ ચકાસણીની તારીખ હતી. જેમાં  ચૂંટણી પંચના હોદ્દેદારોએ ધર્મેશભાઈ પટેલને બિન હરીફ વરણી કરી  છે. આ નિર્ણય શિક્ષક વર્ગની અખંડ એકતાને દર્શાવે છે અને ધર્મેશભાઈ પટેલની...

ખેરગામમાં તિરંગા યાત્રા: દેશભક્તિનો અનોખો ઉત્સવ

      

 ખેરગામમાં તિરંગા યાત્રા: દેશભક્તિનો અનોખો ઉત્સવ

આજનો દિવસ ખેરગામ માટે ખાસ હતો. તાલુકા સેવાસદન દ્વારા આયોજિત તિરંગા યાત્રા યોજાઈ, જેમાં દેશભક્તિના રંગો ચારે તરફ ફરી વખત ખીલી ઉઠ્યા. આ યાત્રા તારીખ ૧૧-૦૮-૨૦૨૫ના દિને ખેરગામ જનતા માધ્યમિક શાળાથી શરૂ થઈ અને બિરસા મુંડા સર્કલ, મેઈન બજાર, ઝંડાચોક થઈને દશેરા ટેકરી પાસે મહાત્મા ગાંધીની પ્રતિમા સુધી પહોંચી. અહીં સૌએ પુષ્પાંજલી અર્પણ કરીને રાષ્ટ્રપિતાને શ્રદ્ધાંજલિ આપી. ત્યારબાદ બાબા સાહેબ આંબેડકર સર્કલ પાસે ડૉ.બાબા સાહેબને પુષ્પાંજલી અર્પણ કરી હતી.

આ યાત્રા માત્ર એક રેલી નહીં, પરંતુ દેશપ્રેમનો એક મહા ઉત્સવ હતો. નારા જેમ કે "ભારત માતા કી જય!" અને "વંદે માતરમ્!" થી વાતાવરણ ગુંજી ઉઠ્યું. લોકો તિરંગા ધ્વજ લઈને ચાલતા હતા, અને બાળકોના ચહેરા પર દેશભક્તિની ચમક જોવા મળી. આ કાર્યક્રમમાં ખેરગામ તાલુકા પંચાયત પ્રમુખ શ્રી રાજેશભાઈ પટેલ, જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ શ્રી ભીખુભાઈ આહીર, સરપંચશ્રી ઝરણાબેન પટેલ, ભાજપ સંગઠન પ્રમુખ શ્રી લીતેશભાઈ ગાંવિત, તાલુકા પંચાયત સદસ્ય શ્રી પૂર્વેશભાઈ ખાંડાવાલા, સમાજ અગ્રણી ચુનીલાલ પટેલ, પૂર્વ સદસ્યો પ્રશાંતભાઈ પટેલ અને જીજ્ઞાબેન પટેલ, ભૌતેશભાઈ કંસારા, પૂર્વ સરપંચશ્રી કાર્તિકભાઈ પટેલ, તાલુકા સદસ્ય વિજયભાઈ,વાડ ગામના આગેવાનો ચેતનભાઈ અને દિનેશભાઈ પટેલ, વેપારી મંડળ પ્રમુખ શ્રી અમ્રતભાઈ પટેલ, તલાટી કમ મંત્રીશ્રી, ખેરગામ તાલુકા કેળવણી નિરીક્ષકશ્રી પ્રશાંતભાઈ પટેલ સહિત અનેક વ્યક્તિઓ જોડાયા.

ખેરગામ મામલતદારશ્રી ભાવેશભાઈ પટેલ, ખેરગામ તાલુકા વિકાસ અધિકારીશ્રી એમ પી વિરાણી, સેવાસદન અને તાલુકા પંચાયતના કર્મચારીઓ, પોલીસતંત્ર, શિક્ષકો, વિદ્યાર્થીઓ અને સમાજના આગેવાનોની હાજરીએ યાત્રાને વધુ ભવ્ય બનાવી. વિદ્યાર્થીઓએ દેશભક્તિના ગીતો ગાયા, જ્યારે શિક્ષકોએ બાળકોને રાષ્ટ્રીય તહેવારોનું મહત્વ સમજાવ્યું. આ યાત્રા દ્વારા લોકોમાં એકતા અને સમર્પણની ભાવના જાગૃત થઈ.

આવા કાર્યક્રમો આપણને આપણા દેશના ઈતિહાસને યાદ કરાવે છે. સ્વતંત્રતા સંગ્રામના વીરોની યાદમાં તિરંગા યાત્રા જેવા આયોજનો આજના યુવાનોને પ્રેરણા આપે છે. તાલુકા પંચાયત સદસ્ય શ્રી પૂર્વેશભાઈ ખાંડાવાલાએ પ્રવચનમાં કહ્યું, "દેશભક્તિ એ માત્ર શબ્દો નથી, પરંતુ કાર્યોમાં પ્રતિબિંબિત થવી જોઈએ." ચુનીલાલ પટેલે તિરંગા માનસન્માન જાળવવા પર ભાર મૂક્યો હતો. તેમજ તાલુકા  વિકાસ અધિકારીશ્રી એમ.પી.વિરાણી સાહેબે પણ પ્રાસંગિક પ્રવચન કર્યું હતું.


આ યાત્રા ખેરગામના લોકો માટે યાદગાર બની રહેશે. તેમાંથી મળેલી પ્રેરણા આપણને વધુ સારા નાગરિક બનાવશે. જો તમે પણ આવા કાર્યક્રમમાં ભાગ લીધો હોય, તો તમારા અનુભવો કોમેન્ટમાં શેર કરો. ચાલો, આપણે સૌ તિરંગાના રંગમાં રંગાઈએ અને દેશનું ગૌરવ વધારીએ!

જય હિન્દ! 🇮🇳


Comments

Popular posts from this blog

Navsari, vansda (keliya school) : ૫૦૦ વર્ષ જૂના સિક્કાઓની મદદથી ઇતિહાસનું શિક્ષણ પીરસતો અનોખો શિક્ષક.

    Navsari, vansda (keliya school) : ૫૦૦ વર્ષ જૂના સિક્કાઓની મદદથી ઇતિહાસનું શિક્ષણ પીરસતો અનોખો શિક્ષક. આજે વાત કરી રહ્યા છીએ એક સામાજિક વિજ્ઞાન ભણાવતા શિક્ષક શ્રી હેમંતભાઈ પટેલની. તેઓ ચીખલી તાલુકાનાં આમઘરા ગામના વતની છે. તેમણે સૌ પ્રથમ નોકરીની શરૂઆત સુરત જિલ્લાથી કરી હતી ત્યાર બાદ જિલ્લાફેરથી કેલીયા પ્રાથમિક શાળામાં હાજર થઈ આચાર્યનો પદભાર સંભાળ્યો હતો. જેઓ સમાજિક વિજ્ઞાનમાં અવનવી પદ્ધતિઓથી બાળકોને અભ્યાસ કરાવે છે. તેમની પાસે ૧૦૦થી વધુ વનસ્પતિના બીજ સંગ્રહ ધરાવતી બીજબેંક છે. તેમજ તેમની પાસે દેશ - વિદેશના જૂના ૩૬૨ જેટલાં ચલણી સિક્કાઓ સંગ્રહ કર્યા છે. ૫૦૦ વર્ષ જૂના સિક્કાઓની મદદથી શિક્ષણ :  ભારતીય ચલણમાં હાલમાં ટેકનોલોજીનો સમન્વય થતા ડિજિટલ કરન્સીની બોલબાલા છે. પરંતુ વર્ષો અગાઉ રાજા રજવાડાના જમાનામાં ચલણમાં સિક્કાઓ વપરાતા હતાં. આ સિક્કાઓથી આજની પેઢી અવગત થાય તે માટે વાંસદા તાલુકાના કેલીયા ગામના એક શિક્ષક હેમંતભાઈ પટેલે ઈ.સ. 500 થી લઇ 2024 સુધીના દેશ-વિદેશના 362 દુર્લભ ચલણી સિક્કાઓનો ખજાનો સંગ્રહ કર્યો છે. સામાજિક વિજ્ઞાન બાળકો માટે રસપ્રદ બને તથા ઉત્સુકતા જાગે તેવા હેતુથી...

ડૉ. રીટાબહેન પટેલ: આદિવાસી સમાજનું ગૌરવ અને નેતૃત્વનું શ્રેષ્ઠ ઉદાહરણ.

   ડૉ. રીટાબહેન પટેલ: આદિવાસી સમાજનું ગૌરવ અને નેતૃત્વનું શ્રેષ્ઠ ઉદાહરણ. ડૉ. રીટાબહેન પટેલે ચંદીગઢ ખાતે IG (Inspector General) તરીકે ચાર્જ સંભાળી, Gujaratના આદિવાસી સમાજ અને ધોડિયા સમાજ માટે ગૌરવનું પાનું લખ્યું છે. નવસારી જિલ્લાના ટાંકલ ગામના મૂળ રહેવાસી એવા રીટાબહેનની સિદ્ધિઓ સમગ્ર સમાજ માટે પ્રેરણાત્મક છે. રીટાબહેનના પિતા ડૉ. ગંભીરભાઇ ધોડિયા સમાજના પ્રથમ તબીબ હતા, અને માતા સ્વ. અરૂણાબહેન Gujaratની પ્રથમ મહિલા ધારાસભ્ય બનીને સમાજ માટે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. પરિવારના આ મજબૂત ધોરણો પર ચાલતા, રીટાબહેનને શિક્ષણ અને સેવામાં મહત્વ આપીને દેશસેવામાં ફાળો આપવાનું મિશન બનાવ્યું. ડૉ. રીટાબહેન ITBP (Indo-Tibetan Border Police) ના પેરા મિલેટરી ફોર્સમાં મેડિકલ વિભાગમાં જોડાયા હતા, જ્યાં તેઓએ કંપની કમાંડર (મેડિકલ) તરીકે અનેક મહત્વપૂર્ણ કામગીરી સંભાળી. તેઓએ પોતાની ફરજ દરમ્યાન અસાધારણ સિદ્ધિઓ હાંસલ કરી અને અનેક મેડલ મેળવીને સમાજ અને પરિવારનું મસ્તક ઊંચું કર્યું. ગુજરાતનું ગૌરવ- આદિવાસી સમાજનું અનમોલ “નારીરત્ન”* - મૂળ નવસારીના ટાંકલ ગામના ર્ડા. રીટાબહેન પટેલે IG તરીકે ચંદીગઢ ખાતે ચાર્જ ...

Navsari: નવસારી જિલ્લાના શિક્ષકોની આંતર તાલુકા ક્રિકેટ ટુર્નામેન્ટ સંજય ફાર્મ ક્રિકેટ મેદાન, ચીખલી ખાતે યોજાઈ.

                     Navsari: નવસારી જિલ્લાના શિક્ષકોની આંતર તાલુકા ક્રિકેટ ટુર્નામેન્ટ સંજય ફાર્મ ક્રિકેટ મેદાન, ચીખલી ખાતે યોજાઈ. ભાઈઓની ફાઈનલ મેચમાં ચીખલી ટીમ ચેમ્પિયન. બહેનોની ફાઈનલ મેચમાં વાંસદા ટીમ ચેમ્પિયન. આ ટૂર્નામેંટમાં ભાઈઓ માટે ટેનીસ નીવ્યા હેવી અને બહેનો માટે સ્ક્વેર કટ લાઇટ બોલનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. તારીખ:- --16/03/2024 અને તા:17/03/2024ને શનિવાર અને રવિવારના રોજ સંજય ફાર્મ ક્રિકેટ મેદાન, ચીખલી ખાતે નવસારી જીલ્લાના 6 તાલુકાનાં ભાઈઓ અને બહેનોની આંતર તાલુકા ક્રિકેટ ટુર્નામેન્ટનું  આયોજન  કરવામાં આવ્યું હતું. આ ક્રિકેટ ટુર્નામેન્ટમાં છ તાલુકાની ભાઈઓની અને બહેનોની મળી એમ કુલ 12 ટીમેએ ભાગ લીધો હતો.દરેક તાલુકાની ભાઈઓની ટીમે પાંચ પાંચ લિંગ મેચ રમ્યા બાદ બે સેમિફાઇનલ અને ત્યારબાદ એક ફાઇનલ મેચ રમ્યા. જેમાં શિક્ષક ભાઈઓ ની ફાઇનલ મેચમાં ચીખલી તાલુકાની ટીમ ચેમ્પિયન બની અને રનર્સ અપ તરીકે જલાલપોર તાલુકાની ટીમ રહી હતી. બહેનોની દરેક તાલુકાની છ ટીમે ભાગ લીધો દરેક ટીમે ત્રણ ત્રણ લિંક મેચ રમ્યા જેમાં શિક્ષિકા બહેનોની વાંસદ...