Skip to main content

Posts

નવસારીનું ગૌરવ: મિહિર પટેલે UPSC CSE 2025માં AIR 709 મેળવી જિલ્લા નું નામ રોશન કર્યું.

   નવસારીનું ગૌરવ: મિહિર પટેલે UPSC CSE 2025માં AIR 709 મેળવી જિલ્લા નું નામ રોશન કર્યું. UPSC CSE 2025નું પરિણામ જાહેર થતાં નવસારી જિલ્લાના ગણદેવી તાલુકાના નાંદરખા ગામના યુવાન મિહિર રાજેન્દ્રભાઈ પટેલે ઓલ ઈન્ડિયા રેન્ક 709 મેળવી નવસારી જિલ્લાનું ગૌરવ વધાર્યું છે. હાલ તેઓ સુરતના ઉધના ખાતે સબ-રજિસ્ટ્રાર કચેરીમાં ગ્રેડ-1, વર્ગ-3 તરીકે ફરજ બજાવી રહ્યા છે. સરકારી નોકરી સાથે સતત મહેનત કરીને તેમણે પાંચમા પ્રયાસે UPSC જેવી કઠિન પરીક્ષા પાસ કરી છે. મિહિરે 2020માં વિશ્વકર્મા ગવર્નમેન્ટ એન્જિનિયરિંગ કોલેજમાંથી ઈન્ફોર્મેશન ટેકનોલોજીમાં બી.ઈ. પૂર્ણ કર્યા બાદ અમદાવાદની SPIPA સંસ્થામાં પ્રવેશ લઈને UPSCની તૈયારી શરૂ કરી હતી. શિસ્તબદ્ધ અભ્યાસ, સકારાત્મક વિચારસરણી અને સતત પ્રયત્નોથી તેમણે આ સફળતા હાંસલ કરી છે. મિહિર પટેલની આ સિદ્ધિથી તેમના પરિવારજનો, મિત્રો અને સમગ્ર નવસારી જિલ્લામાં ખુશીની લાગણી ફેલાઈ છે. યુવાનો માટે તેમની સફળતા પ્રેરણારૂપ બની છે. 🎉 #UPSC2025 #NavsariPride #MihirPatel #GujaratUPSC #SuccessStory

ખેરગામ કુમાર શાળા ખાતે આનંદમેળો યોજાયો.

         ખેરગામ કુમાર શાળા ખાતે આનંદમેળો યોજાયો. તારીખ : ૨૦-૧૨-૨ ૦૨૩નાં દિને ખેરગામ કુમાર શાળા ખાતે આનંદ મેળો યોજાયો હતો. ખેરગામ કન્યાશાળામાં આનંદ મેળો યોજાયો. આ કાર્યક્રમમાં શાળાના બાળકો દ્વારા ખાણીપીનીના વિવિધ સ્ટોલ ઉભા કરવામાં આવ્યા હતા. શાળામાં કુલ ૩૦ જેટલા જુદાજુદા સ્ટોલમાં બાળકો દ્વારા વિવિધ પ્રકારની વાનગીઓનું વેચાણ કરવામાં આવ્યું હતું. જેમાં ઉંબાડીયું પાનીપુરી, વડાપાવ ભૂંગળા બટાકા સરબત મસાલાછાશ તરબૂચ ચાઈનીઝ ભેળ ખીચું મંચુરિયન કમરક વિવિધ સ્ટોલ ઉભા કરવામાં આવ્યા હતા. સ્ટોલનું સમગ્ર સંચાલન બાળકો દ્વારા કરવામાં આવ્યું હતું. આ મેળાના આયોજનથી બાળકને નાણાંકિય લેવક દેવળનું પ્રત્યક્ષ જ્ઞાનુ મળે નફો- ખોટ વિશે બાળક પ્રત્યક્ષ અનુભવ કરે. અને બાળકમાં આત્મ વિશ્વાસ પેદા થાય તે ઉદ્દેશ સાથે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. આ કાર્યક્રમ શાળાના SMC ના સભ્ય ખેરગામ કેન્દ્રશિક્ષકશ્રી/બીટ નિરીક્ષક પ્રશાંતભાઈ પટેલ, ખેરગામ BRC વિજયભાઈ પટેલ તેમજ શાળા આચાર્ય શ્રી ભરતભાઈ સુથાર તથા સ્ટાફગણ અને વાલીગણ હાજર રહીને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.

સમાજની અને ગરીબોની મુશ્કેલીમાં હર હંમેશ મદદ માટે આગળ રહેનાર આશિષ પટેલને જન્મ દિવસની શુભ કામનાઓ.

         સમાજની અને ગરીબોની મુશ્કેલીમાં હર હંમેશ મદદ માટે આગળ રહેનાર આશિષ પટેલને જન્મ દિવસની શુભ કામનાઓ. સમાજની અને ગરીબોની મુશ્કેલીમાં હર હંમેશ મદદ માટે આગળ રહેનાર વેણ ફળિયાવાસીઓ માટે   નાના ભાઈ, મોટા ભાઈ કે  વડીલો માટે દીકરાના જેવા રોલ નિભાવી સંભાળ  રાખી દરકાર કરનાર આશિષભાઈને પ્રાકૃતિક અવતરણ દિવસની ખુબ ખુબ શુભેચ્છા. આપના જીવનમાં અને પરિવાર માં હર હંમેશ ખુશ રહે એવી પ્રકૃતિને પ્રાર્થનાં. જ્યાં પણ જેમને જે રીતે મદદની જરૂર હોય તે પ્રમાણે તેઓ મદદરૂપ થતાં હોય છે. જાણીતા હોય કે અજાણ્યા  ફક્ત તેમને જાણ થતાં જ વાર. ખબર પડતાં જ તેજ ઘડીએ તેઓ હાજર. 

ખેરગામ તાલુકાના એથ્લેટીકસ ખેલાડીઓએ 42 મી ગુજરાત સ્ટેટ માસ્ટર એથ્લેટીકસ ચેમ્પિયન્સમાં ગોલ્ડ મેડલ મેળવ્યા.

                ખેરગામ તાલુકાના એથ્લેટીકસ  ખેલાડીઓએ 42 મી ગુજરાત સ્ટેટ માસ્ટર એથ્લેટીકસ ચેમ્પિયન્સમાં ગોલ્ડ મેડલ મેળવ્યા. તારીખ : 16/17/12/2023 ના રોજ વડોદરા માંજલપોર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે યોજાયેલી 42 મી ગુજરાત સ્ટેટ માસ્ટર એથ્લેટીકસ ચેમ્પિયન્સમાં ત્રણ મિત્રોએ ભાગ લીધો હતો. જેમાં બહેજ પ્રા. શાળાના ઉપશિક્ષક શ્રી પ્રવિણભાઈ પટેલ નાધઈ વાળી ફળિયાના નિવૃત્ત ST કર્મચારી શ્રી બાબુભાઈ એસ પટેલ તથા ખેરગામ કુમારશાળાના નિવૃત્ત શિક્ષક શ્રી મણિલાલભાઈ લલ્લુભાઈ પટેલે ભાગ લીધો હતો.  જેમાં પ્રવિણભાઈ પટેલે 400 મી. દોડ 800 તથા લાંબીકૂદની સ્પર્ધામાં પ્રથમ નંબર મેળવી ત્રણ ગોલ્ડ મેડલ મેળવ્યા હતા તથા બાબુભાઈ પટેલે 400 મી. દોડ તથા 800મી દોડની સ્પર્ધામાં પ્રથમ નંબર મેળવી  બે ગોલ્ડ મેડલ તથા લાબીકૂદમા 3 નંબરે વિજેતા બની બોન્ઝ મેળવ્યા હતા.  મણિલાલ ભાઈ પટેલે  પણ ઉત્કૃષ્ટ પ્રદર્શન કરી  ત્રણે રમતમાં ચોથો નંબર મેળવ્યો હતો. આમ ત્રણે ખેલાડીઓએ ખૂબ જ સુંદર દેખાવ કરી ગામ તથા તાલુકાનું નામ રોશન કર્યું હતું. હવે ફેબ્રુઆરી મહિનામાં નેશનલ લેવલે રમવા પૂના ...

નાંધઈ પ્રાથમિક શાળાની શિક્ષિકા શ્રીમતિ ધ્રુવીની પટેલે નવી દિલ્લી ખાતે ઓલ ઈન્ડિયા સર્વિસ સ્વિમિંગ ટુર્નામેન્ટમાં ત્રણ મીટર સ્પ્રિંગ બોર્ડ ડાઈવિંગ સ્પર્ધામાં બ્રોન્ઝ મેડલ મેળવ્યો.

    નાંધઈ પ્રાથમિક શાળાની શિક્ષિકા શ્રીમતિ ધ્રુવીની  પટેલે નવી દિલ્લી ખાતે ઓલ ઈન્ડિયા સર્વિસ સ્વિમિંગ ટુર્નામેન્ટમાં ત્રણ મીટર સ્પ્રિંગ બોર્ડ ડાઈવિંગ સ્પર્ધામાં બ્રોન્ઝ મેડલ મેળવ્યો.  ભારત સરકારના કેન્દ્રીય મુલ્કી સેવા અને ક્રિડા સંસ્થાન નવી દિલ્હીના ઉપક્રમે સરકારી કર્મચારીઓની તાલકટોરા શ્યામાપ્રસાદ મુખર્જી સ્વિમિંગ કોમ્પલેક્ષ ન્યુ દિલ્હી ખાતે  ડિસેમ્બર 2023-2024 વર્ષમાં તારીખ15-12-2023 થી 17-12-2023  દરમિયાન યોજાયેલ તરણ સ્પર્ધામાં 25 જેટલા રાજ્યોના 334 થી વધુ કર્મચારીઓએ ભાગ લીધો હતો. નાંધઈ પ્રાથમિક શાળાના શિક્ષિકા શ્રીમતી ધ્રુવીનીબેન બળવંતરાય પટેલ રહે. વૃંદાવન સોસાયટી ડુંગરી (તા.જી. વલસાડ) એ પણ આ રાષ્ટ્રીય કક્ષાની તરણ સ્પર્ધામાં ભાગ લીધો હતો.  આ ટુર્નામેન્ટ શરૂ થવા પહેલા ગાંધીનગર સરકારી જીમખાના ખાતે તારીખ : 6-12-2023 થી 12-12-2023 સુધી 7 દિવસની ટ્રેનિંગનું ગુજરાત સરકાર દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું. આ ટ્રેનિંગ પૂર્ણ કર્યા બાદ ન્યુ દિલ્હી ખાતે યોજાયેલ તરણ સ્પર્ધામાં ત્રણ મીટર સ્પ્રિંગ બોર્ડ ડાઈવિંગમાં ધ્રુવીની બી પટેલે બ્રોન્ઝ મેડલ મેળવી નવસારી જિલ્લ...

નવસારી વન વિભાગના RFO હીના પટેલને ‘નવદુર્ગા એવોર્ડ’થી સમ્માનિત.

 નવસારી વન વિભાગના RFO હીના પટેલને ‘નવદુર્ગા એવોર્ડ’થી સમ્માનિત. આસામના ગુવાહાટીમાં આયોજિત પ્રથમ એશિયન રેંજર ફોરમમાં સામાજિક વનીકરણ વિભાગ નવસારીના RFO હિના પટેલને વનદુર્ગા એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે. રેન્જ ફોરેસ્ટ ઓફિસર હીના પટેલને પ્રકૃતિના સંરક્ષણ માટે તેમના સમર્પણ બદલ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે. હિના પટેલે ફોરેસ્ટ ઓફિસર તરીકેની કારકિર્દીમાં પ્રસંશનીય કામગીરી કરી ઉજ્જડ જમીનને ફળદ્રુપ બનાવી ખેતી થઈ શકે તે માટેના પ્રયાસો કર્યા છે. તેમજ વન્ય પ્રાણીઓના રક્ષણ માટે કાબેલેદાદ કામગીરી કરી રહ્યા છે.  આસામના ગુવાહાટીમાં ગત તા.પમી ડિસેમ્બરના રોજ આયોજિત પ્રથમ એશિયન રેન્જર ફોરમમાં એક્સપ્લોરિં ગવુમનહૂડ ફાઉન્ડેશન દ્વારા દેશની ચાર મહિલાઓને વન દુર્ગા એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા.  વન દુર્ગા પુરસ્કારો વન્યજીવન અને વન સંરક્ષણ માટે ઉત્કૃષ્ટ કામગીરી કરનાર મહિલાઓને આપવામાં આવે છે. હીના પટેલને પ્રકૃતિના સંરક્ષણના ક્ષેત્રમાં આવા સાહસિક, કુશળ અને ઉત્કૃષ્ઠ કાર્ય માટે વનદુર્ગા એવોર્ડ આપવામાં આવ્યો છે. પોતાને મળેલા વન દુર્ગા એવોર્ડ વિશે હીના પટેલે જણાવ્યુ હતું કે, વ્યક્તિની ક્ષમત...

Twinning of schools (Elementary)

 Twinning of schools (Elementary) માર્ગદર્શિકા શાળાઓ એકબીજા પાસેથી શ્રેષ્ઠ પદ્ધતિ, પ્રયુક્તિ અને પ્રવિધિઓ શીખી શકે તેવા ઉમદા હેતુથી "શાળાઓ વચ્ચે ભાગીદારી" (Twinning of schools) કાર્યક્રમ અમલીકૃત કરવામાં આવેલ છે. આ કાર્યક્રમ સરકારી શાળાઓ અને અન્ય વિશિષ્ટ રીતે કાર્યરત ખાનગી શાળાઓ પરસ્પર એકબીજાની શાળાઓની મુલાકાત લઇ, વિદ્યાર્થીઓ અને શિક્ષકો શાળાના અનુભવો, વિચારો અને શ્રેષ્ઠ પ્રયાસોથી અવગત થાય અને તે બાબતોનું પોતાની શાળામાં પણ અમલીકરણ કરે તેવો ઉમદા આશય ધરાવે છે. આ કાર્યક્રમ અંતર્ગત એક શાળા (મુલાકાતી શાળા) બીજી શાળા (યજમાન શાળા) સાથે જોડી બનાવે છે. શાળા મુલાકાતના હેતુઓ : એકબીજા સાથે જોડાનાર શાળાઓ શૈક્ષણિક અને સહઅભ્યાસિક પ્રવૃત્તિઓનું આદાન-પ્રદાન કરશે. શિક્ષકો અને વિધાર્થીઓના ઉત્કૃષ્ટ વિચારોના આદાન-પ્રદાન દ્વારા વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ થશે. પોતાના નવાચાર તેમજ અન્ય શાળાના નવાચારને જાણી યોગ્ય સંકલન દ્વારા વિદ્યાર્થીઓની પ્રગતિ સાધશે. બન્ને શાળાઓ એકબીજાની શ્રેષ્ઠ બાબતો સ્વીકારી ક્ષમતાવર્ધન કરશે. એકબીજાની સારી બાબતો અને ક્ષતિઓ વિશે જાણી શકશે અને સાથે મળીને શીખી શકશે. એકબીજા સાથે જોડ...

Strengthening of Sports Education

 Strengthening of Sports Education માર્ગદર્શિકા સમગ્ર શિક્ષા દ્વારા સરકારી પ્રાથમિક અને માધ્યમિક-ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં "Strengthening of Sports Education" કાર્યક્રમ અંતર્ગત ₹ ૧,૦૦૦/- ની ગ્રાન્ટ આપવામાં આવેલ છે. વર્ષ દરમિયાન આ કાર્યક્રમ અંતર્ગત નીચે જણાવેલ મહત્ત્વની પ્રવૃત્તિઓ હાથ ધરવાની રહેશે. ૧. શાળાએ વર્ષ દરમિયાન FIT INDIA કાર્યક્રમ અંતર્ગત નીચેની પ્રવૃત્તિઓ કરવાની રહેશે. a. FIT INDIA સ્કૂલ વીક (નવેમ્બર/ડિસેમ્બર) ની ઉજવણી b. FIT INDIA ફ્રીડમ રન (૧૫ ઓગસ્ટ & ૨ ઓકટોબર) નું આયોજન c. FIT INDIA સ્વચ્છતા કાર્યક્રમ (૨ ઓકટોબર) d. FIT INDIA સાયક્લોથોન (સાયકલ રેલી) નું આયોજન e. FIT INDIA ક્વિઝનું આયોજન ૨. શાળાએ “ખેલો ઇન્ડિયા" અને "ખેલ મહાકુંભ'માં યોજાતી સ્પર્ધાઓમાં શાળાના વિદ્યાર્થીઓને ભાગ લેવા પ્રોત્સાહિત કરવા. ૩. શાળા કક્ષાએ આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણીનું આયોજન કરવું. ૪. યોગના ભાગરૂપે નિયમિત યૌગિક ક્રિયાઓ, આસન/પ્રાણાયામ જેવી પ્રવૃત્તિઓનું આયોજન કરવું. ૫. શાળાના વિધાર્થીઓને ભારતીય ખેલ અને દેશી/સ્થાનિક રમતો પ્રત્યે પ્રોત્સાહિત કરવા અને તેનું વિશેષ આયોજન કરવું. ...

Popular posts from this blog

Navsari, vansda (keliya school) : ૫૦૦ વર્ષ જૂના સિક્કાઓની મદદથી ઇતિહાસનું શિક્ષણ પીરસતો અનોખો શિક્ષક.

    Navsari, vansda (keliya school) : ૫૦૦ વર્ષ જૂના સિક્કાઓની મદદથી ઇતિહાસનું શિક્ષણ પીરસતો અનોખો શિક્ષક. આજે વાત કરી રહ્યા છીએ એક સામાજિક વિજ્ઞાન ભણાવતા શિક્ષક શ્રી હેમંતભાઈ પટેલની. તેઓ ચીખલી તાલુકાનાં આમઘરા ગામના વતની છે. તેમણે સૌ પ્રથમ નોકરીની શરૂઆત સુરત જિલ્લાથી કરી હતી ત્યાર બાદ જિલ્લાફેરથી કેલીયા પ્રાથમિક શાળામાં હાજર થઈ આચાર્યનો પદભાર સંભાળ્યો હતો. જેઓ સમાજિક વિજ્ઞાનમાં અવનવી પદ્ધતિઓથી બાળકોને અભ્યાસ કરાવે છે. તેમની પાસે ૧૦૦થી વધુ વનસ્પતિના બીજ સંગ્રહ ધરાવતી બીજબેંક છે. તેમજ તેમની પાસે દેશ - વિદેશના જૂના ૩૬૨ જેટલાં ચલણી સિક્કાઓ સંગ્રહ કર્યા છે. ૫૦૦ વર્ષ જૂના સિક્કાઓની મદદથી શિક્ષણ :  ભારતીય ચલણમાં હાલમાં ટેકનોલોજીનો સમન્વય થતા ડિજિટલ કરન્સીની બોલબાલા છે. પરંતુ વર્ષો અગાઉ રાજા રજવાડાના જમાનામાં ચલણમાં સિક્કાઓ વપરાતા હતાં. આ સિક્કાઓથી આજની પેઢી અવગત થાય તે માટે વાંસદા તાલુકાના કેલીયા ગામના એક શિક્ષક હેમંતભાઈ પટેલે ઈ.સ. 500 થી લઇ 2024 સુધીના દેશ-વિદેશના 362 દુર્લભ ચલણી સિક્કાઓનો ખજાનો સંગ્રહ કર્યો છે. સામાજિક વિજ્ઞાન બાળકો માટે રસપ્રદ બને તથા ઉત્સુકતા જાગે તેવા હેતુથી...

પત્ની પર શંકા મુકતા પતિનું વ્યક્તિત્વ અને સમાજ પર તેનો પ્રભાવ

  પત્ની પર શંકા મુકતા પતિનું વ્યક્તિત્વ અને સમાજ પર તેનો પ્રભાવ આજના સમાજમાં સંબંધોની મજબૂતી માટે પરસ્પર વિશ્વાસ અને સન્માન સૌથી મહત્વપૂર્ણ છે. પરંતુ જ્યારે પતિ પોતાની પત્ની પર ગંભીર આરોપ લગાવે કે "આ બાળક મારું નથી, પણ તારા પપ્પાનું છે," ત્યારે એ માત્ર એક દંપતી નહીં, પણ સમગ્ર કુટુંબ અને સમાજ માટે વિચલિત કરનાર ઘટના બની શકે. 1. આવા પુરુષનું માનસશાસ્ત્ર: આ પ્રકારના પુરુષને વિવિધ કેટેગરીમાં મૂકી શકાય: 1. શંકાસ્પદ અને અસુરક્ષિત: આવા લોકો પોતાની પત્ની પર અવિશ્વાસ રાખે છે અને સામાન્ય બાબતોમાં પણ શંકા કરે છે. તેઓના મનમાં હંમેશાં કોઈકને કોઈ શંકા ગૂંથાયેલી હોય છે. 2. પિતૃત્વ અને આધિપત્યની ભ્રાંતિ ધરાવતો: એવા પુરુષોને લાગે છે કે પત્ની પર એક માત્ર તેમનું અધિકાર છે. જ્યારે પત્ની તેમની અપેક્ષા મુજબ વર્તન ન કરે, ત્યારે તેઓ તેને અપમાનિત કરવા માટે આવા શબ્દો વાપરે છે. 3. હિંસક અને માનસિક દુર્વ્યવહાર કરનારો: કેટલાક પતિઓ આ પ્રકારના આરોપ લગાવીને પત્ની પર માનસિક અથવા શારીરિક હિંસા કરવા માટે માનસિક રીતે તૈયાર રહે છે. 2. આવા પુરુષને શું કહેવું જોઈએ? "જો તમને શંકા હોય, તો તમા...

વિશ્વ માતૃભાષા દિવસઃ ધોડીઆ બોલી જાળવી રાખવા વિરવલિયો વિજુનો અનોખો પ્રયાસ

    વિશ્વ માતૃભાષા દિવસઃ ધોડીઆ બોલી જાળવી રાખવા વિરવલિયો વિજુનો અનોખો પ્રયાસ માતૃભાષા એ માત્ર ભાષા નહીં, પણ આપણા સંસ્કૃતિના પરિબળ અને ઓળખનો અભિન્ન હિસ્સો છે. આજના વૈશ્વિકકરણ અને સ્થાલાંતરની અસરથી અનેક આદિવાસી ભાષાઓ લુપ્ત થવાની કગારમાં છે. તેવી જ રીતે, ધોડીઆ બોલી પણ આધુનિક યુગમાં ધીમે ધીમે અવગણાઇ રહી છે. વિશ્વ માતૃભાષા દિવસ (21 ફેબ્રુઆરી)ના અવસરે, વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકાના વિરવલ ગામના લેખક વિજય રતિલાલ ગરાસિયા (વિરવલિયો વિજુ) દ્વારા ધોડીઆ બોલીને જીવંત રાખવા કરવામાં આવેલા પ્રયત્નો પર એક નજર કરીએ. ધોડીઆ બોલીનું સંવર્ધન: પરંપરા અને ડિજિટલ માધ્યમનો સમન્વય વિજ્ય ગરાસિયા 2006 થી ધોડીઆ બોલીને સંવર્ધન માટે પ્રયત્નશીલ છે. ગુજરાતી ભાષામાં વાર્તા, લેખ, જોક્સ અને નવલકથાઓ લખતા લેખક તરીકે તેમનું પ્રારંભિક કાર્ય સુપ્રસિદ્ધ રહ્યું છે. પરંતુ ધોડીઆ બોલીની અવગણના અને નવી પેઢીના તેના પ્રત્યેની અજ્ઞાનતા જોઇ, તેમણે આદિવાસી ભાષાને જીવંત રાખવા નવા માર્ગ શોધવા શરૂ કર્યા. સોશિયલ મીડિયા અને ડિજિટલ પ્લેટફોર્મના યુગમાં, તેઓએ 2010માં ફેસબુક પર "વિરવલિયો વિજુ" નામથી એકાઉન્ટ બનાવી અને ધોડીઆ ભાષાની હળવી ર...